Ukraine: ભારતના વડાપ્રધાન મોદીજીએ રશિયન પ્રમુખના ઘર પર યુક્રેનના ડ્રોન હુમલાને વખોડી કાઢતા ઝેલેન્સકીએ કહ્યું કે આ ખૂબજ આશ્ચર્ય જનક અને વિચિત્ર લાગી રહ્યું છે કે ભારત અને યુએઈ સહિત ઘણા દેશોએ પુતિનના નિવાસસ્થાન પર અમારા કથિત ડ્રોન હુમલાની નિંદા કરી જે ખરેખર અમે હુમલો કર્યો જ નથી ઝેલેન્સકીએ પ્રેસને સંબોધન કરતા જણાવ્યું કે જ્યારે “અમારા બાળકો પર બોમ્બમારો થઈ રહ્યો છે. મોટી સંખ્યામાં લોકો મરી રહ્યા છે ત્યારે કેમ કોઈ રશિયન હુમલાની નિંદા નથી કરતા? સાચું કહું તો, મને આ મુદ્દાઓ પર ભારત કે યુએઈ તરફથી અમારા તરફી કોઈ પ્રતિક્રિયા હજુ સુધી આવી નથી જેનું અમને દુઃખ છે.
■આખો મામલો શું છે?
તા.29 ડિસેમ્બરે, રશિયન વિદેશ પ્રધાન સેરગેઈ લવરોવે જણાવ્યું હતું કે યુક્રેને રશિયન રાષ્ટ્રપતિના નિવાસસ્થાન પર 91 ડ્રોનથી હુમલો કરવાનો પ્રયાસ થયો પણ તે તમામ ડ્રોનનો રશિયાએ હવામાં જ નાશ કર્યો. જો કે, યુક્રેને રશિયાના આ દાવાઓને ફગાવી દેતા કહ્યું હતું કે રશિયા શાંતિ વાટાઘાટોને વિક્ષેપિત કરવા માટે ખોટા આરોપો લગાવી રહ્યું છે.
બીજી તરફ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને યુએઈના વિદેશ મંત્રાલયે યુક્રેન દ્વારા રશિયન રાષ્ટ્રપતિ પુતિનના નિવાસસ્થાન ઉપર થયેલા હુમલાની નિંદા કરી હતી. પીએમ મોદીએ બંને પક્ષોને શાંતિ સ્થાપિત કરવાની અપીલ કરતા કહ્યું હતું કે એવું કોઈ પગલું ન ભરવું જોઈએ જે શાંતિ વાટાઘાટોમાં અવરોધ ઉભો કરે.ભારતની આ પ્રતિક્રિયા સામે ઝેલેન્સકીએ પ્રેસને સંબોધન કરતા જણાવ્યું કે જ્યારે “અમારા બાળકો પર બોમ્બમારો થઈ રહ્યો છે. મોટી સંખ્યામાં લોકોના મોત થઈ રહ્યા છે ત્યારે કેમ કોઈ બોલતું નથી? અને અમે કોઈ ડ્રોન હુમલો કર્યો નથી છતાં રશિયાની તરફેણમાં ભારત અને યુએઈ તરતજ આવી ગયા.આ મુદ્દા ઉપર The Gujarat Reportના MD મયુર ભાઈ જાનીએ કરેલું વિશ્લેષણ અત્રે પ્રસ્તુત છે,જુઓ વિડીયો
આ પણ વાંચો:
Pentagon: ચીનની ભેદી હિલચાલ; અરૂણાચલ પ્રદેશ કબ્જે કરવા કરી રહ્યું છે, તૈયારીઓ! પેન્ટગોને આપી ચેતવણી!
Donald Trump: ટ્રમ્પનો ‘ટેરિફ દાવ’ ઊંધો પડ્યો! 700થી વધુ યુએસ કંપનીઓને લાગ્યા તાળા!
Aravali Case: અરવલ્લી કેસમાં સુપ્રીમ કોર્ટેનો પોતાનાજ આદેશ પર સ્ટે; આગામી સુનાવણી 21મી એ થશે









