Gujaratમાં એક જ દિવસમાં બે વિદ્યાર્થીનીઓએ પંખે લટકી જીવનલીલા સંકોલી

  • Gujarat
  • January 29, 2025
  • 1 Comments

Tragic Incident at Gujarat: મહેસાણાના  વિસનગરમાં  આવેલી મર્ચન્ટ હોમિયોપેથીક(Homeopathy) મેડિકલ કોલેજમાં ગંભીર ઘટના સામે આવી છે. વિદ્યાર્થિની ઉવર્શી શ્રીમાળી (ઉ.વ.19)એ હોસ્ટેલની રૂમમાં આપઘાત(Sucide) કરી લીધો છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો  અને તપાસ શરૂ કરી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે. વિદ્યાર્થીનીએ આપઘાત કરી લેતાં અન્ય વિદ્યાર્થીઓ રોષે ભરાયા છે અને કોલેજ તંત્રની બેદરકારી ગણાવી છે.

મર્ચન્ટ હોમિયોપેથીક મેડિકલ કોલેજના BHMS પ્રથમ વર્ષની વિદ્યાર્થિની ઉવર્શી શ્રીમાળી (ઉ.વ.19)એ ગર્લ્સ હોસ્ટેલની પોતાની રૂમમાં આપઘાત કરી લીધો છે. વિદ્યાર્થીનીએ પંખે લટકીને આપઘાત કર્યો છે. આપઘાતની જાણ થતાં જ કોલેજ સ્ટાફ દોડી આવ્યો હતો અને પોલીસને જાણ કરી હતી. મર્ચન્ટ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત આ કોલેજમાં વિદ્યાર્થિનીના મૃત્યુના કારણો અંગે તપાસ ચાલી રહી છે. વિદ્યાર્થીઓએ આરોપ લગાવ્યો છે કે કોલેજ સત્તાધીશોની બેદરકારી આ ઘટના માટે જવાબદાર છે.

 

આપઘાતની બીજી ઘટના વડોદરા(vadodara)માં 

 

વડોદરા શહેરના રાવપુરા વિસ્તારમાં આવેલ નર્મદા એપાર્ટમેન્ટમાં રહેતી અને એમ.એસ. યુનિવર્સિટીમાં ફાર્મસીનો અભ્યાસ કરતી બાંગ્લાદેશી વિદ્યાર્થીની મોહોના મંડલ એ પોતાના રૂમમાં પંખા સાથે ઓઢણીથી ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. રાવપુરા પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. મોહોનાએ મરતા પહેલા સુસાઇડ નોટ લખી હતી. જેમાં તેને લખ્યું છે કે, હું જાણું છું કે હું શું કરું છું પરંતુ, મારે આ કરવું છે. આના માટે મને કોઈએ ઉશ્કેરી નથી.

 

 

આ પણ વાંચોઃ Ahmedabad: ઘરો પર બુલડોઝર ફેરવી દેતાં રબારી સમાજ ભાડે રહેવા મજબૂર, કોંગ્રેસ પ્રવક્તાનું પણ ઘર તૂટ્યું

Related Posts

MORBI: ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં કોર્ટે જયસુખ સહિત 10 આરોપીની ડિસ્ચાર્જ અરજી રદ
  • April 29, 2025

135 લોકોની જીવ લેનારી મોરબી(Morbi) પુલ દુર્ઘટનામાં આરોપીઓ છટક બારીઓ શોધી રહ્યા છે. જોકે તેમને એક બાદ એક ઝટકા મળી રહ્યા છે. મોરબી સેશન્સ કોર્ટમાં આરોપીઓએ તેમની સામે નોંધાયેલી આઈપીસી…

Continue reading
Mehsana: ભલે ગોળી મારી દે, પણ ‘પાકિસ્તાન’ પાછા નહીં જઈએ, મહેસાણામાં રહેતાં હિંદુઓની વેદના
  • April 29, 2025

Pakistani Hindus In Mehsana: પહેલગામ હુમલા બાદ ગુજરાતમાં વસતાં વિદેશી શરણાર્થીઓ વિરુધ્ધ કાર્યવાહી હાથ ધરાઈ છે. પાકિસ્તાનનથી આવેલા મુસ્લીમ, હિંદુઓને પાછા પોતાના દેશ જતાં રહેવા અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. જોકે…

Continue reading

One thought on “Gujaratમાં એક જ દિવસમાં બે વિદ્યાર્થીનીઓએ પંખે લટકી જીવનલીલા સંકોલી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Pahalgam Attack: અલ્લાહુ અકબર બોલનાર ઝિપલાઇન ઓપરેટરના પિતાએ શું કહ્યું?

  • April 29, 2025
  • 10 views
Pahalgam Attack: અલ્લાહુ અકબર બોલનાર ઝિપલાઇન ઓપરેટરના પિતાએ શું કહ્યું?

Power outage: વિકસિત દેશો અંધકારમાં ડૂબ્યા, ફ્રાન્સ, સ્પેન અને પોર્ટુગલમાં વીજળી ગુલ, જાણો કારણ

  • April 29, 2025
  • 15 views
Power outage: વિકસિત દેશો અંધકારમાં ડૂબ્યા, ફ્રાન્સ, સ્પેન અને પોર્ટુગલમાં વીજળી ગુલ, જાણો કારણ

MORBI: ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં કોર્ટે જયસુખ સહિત 10 આરોપીની ડિસ્ચાર્જ અરજી રદ

  • April 29, 2025
  • 17 views
MORBI: ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં કોર્ટે જયસુખ સહિત 10 આરોપીની ડિસ્ચાર્જ અરજી રદ

TATA કંપનીએ દ્વારકાના ગામોને બરબાદ કર્યા, ખેડૂતો પાયમાલ, સરકાર શું કરે છે?

  • April 29, 2025
  • 25 views
TATA કંપનીએ દ્વારકાના ગામોને બરબાદ કર્યા, ખેડૂતો પાયમાલ, સરકાર શું કરે છે?

Mehsana: ભલે ગોળી મારી દે, પણ ‘પાકિસ્તાન’ પાછા નહીં જઈએ, મહેસાણામાં રહેતાં હિંદુઓની વેદના

  • April 29, 2025
  • 28 views
Mehsana: ભલે ગોળી મારી દે, પણ ‘પાકિસ્તાન’ પાછા નહીં જઈએ, મહેસાણામાં રહેતાં હિંદુઓની વેદના

Savarkundla: APMCના ડિરેક્ટર અંકુર રામાણીનો આપઘાત

  • April 29, 2025
  • 19 views
Savarkundla: APMCના ડિરેક્ટર અંકુર રામાણીનો આપઘાત