Anand News: ભ્રષ્ટાચારની CMને રજૂઆત કરનાર ખેડૂતને ભર બજારે જીવતો સળગાવતા હાહાકાર! હોસ્પિટલના બિછાનેથી ખેડૂતનું નિવેદન

Anand News: ભારતમાં લોકશાહી આવી અને સાથે રાજકારણ પણ આવ્યું અને આ રાજકારણમાં વગદાર લોકો પોતાની મનમાની કરતા હોવાના કિસ્સા અવારનવાર સામે આવતા રહે છે ત્યારે મધ્ય ગુજરાતમાં એક ગામમાં સરપંચ વિરુદ્ધ ફરિયાદ કરનાર ગ્રામજનને ભર બજારમાં જીવતો સળગાવી દેવાનો કમકમાટી ભર્યો પ્રયાસ થયો હોવાની કથિત ઘટનાએ ભારે સનસનાટી મચાવી દીધી છે.

આ ચકચારી ઘટના આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના અંબાવ ગામમાં બની છે,આ ગામમાં મહિલા સરપંચ સહિત તેમના પરિવાર વિરુદ્ધ CM સમક્ષ ફરિયાદ કરનાર ભરત પઢીયાર નામના ખેડૂતને ભર બજારે પેટ્રોલ છાંટી જીવતો સળગાવી દેવાનો હીંચકારો પ્રયાસ થયો હતો, જીવન મરણ વચ્ચે ઝોલા ખાતા પીડીત ભરત પઢિયારે પોતાને સરપંચ અને તેમના પરિવારે પેટ્રોલ છાંટી સળગાવ્યો હોવાનું નિવેદન આપ્યું હતું.

વડોદરાની સયાજી હોસ્પિટલમાં દાખલ કરાયેલા અને ગંભીર રીતે દાઝી ગયેલા ભરત પઢિયારનું નિવેદન લીધા બાદ પોલીસે આંકલાવના અંબાવ ગામના મહિલા સરપંચ સહિત પાંચ લોકો સામે હત્યાના પ્રયાસની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

સયાજી હોસ્પિટલના બિછાને જીવન મરણ વચ્ચે ઝોલા ખાતા ભરતભાઈ પઢિયારે આપેલા નિવેદનમાં હતું કે, તેમના ગામ અંબાવ ગ્રામ પંચાયતમાં ભ્રષ્ટાચાર થયાની તેઓએ આઠ-દસ દિવસ પહેલા જિલ્લા વિકાસ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી, વિકાસ કમિશનર અને મુખ્યમંત્રીને અરજી કરી હતી.

જોકે અગાઉ વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ ન્યાય નહી મળતા આ અંગે મીડિયામાં નિવેદન આપ્યું હતું ત્યારબાદ જે દિવસે નિવેદન આપ્યું, તે જ દિવસે સરપંચના પતિ તરફથી તેમને ધમકી મળી હતી.ત્યારબાદ બીજા દિવસે પણ અન્ય લોકો દ્વારા ધમકીઓ આપવામાં આવી હતી અને કહેવામાં આવ્યું હતું કે ‘તમને જીવતા નહીં છોડીએ’, તેના પછીના દિવસે મારે ઘરે ભજનનો કાર્યક્રમ હતો, એટલે પોતે દરણું દળાવવા માટે ઘંટી ગયા હતા ત્યાં અચાનક ગામના સરપંચ કોકિલાબેન, તેમના પતિ દિનેશભાઈ, પુત્ર નિલેશભાઈ, રાજેશભાઈ અને તેમનો એક ભત્રીજો ઈકો ગાડી લઈને આવ્યા હતા.

તેમણે ગડદાપાટુનો માર મારવાનું શરૂ કર્યું હતું અને માર મારતા મારતા તેઓ તેમને ગામની વચ્ચે લઈ ગયા. ત્યાં કોકિલાબેને પોતાને પકડી રાખી નિલેશભાઈએ તેમની ઉપર પેટ્રોલ છાંટ્યું અને રાજેશભાઈએ દિવાસળી ચાંપી દીધી હતી અને દિનેશભાઈએ લાત મારીને પાડી દઈ પોતાને આગ લગાડીને તેઓ ત્યાંથી ભાગી ગયા હતા.

ત્યારબાદ ગંભીર રીતે દાઝી ગયેલા ભરત પઢીયારને વડોદરાની સયાજી હોસ્પિટલમાં લાવ્યા હતા.ભરત પઢીયારે હોસ્પિટલના બિછાનેથી આપેલા આ પ્રકારના નિવેદનને લઈ ભારે ચકચાર મચી ગઇ છે.પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી તેમને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે, આ ઘટનાને પગલે ભારે સનસનાટી મચી ગઇ છે.

આ પણ વાંચો:

Police recruitment: ગુજરાત પોલીસમાં ભરતી માટે થઈ જાવ રેડી; PSI-LRDની શારીરિક કસોટીની તારીખો જાહેર!

Narendramodi: પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યા હત્યામાં પિતા વિઠ્ઠલ પંડ્યાએ નરેન્દ્ર મોદીને કેમ જવાબદાર ગણાવ્યા? 22 વર્ષ બાદ ફરી સળવળાટ!

Haryana: ભારતમાં બાંગ્લાદેશ-નેપાળ જેવા આંદોલનની જરૂર,નેતાઓને જાહેરમાં માર મારવો જોઈએ! ચૌટાલાના નિવેદનથી હંગામો

Social Media: ભાજપના નેતા ડો.ભરત કાનાબારે The Gujarat Report ઉપર કહ્યું:બાળકો માટે સોશ્યલ મીડિયા ઉપર પ્રતિબંધ ક્યારે?

N R Zala

પત્રકારત્વ ક્ષેત્રે પ્રિન્ટ મીડિયાથી લઈ ઇલેક્ટ્રોનિક મીડિયાના 28 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના સુરતથી પત્રકારત્વની શરૂઆત બાદ રાજ્યમાં વર્ષોથી જુદા જુદા લીડ અખબારો તેમજ અલગ અલગ ન્યૂઝ ચેનલ માટે સમાચાર સંપાદન કર્યું છે, ઉપરાંત વર્તમાન સોશ્યલ મીડિયામાં વેબ પોર્ટલનો પણ અનુભવ ધરાવે છે.

Related Posts

FAS Report: અમદાવાદ વિમાન દુર્ઘટનાનું અસલી કારણ સામે આવ્યું!! FASના રીપોર્ટમાં થયો મોટો ખુલાસો,જાણીને ચોંકી જશો
  • January 22, 2026

● એર ઇન્ડિયાનું બોઇંગ ડ્રીમલાઇનર 787-8 વિમાન 12 જૂનના રોજ અમદાવાદથી લંડનના ગેટવિક એરપોર્ટ જવા ઉડાન ભરી ત્યારે મિનિટોમાંજ ક્રેશ થઈ ગયું હતું જેની તપાસનો FAS દ્વારા અમેરિકન સંસદમાં જે…

Continue reading
Ahmedabad: કોંગી નેતા શક્તિસિંહના ભત્રીજાએ પોતાના પત્નીની ગોળી મારી હત્યા કર્યા બાદ પોતાના માથામાં ગોળી મારી આત્મહત્યા કરતા ચકચાર
  • January 22, 2026

●હજુતો બે મહિના પહેલા જ બન્નેના લગ્ન થયા હતા અને ઝગડો થતાં માળો વિખેરાઈ ગયો Ahmedabad: અમદાવાદમાં ક્લાસવન અધિકારીએ પોતાના પત્ની સાથે ઉગ્ર બોલાચાલી થતાં ઉશ્કેરાઈ જઈ પોતાના પત્નીને ગોળી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Surendranagar: સુરેન્દ્રનગરના સરોડી ગામે સિલિકોસિસથી 30ના મોતથી હાહાકાર!

  • January 22, 2026
  • 3 views
Surendranagar: સુરેન્દ્રનગરના સરોડી ગામે સિલિકોસિસથી 30ના મોતથી હાહાકાર!

Narendramodi: ફરી એક વખત PM નરેન્દ્ર મોદીએ ટ્રમ્પથી દૂરી બનાવી! 71મી વાર કહ્યું ” ભારત-પાકનું યુદ્ધ મેં રોકાવ્યું!” મોદીજીનું ભેદી મૌન,જુઓ ખાસ વિશ્લેષણ

  • January 22, 2026
  • 4 views
Narendramodi: ફરી એક વખત PM નરેન્દ્ર મોદીએ ટ્રમ્પથી દૂરી બનાવી! 71મી વાર કહ્યું ” ભારત-પાકનું યુદ્ધ મેં રોકાવ્યું!” મોદીજીનું ભેદી મૌન,જુઓ ખાસ વિશ્લેષણ

Kashmir: ડોડામાં સેનાનું વાહન ખીણમાં ખાબકતા 10 સૈનિકો શહીદ, 3 ગંભીર રીતે ઘાયલ!

  • January 22, 2026
  • 8 views
Kashmir: ડોડામાં સેનાનું વાહન ખીણમાં ખાબકતા 10 સૈનિકો શહીદ, 3 ગંભીર રીતે ઘાયલ!

Bullet train: નરેન્દ્ર મોદીએ બુલેટ ટ્રેન વિશે કહ્યું હતું કે, ‘વો કોઈ બેઠને નહિ આને વાલા ! મચ્યો હોબાળો!

  • January 22, 2026
  • 8 views
Bullet train: નરેન્દ્ર મોદીએ બુલેટ ટ્રેન વિશે કહ્યું હતું કે, ‘વો કોઈ બેઠને નહિ આને વાલા ! મચ્યો હોબાળો!

Gujarat Politics: પૂર્વ CM આનંદી બેન ગુજરાતમાં સક્રિય? અનાર પટેલ ની એન્ટ્રી શુ સૂચવે છે? જુઓ, ખાસ વિશ્લેષણ

  • January 22, 2026
  • 7 views
Gujarat Politics: પૂર્વ CM આનંદી બેન ગુજરાતમાં સક્રિય? અનાર પટેલ ની એન્ટ્રી શુ સૂચવે છે? જુઓ, ખાસ વિશ્લેષણ

FAS Report: અમદાવાદ વિમાન દુર્ઘટનાનું અસલી કારણ સામે આવ્યું!! FASના રીપોર્ટમાં થયો મોટો ખુલાસો,જાણીને ચોંકી જશો

  • January 22, 2026
  • 9 views
FAS Report: અમદાવાદ વિમાન દુર્ઘટનાનું અસલી કારણ સામે આવ્યું!! FASના રીપોર્ટમાં થયો મોટો ખુલાસો,જાણીને ચોંકી જશો