Gujarat BJP: રાજ્યમાં ભાજપની છબી ખરાબ કરતા ‘અધિકારીઓ’ને સીધા કરવા પાંચ MLAની CMને ફરિયાદ!

■ભાજપનું નામ બગાડનારા અધિકારીઓ સામે એક્શન લેવા ભાજપના પાંચ MLAએ CMને લેટર લખ્યો!

Gujarat BJP: રાજ્યમાં ભાજપની છબી બગડી રહી છે,પ્રજાના કામો થતાં નહિ હોવાથી લોકો ભાજપને જવાબદાર ગણી રહયા છે અને ભાજપના નેતાઓ સામે લોકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે ત્યારે ખરેખર આ માટે ભાજપના નેતાઓ નહિ પણ વહીવટી તંત્રના અધિકારીઓ જવાબદાર હોવાની પાંચ જેટલા ધારાસભ્યો દ્વારા CMને રજુઆત કરવામાં આવી છે.

વડોદરા જિલ્લાના પાંચ ધારાસભ્યોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને આ અંગે ધ્યાન દોરી હકીકતની સત્યતા શુ છે?તે જણાવી આ માટે તાત્કાલિક પગલાં ભરવા માંગ કરી છે.આ ધારાસભ્યોમાં કેતન ઇનામદાર, અક્ષય પટેલ, શૈલેષ મહેતા, ચૈતન્યસિંહ ઝાલા અને ધર્મેન્દ્રસિંહ વાઘેલાનો સમાવેશ થાય છે જેઓએ પત્ર દ્વારા લેખિતમાં મુખ્યમંત્રીને આ મામલે અવગત કર્યા છે.

પત્રમાં જણાવાયું છે કે રાજ્યમાં વહીવટી તંત્ર ખાડે ગયું છે અને જનતાના સામન્ય કામો પણ થતા નથી.વહીવટી વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓની કામ ન કરવાની માનસિકતાને કારણે સરકારી કચેરીઓમાં પ્રજાના કામો થતા નથી.

કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, પોલીસ અધીક્ષક, પોલીસ કમિશનર જેવા ઉચ્ચ અધિકારીઓ પોતાની મનગમતી કચેરીઓ તૈયાર કરીને સરકારી સચિવો સાથે થતી વીડિયો કોન્ફ્રરન્સ દરમિયાન સરકારને સબ સલામત જણાવી વાસ્તવિક પરિસ્થિતિથી અંધારામાં રાખી રહયા છે આવા અધિકારીઓ પ્રજા તેમજ જનપ્રતિનિધિઓને ગણતા નથી અને આડેધડ વહીવટ ચલાવી રહયા છે, જેનાથી ખરેખર ભાજપ સરકારની છબિને મોટાપાયે નુકસાન પહોંચી રહ્યું છે ત્યારે આવા અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવા અને જનતાના કામોને પ્રાથમિકતા આપવા અંગે પગલાં ભરવા માંગ કરી ભાજપના પાંચ ધારાસભ્યોએ હકીકત જણાવી સરકાર અને અધિકારીઓ બંને ઉપર નિશાન સાધ્યું છે.

આ પણ વાંચો:

Police recruitment: ગુજરાત પોલીસમાં ભરતી માટે થઈ જાવ રેડી; PSI-LRDની શારીરિક કસોટીની તારીખો જાહેર!

Narendramodi: પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યા હત્યામાં પિતા વિઠ્ઠલ પંડ્યાએ નરેન્દ્ર મોદીને કેમ જવાબદાર ગણાવ્યા? 22 વર્ષ બાદ ફરી સળવળાટ!

Haryana: ભારતમાં બાંગ્લાદેશ-નેપાળ જેવા આંદોલનની જરૂર,નેતાઓને જાહેરમાં માર મારવો જોઈએ! ચૌટાલાના નિવેદનથી હંગામો

Social Media: ભાજપના નેતા ડો.ભરત કાનાબારે The Gujarat Report ઉપર કહ્યું:બાળકો માટે સોશ્યલ મીડિયા ઉપર પ્રતિબંધ ક્યારે?

 

Related Posts

Jamnagar Water Crisis: સ્માર્ટ સિટીના પોકળ દાવા, જામનગરના વોર્ડ નંબર-૧માં પાણી માટે વલખાં મારતા લાચાર લોકો!
  • June 19, 2026

Jamnagar Water Crisis: જામનગર મહાનગરપાલિકા દ્વારા ‘સ્માર્ટ સિટી’ અને વિકાસના ગમે તેટલા ભપકાદાર દાવા કરવામાં આવતા હોય, પરંતુ જમીની હકીકત કંઈક અલગ જ છે. જામનગરના વોર્ડ નંબર-૧માં આવેલો બેડી વિસ્તાર,…

Continue reading
Ram Mandir Gujarat Contribution: રામ મંદિરના ગુજરાતના અબજો રૂપિયા, મંદિર માટે ૨૦૦ કરોડનું સોનું સુરતનું, ગુજરાતનો ખજાનો સલામત કે ગુમ?
  • June 18, 2026

Ram Mandir Gujarat Contribution: ૧૯૮૪માં વિશ્વ હિન્દુ પરિષદ (VHP) દ્વારા શરૂ થયેલું રામજન્મભૂમિ મુક્તિ અભિયાન માત્ર એક રાજકીય આંદોલન નહોતું, પરંતુ તે લાખો લોકોની આસ્થાનું કેન્દ્ર બની ગયું હતું. ગુજરાતના અમદાવાદ,…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Rahul Gandhi: કોટામાં રાહુલ ગાંધીનો શિક્ષણ વ્યવસ્થા પર પ્રહાર, ‘વિદ્યાર્થીઓને સપના નહીં, તણાવ અને નિરાશા આપી રહી છે આજની સિસ્ટમ’

  • June 19, 2026
  • 2 views
Rahul Gandhi: કોટામાં રાહુલ ગાંધીનો શિક્ષણ વ્યવસ્થા પર પ્રહાર, ‘વિદ્યાર્થીઓને સપના નહીં, તણાવ અને નિરાશા આપી રહી છે આજની સિસ્ટમ’

Jamnagar Water Crisis: સ્માર્ટ સિટીના પોકળ દાવા, જામનગરના વોર્ડ નંબર-૧માં પાણી માટે વલખાં મારતા લાચાર લોકો!

  • June 19, 2026
  • 4 views
Jamnagar Water Crisis: સ્માર્ટ સિટીના પોકળ દાવા, જામનગરના વોર્ડ નંબર-૧માં પાણી માટે વલખાં મારતા લાચાર લોકો!

Ram Mandir Gujarat Contribution: રામ મંદિરના ગુજરાતના અબજો રૂપિયા, મંદિર માટે ૨૦૦ કરોડનું સોનું સુરતનું, ગુજરાતનો ખજાનો સલામત કે ગુમ?

  • June 18, 2026
  • 8 views
Ram Mandir Gujarat Contribution: રામ મંદિરના ગુજરાતના અબજો રૂપિયા, મંદિર માટે ૨૦૦ કરોડનું સોનું સુરતનું, ગુજરાતનો ખજાનો સલામત કે ગુમ?

Nepal-China relations impact: નેપાળ-ચીન સંબંધોમાં નવી દિશા, ભારત માટે પડકાર કે પ્રાદેશિક સહકારની નવી તક?

  • June 18, 2026
  • 5 views
Nepal-China relations impact: નેપાળ-ચીન સંબંધોમાં નવી દિશા, ભારત માટે પડકાર કે પ્રાદેશિક સહકારની નવી તક?

Freedom of Religion: શું આધુનિક ભારતમાં પોતાની પસંદગીનો ધર્મ અને આરાધ્ય પસંદ કરવાની આઝાદી બચી છે?

  • June 18, 2026
  • 10 views
Freedom of Religion: શું આધુનિક ભારતમાં પોતાની પસંદગીનો ધર્મ અને આરાધ્ય પસંદ કરવાની આઝાદી બચી છે?

Odisha Textbook Errors: ઓડિશાના નવા પાઠ્યપુસ્તકોમાં 1,678 ભૂલો, શિક્ષકો-વાલીઓમાં રોષ

  • June 18, 2026
  • 13 views
Odisha Textbook Errors: ઓડિશાના નવા પાઠ્યપુસ્તકોમાં 1,678 ભૂલો, શિક્ષકો-વાલીઓમાં રોષ