
●ઇન્દોરની જેમ ગાંધીનગરમાં પણ પીવાના પાણીમાં દૂષિત પાણી ભળતા અનેક અસરગ્રસ્ત બન્યા! આરોગ્ય વિભાગમાં દોડધામ, 20 જાન્યુઆરી સુધીમાં કેસનો આંકડો 350ને પાર થવાની દહેશત
● સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત કરોડોના ખર્ચે નખાયેલી નવી પાઈપલાઈનોમાં અનેક જગ્યાએ લીકેજ જોવા મળ્યા,પીવાના પાણીમાં દૂષિત પાણી ભળતા રોગચાળો વકર્યો હોવાનું તપાસમાં બહાર આવ્યું : ઈન્દોર જેવીજ ઘટના!
Typhoid epidemic: મધ્યપ્રદેશના ઇન્દોરમાં દૂષિત પાણીને કારણે અત્યારસુધીમાં 17 જેટલા લોકોના મોત થયા બાદ હવે ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં પણ દૂષિત પાણીને કારણે ભયાનક રોગચાળો ફાટી નીકળતા બે બાળકોના કરુણ મોત થઈ ગયા છે, જ્યારે બે બાળકોની હાલત ગંભીર જણાવવામાં આવી રહી છે, ઉપરાંત 100થી વધુ અસરગ્રસ્તોને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હોવાની વિગતો સામે આવી છે.
મૃત બાળકીના પરિવાર પોતાની બિમાર દીકરીને પહેલા સેક્ટર 29માં લઈ ગયા ત્યાંથી રિપોર્ટમાં ટાઈફોઈડ ડિકલેર થતાં સિવિલમાં જાવ તેમ કહેતા બાળકીને સિવિલમાં એડમિટ કરી દીધી. એડમિટ કર્યાને હજુ ચાર દિવસ પણ નહોતા થયા અને બાળકીનું મોત થઈ ગયું હતું.
આમ, બે બાળકોના કરુણ મોત થયા, જ્યારે અન્ય બે બાળકોની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે,હાલમાં 152 જેટલા દર્દીઓ સારવાર હેઠળ છે, જેમાંથી 50 દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.
ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં પીવાના પાણીમાં ગટરનું પાણી ભળી જવાની ગંભીર બેદરકારીને કારણે ટાઈફોઈડ ફાટી નીકળતા હાહાકાર મચી ગયો છે.
રોગચાળાની ગંભીરતા જોતા હોસ્પિટલમાં બેડ ખૂટી પડતા સત્તાધીશોએ તાત્કાલિક વધારાનો વોર્ડ શરૂ કરવાની ફરજ પડી છે.
પીવાના પાણીમાં દૂષિત પાણી ભળવાને કારણે ફેલાયેલા આ જીવલેણ રોગચાળાને પગલે સમગ્ર પંથકમાં ગભરાટ ફેલાઈ ગયો છે અને આરોગ્ય તંત્રમાં ભારે દોડધામ મચી છે.
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધી જતાં તંત્રમાં ભારે દોડધામ જોવા મળી રહી છે.
વિગતો મુજબ સિવિલમાં બાળ વિભાગમાં બેડ ખૂટી પડતા તાત્કાલિક અસરથી એક અલાયદો વધારાનો વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે.
પરિસ્થિતિ કાબુ બહાર જતા જિલ્લાના અન્ય આરોગ્ય કેન્દ્રોમાંથી પીડિયાટ્રીશિયન અને નિષ્ણાત તબીબોની ટીમને ગાંધીનગર સિવિલ ખાતે પહોંચવા સૂચના આપી દેવાઈ છે.
ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં પીવાના પાણીમાં ગટરનું પાણી ભળી જવાની ગંભીર બાબરને લઈ શહેરના સેક્ટર-24, 28 અને આદિવાડા જેવા વિસ્તારોમાં સ્થિતિ ગંભીર બની છે.
છેલ્લા ત્રણ દિવસમાં પોઝિટિવ કેસોમાં 50 ટકાનો ઉછાળો આવ્યો છે.ખાસ કરીને સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત કરોડોના ખર્ચે નખાયેલી નવી પાઈપલાઈનોમાં અનેક જગ્યાએ લીકેજ જોવા મળ્યા હોવાની ચોંકાવનારી વાત સામે આવી છે,આ લીકેજ દ્વારા પીવાના પાણીમાં અશુદ્ધિઓ ભળતા રોગચાળો વકર્યો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.
લેબોરેટરી રિપોર્ટમાં પણ પુષ્ટિ થઈ છે કે વિતરણ કરવામાં આવતું પાણી પીવાલાયક નહિ હોવાની ચોંકાવનારી વાત સામે આવી છે.
આ પણ વાંચો:
Police recruitment: ગુજરાત પોલીસમાં ભરતી માટે થઈ જાવ રેડી; PSI-LRDની શારીરિક કસોટીની તારીખો જાહેર!









