Typhoid epidemic: ગાંધીનગરમાં ‘દૂષિત પાણીકાંડ’થી હાહાકાર ; હોસ્પિટલમાં બેડ ખુટી પડ્યા! બે બાળકના મોત,2 ગંભીર,100થી વધુ બન્યા અસરગ્રસ્ત!

●ઇન્દોરની જેમ ગાંધીનગરમાં પણ પીવાના પાણીમાં દૂષિત પાણી ભળતા અનેક અસરગ્રસ્ત બન્યા! આરોગ્ય વિભાગમાં દોડધામ, 20 જાન્યુઆરી સુધીમાં કેસનો આંકડો 350ને પાર થવાની દહેશત 

● સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત કરોડોના ખર્ચે નખાયેલી નવી પાઈપલાઈનોમાં અનેક જગ્યાએ લીકેજ જોવા મળ્યા,પીવાના પાણીમાં દૂષિત પાણી ભળતા રોગચાળો વકર્યો હોવાનું તપાસમાં બહાર આવ્યું : ઈન્દોર જેવીજ ઘટના!

Typhoid epidemic: મધ્યપ્રદેશના ઇન્દોરમાં દૂષિત પાણીને કારણે અત્યારસુધીમાં 17 જેટલા લોકોના મોત થયા બાદ હવે ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં પણ દૂષિત પાણીને કારણે ભયાનક રોગચાળો ફાટી નીકળતા બે બાળકોના કરુણ મોત થઈ ગયા છે, જ્યારે બે બાળકોની હાલત ગંભીર જણાવવામાં આવી રહી છે, ઉપરાંત 100થી વધુ અસરગ્રસ્તોને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હોવાની વિગતો સામે આવી છે.

મૃત બાળકીના પરિવાર પોતાની બિમાર દીકરીને પહેલા સેક્ટર 29માં લઈ ગયા ત્યાંથી રિપોર્ટમાં ટાઈફોઈડ ડિકલેર થતાં સિવિલમાં જાવ તેમ કહેતા બાળકીને સિવિલમાં એડમિટ કરી દીધી. એડમિટ કર્યાને હજુ ચાર દિવસ પણ નહોતા થયા અને બાળકીનું મોત થઈ ગયું હતું.

આમ, બે બાળકોના કરુણ મોત થયા, જ્યારે અન્ય બે બાળકોની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે,હાલમાં 152 જેટલા દર્દીઓ સારવાર હેઠળ છે, જેમાંથી 50 દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.

ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં પીવાના પાણીમાં ગટરનું પાણી ભળી જવાની ગંભીર બેદરકારીને કારણે ટાઈફોઈડ ફાટી નીકળતા હાહાકાર મચી ગયો છે.

રોગચાળાની ગંભીરતા જોતા હોસ્પિટલમાં બેડ ખૂટી પડતા સત્તાધીશોએ તાત્કાલિક વધારાનો વોર્ડ શરૂ કરવાની ફરજ પડી છે.

પીવાના પાણીમાં દૂષિત પાણી ભળવાને કારણે ફેલાયેલા આ જીવલેણ રોગચાળાને પગલે સમગ્ર પંથકમાં ગભરાટ ફેલાઈ ગયો છે અને આરોગ્ય તંત્રમાં ભારે દોડધામ મચી છે.

ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધી જતાં તંત્રમાં ભારે દોડધામ જોવા મળી રહી છે.

વિગતો મુજબ સિવિલમાં બાળ વિભાગમાં બેડ ખૂટી પડતા તાત્કાલિક અસરથી એક અલાયદો વધારાનો વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે.

પરિસ્થિતિ કાબુ બહાર જતા જિલ્લાના અન્ય આરોગ્ય કેન્દ્રોમાંથી પીડિયાટ્રીશિયન અને નિષ્ણાત તબીબોની ટીમને ગાંધીનગર સિવિલ ખાતે પહોંચવા સૂચના આપી દેવાઈ છે.

ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં પીવાના પાણીમાં ગટરનું પાણી ભળી જવાની ગંભીર બાબરને લઈ શહેરના સેક્ટર-24, 28 અને આદિવાડા જેવા વિસ્તારોમાં સ્થિતિ ગંભીર બની છે.

છેલ્લા ત્રણ દિવસમાં પોઝિટિવ કેસોમાં 50 ટકાનો ઉછાળો આવ્યો છે.ખાસ કરીને સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત કરોડોના ખર્ચે નખાયેલી નવી પાઈપલાઈનોમાં અનેક જગ્યાએ લીકેજ જોવા મળ્યા હોવાની ચોંકાવનારી વાત સામે આવી છે,આ લીકેજ દ્વારા પીવાના પાણીમાં અશુદ્ધિઓ ભળતા રોગચાળો વકર્યો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.

લેબોરેટરી રિપોર્ટમાં પણ પુષ્ટિ થઈ છે કે વિતરણ કરવામાં આવતું પાણી પીવાલાયક નહિ હોવાની ચોંકાવનારી વાત સામે આવી છે.

આ પણ વાંચો:

Police recruitment: ગુજરાત પોલીસમાં ભરતી માટે થઈ જાવ રેડી; PSI-LRDની શારીરિક કસોટીની તારીખો જાહેર!

Narendramodi: પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યા હત્યામાં પિતા વિઠ્ઠલ પંડ્યાએ નરેન્દ્ર મોદીને કેમ જવાબદાર ગણાવ્યા? 22 વર્ષ બાદ ફરી સળવળાટ!

Haryana: ભારતમાં બાંગ્લાદેશ-નેપાળ જેવા આંદોલનની જરૂર,નેતાઓને જાહેરમાં માર મારવો જોઈએ! ચૌટાલાના નિવેદનથી હંગામો

Social Media: ભાજપના નેતા ડો.ભરત કાનાબારે The Gujarat Report ઉપર કહ્યું:બાળકો માટે સોશ્યલ મીડિયા ઉપર પ્રતિબંધ ક્યારે?

 

N R Zala

પત્રકારત્વ ક્ષેત્રે પ્રિન્ટ મીડિયાથી લઈ ઇલેક્ટ્રોનિક મીડિયાના 28 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના સુરતથી પત્રકારત્વની શરૂઆત બાદ રાજ્યમાં વર્ષોથી જુદા જુદા લીડ અખબારો તેમજ અલગ અલગ ન્યૂઝ ચેનલ માટે સમાચાર સંપાદન કર્યું છે, ઉપરાંત વર્તમાન સોશ્યલ મીડિયામાં વેબ પોર્ટલનો પણ અનુભવ ધરાવે છે.

Related Posts

FAS Report: અમદાવાદ વિમાન દુર્ઘટનાનું અસલી કારણ સામે આવ્યું!! FASના રીપોર્ટમાં થયો મોટો ખુલાસો,જાણીને ચોંકી જશો
  • January 22, 2026

● એર ઇન્ડિયાનું બોઇંગ ડ્રીમલાઇનર 787-8 વિમાન 12 જૂનના રોજ અમદાવાદથી લંડનના ગેટવિક એરપોર્ટ જવા ઉડાન ભરી ત્યારે મિનિટોમાંજ ક્રેશ થઈ ગયું હતું જેની તપાસનો FAS દ્વારા અમેરિકન સંસદમાં જે…

Continue reading
Ahmedabad: કોંગી નેતા શક્તિસિંહના ભત્રીજાએ પોતાના પત્નીની ગોળી મારી હત્યા કર્યા બાદ પોતાના માથામાં ગોળી મારી આત્મહત્યા કરતા ચકચાર
  • January 22, 2026

●હજુતો બે મહિના પહેલા જ બન્નેના લગ્ન થયા હતા અને ઝગડો થતાં માળો વિખેરાઈ ગયો Ahmedabad: અમદાવાદમાં ક્લાસવન અધિકારીએ પોતાના પત્ની સાથે ઉગ્ર બોલાચાલી થતાં ઉશ્કેરાઈ જઈ પોતાના પત્નીને ગોળી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Surendranagar: સુરેન્દ્રનગરના સરોડી ગામે સિલિકોસિસથી 30ના મોતથી હાહાકાર!

  • January 22, 2026
  • 3 views
Surendranagar: સુરેન્દ્રનગરના સરોડી ગામે સિલિકોસિસથી 30ના મોતથી હાહાકાર!

Narendramodi: ફરી એક વખત PM નરેન્દ્ર મોદીએ ટ્રમ્પથી દૂરી બનાવી! 71મી વાર કહ્યું ” ભારત-પાકનું યુદ્ધ મેં રોકાવ્યું!” મોદીજીનું ભેદી મૌન,જુઓ ખાસ વિશ્લેષણ

  • January 22, 2026
  • 4 views
Narendramodi: ફરી એક વખત PM નરેન્દ્ર મોદીએ ટ્રમ્પથી દૂરી બનાવી! 71મી વાર કહ્યું ” ભારત-પાકનું યુદ્ધ મેં રોકાવ્યું!” મોદીજીનું ભેદી મૌન,જુઓ ખાસ વિશ્લેષણ

Kashmir: ડોડામાં સેનાનું વાહન ખીણમાં ખાબકતા 10 સૈનિકો શહીદ, 3 ગંભીર રીતે ઘાયલ!

  • January 22, 2026
  • 8 views
Kashmir: ડોડામાં સેનાનું વાહન ખીણમાં ખાબકતા 10 સૈનિકો શહીદ, 3 ગંભીર રીતે ઘાયલ!

Bullet train: નરેન્દ્ર મોદીએ બુલેટ ટ્રેન વિશે કહ્યું હતું કે, ‘વો કોઈ બેઠને નહિ આને વાલા ! મચ્યો હોબાળો!

  • January 22, 2026
  • 8 views
Bullet train: નરેન્દ્ર મોદીએ બુલેટ ટ્રેન વિશે કહ્યું હતું કે, ‘વો કોઈ બેઠને નહિ આને વાલા ! મચ્યો હોબાળો!

Gujarat Politics: પૂર્વ CM આનંદી બેન ગુજરાતમાં સક્રિય? અનાર પટેલ ની એન્ટ્રી શુ સૂચવે છે? જુઓ, ખાસ વિશ્લેષણ

  • January 22, 2026
  • 7 views
Gujarat Politics: પૂર્વ CM આનંદી બેન ગુજરાતમાં સક્રિય? અનાર પટેલ ની એન્ટ્રી શુ સૂચવે છે? જુઓ, ખાસ વિશ્લેષણ

FAS Report: અમદાવાદ વિમાન દુર્ઘટનાનું અસલી કારણ સામે આવ્યું!! FASના રીપોર્ટમાં થયો મોટો ખુલાસો,જાણીને ચોંકી જશો

  • January 22, 2026
  • 9 views
FAS Report: અમદાવાદ વિમાન દુર્ઘટનાનું અસલી કારણ સામે આવ્યું!! FASના રીપોર્ટમાં થયો મોટો ખુલાસો,જાણીને ચોંકી જશો