યુએનની સભામાં પાકિસ્તાનના પીએમ બાદ બાંગ્લાદેશના મોહમ્મદ યુનૂસે પણ મોદી સરકાર વિરુદ્ધ ઝેર ઓક્યું

  • World
  • September 27, 2025
  • 0 Comments
  • ભારત અપરોક્ષ રીતે બાંગ્લાદેશમાં ફેક ન્યૂઝ ફેલાવતું હોવાનો મહોમ્મદ યૂનૂસનો આરોપ.
  • ભારતે નેપાળ, બાંગ્લાદેશ જેવા પાડોશી દેશો સાથે સંબંધો સારા કરવાની જરૂર હોવાની યૂનુસની કેફિયત.
  • શેખ હસીનાને આશરો આપવાને કારણે જ ભારત – બાંગ્લાદેશ વચ્ચેના સંબંધો ખરાબ થયા હોવાનો દાવો.

Bangladesh Chief Adviser Muhammad Yunus Addresses । ભારતની સત્તા પર ચડી બેઠેલાં નરેન્દ્ર દામોદરદાસ મોદી જાહેર સભાઓમાં દુશ્મનો સામે લાલ આંખ કરવાની ગુલબાંગો પોકારીને તાળીયો પડાવી શકે છે. પરંતુ, હાલ વાસ્તવિકતા એવી છે કે, પાકિસ્તાન, બાંગ્લાદેશ જેવા પાડોશી દેશોના અગ્રણીઓ વૈશ્વિક મંચ પર છપ્પનની છાતીમાં મસમોટાં ગાબડાં પાડી રહ્યાં છે અને સ્વ-ઘોષિત નોન-બાયોલોજીક મહામાનવ આ મામલે જવાબ આપવાની હિંમત ધરાવતાં નથી. શક્ય છે કે, 80મી સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ફજેતી થવાની છે તેવી અગાઉથી માહિતી મળી ગઈ હોવાને કારણે જ સ્વ-ઘોષિત વિશ્વગુલ્લુએ ત્યાં હાજર રહેવાનું જ મુનાસિબ માન્યું નહીં. અથવા તો વિશ્વ સમક્ષ ભારતની મજબૂત સ્થિતિનો ચિતાર મુકવાને બદલે નરેન્દ્ર મોદીએ બિહાર ચૂંટણી જીતવા માટે મહેનત કરવાનું વધુ મુનાસિબ માન્યું છે.

26 સપ્ટેમ્બરે ન્યૂયોર્કમાં 80th UN General Assembly સભામાં પાકિસ્તાનના પ્રધાનમંત્રીએ ભારતની મોદી સરકારની આબરૂના ધજાગરાં ઉડાડ્યા બાદ બાંગ્લાદેશના ચીફ એડવાઇઝર પ્રો. મોહમ્મદ યૂનુસે પણ મોદી સરકાર સામે ઝેર ઓક્યું હતું. અત્રે મોદી સરકાર કહેવાનું કારણ એટલું જ કે, છેલ્લાં કેટલાંક વર્ષોથી નરેન્દ્ર મોદી પોતાની જાતને દેશ કરતાં મોટા ગણવા માંડ્યા છે. અને તે પ્રકારનું જ વર્તન કરતાં જોવા મળતાં હોય છે. અને ભાજપના જ મહાનુભાવો પોતાના વાણી – વર્તનમાં ભારત સરકાર કહેવાને બદલે મોદી સરકાર કહીને ગર્વાન્વિત થતાં હોય છે. માટે પાડોશી દેશોના અગ્રણીઓ દ્વારા કરાયેલા આક્ષેપો ભારત માટે તો નથી જ. આ માત્રને માત્ર મોદી સરકારની વૈશ્વિક ફજેતી છે. એવું સ્પષ્ટ રીતે કહી શકાય.

બાંગ્લાદેશના અંતરિમ મુખ્ય સલાહકાર મોહમ્મદ યૂનુસ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની 80મી બેઠકમાં ભાગ લેવા પહોંચ્યા ત્યારે તેમને વિરોધનો સામનો કરવો પડ્યો હતો. એરપોર્ટ પર બહાર શેખ હસીનાના સમર્થકોએ તેમના પર ઇંડા ફેંક્યા અને વિરોધમાં સૂત્રોચ્ચાર કર્યો હતો.

મહાસભામાં વૈશ્વિક નેતાઓને સંબોધન કરતાં પ્રો. મોહમ્મદ યૂનુસે ભારતની મોદી સરકાર વિરુદ્ધ ઝેર ઓક્યું હતું. તેમણે કહ્યું હતું કે, શેખ હસીનાને કારણે જ ભારત અને બાંગ્લાદેશના સંબંધો ખરાબ થયા છે. બંને દેશો વચ્ચે તણાવ ઉભો થયો છે. જ્યારથી શેખ હસીનાની સરકાર પડી અને તેઓ બાંગ્લાદેશ છોડીને ભાગી ગઈ છે. ત્યારથી તે ભારતમાં જ રહે છે. આનો અર્થ શું છે? ભારત શેખ હસીનાને બાંગ્લાદેશને સુપરત કરી દે, એમના કારણે જ બાંગ્લાદેશને ભારત સાથે સમસ્યા છે અને જ્યાં સુધી તે ભારતમાં રહેશે, સમસ્યા રહેશે. શેખ હસીના બાંગ્લાદેશની આરોપી છે અને તેમને પાછા લાવવામાં આવશે.

મોહમ્મદ યૂનુસે ભારતની મોદી સરકાર પર અપરોક્ષ રીતે બાંગ્લાદેશમાં ફેક ન્યૂઝ કે નેટેટિવ ફેલાવવાનો પણ આરોપ લગાડ્યો હતો. તેમજ કહ્યું હતું કે, ભારતે નેપાળ, બાંગ્લાદેશ જેવા પાડોશી દેશો સાથે સંબંધો સુધારવાની જરૂર છે. જે પારંપરિક રીતે મિત્ર દેશો રહ્યાં છે.

સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના મંચ પરથી પાકિસ્તાન બાદ બાંગ્લાદેશ દ્વારા મોદી સરકારની આબરૂનાં ધજાગરાં ઉડાડવામાં આવ્યાં છે. છતાં સત્તાના મદમાં મસ્ત નરેન્દ્ર દામોદરદાસ મોદી અને જય શાહના પપ્પા આ મામલે કોઈ સક્રિય કાર્યવાહી કરે તેવી શક્યતાઓ ખૂબ જ ઓછી છે. એમાંય નરેન્દ્ર દામોદરદાસ મોદીનું દુર્ભાગ્ય જ ગણાય કે, આ ફજેતીના નામે તેઓ બિહારની જનતા પાસેથી મત પણ માંગવા સમર્થ નથી.

Related Posts

S Jaishankar: સુરીનામથી એસ. જયશંકરની વૈશ્વિક ચેતવણી, કહ્યું- દુનિયા હવે સંસાધનોને હથિયારની જેમ વાપરી રહી છે
  • May 8, 2026

S Jaishankar: ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર હાલમાં સુરીનામની મુલાકાતે છે, જ્યાં તેમણે બદલાતી વૈશ્વિક વ્યવસ્થા અને મોટા દેશોની સ્વાર્થી નીતિઓ પર આકરા પ્રહારો કર્યા છે. પારામારીબોમાં ભારતીય સમુદાય અને…

Continue reading
Iran US Conflict: ઈરાન દબાણ સામે નહીં ઝૂકે, પરંતુ વાતચીત માટે તૈયાર, ઈરાની રાષ્ટ્રપતિ મસૂદ પેજેશકિયાનનું મોટું નિવેદન
  • May 6, 2026

Iran US Conflict: ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેજેશકિયાને હાલમાં જ ઈરાકના નિયુક્ત વડાપ્રધાન અલી અલ-ઝૈદી સાથે ટેલિફોનિક વાતચીત દરમિયાન દેશનું વલણ સ્પષ્ટ કર્યું છે. પેજેશકિયાને ભારપૂર્વક જણાવ્યું હતું કે ઈરાન આંતરરાષ્ટ્રીય…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

West Bengal Election Violence: પશ્ચિમ બંગાળમાં ભાજપની જીત બાદ સનાતની વીરોનું શૌર્ય અને ટાઈમ મશીનની કલ્પના

  • May 8, 2026
  • 4 views
West Bengal Election Violence: પશ્ચિમ બંગાળમાં ભાજપની જીત બાદ સનાતની વીરોનું શૌર્ય અને ટાઈમ મશીનની કલ્પના

Gir Forest Land Allocation Controversy: ગીર જમીન વિવાદમાં ફરી ઉઠ્યા સવાલો, આનંદીબેન પટેલ અને અનાર પટેલને લઈને જૂના આરોપોની ચર્ચા તેજ

  • May 8, 2026
  • 6 views
Gir Forest Land Allocation Controversy: ગીર જમીન વિવાદમાં ફરી ઉઠ્યા સવાલો, આનંદીબેન પટેલ અને અનાર પટેલને લઈને જૂના આરોપોની ચર્ચા તેજ

Gift City Data Center Fraud : ગુજરાતમાં વધતા નટવરલાલો! ડેટા સેન્ટર રોકાણના બહાને 32 હજાર લોકો સાથે ઠગાઈ? ઉત્પલ પટેલ કેસે મચાવ્યો ખળભળાટ

  • May 8, 2026
  • 8 views
Gift City Data Center Fraud : ગુજરાતમાં વધતા નટવરલાલો! ડેટા સેન્ટર રોકાણના બહાને 32 હજાર લોકો સાથે ઠગાઈ? ઉત્પલ પટેલ કેસે મચાવ્યો ખળભળાટ

Mundra fishermen Adani protest: અત્યાચારનું બીજુ નામ અદાણી: મુંદરામાં 4 વખત માછીમારોને સ્થળાંતર

  • May 8, 2026
  • 9 views
Mundra fishermen Adani protest: અત્યાચારનું બીજુ નામ અદાણી: મુંદરામાં 4 વખત માછીમારોને સ્થળાંતર

Bhavnagar SBI Loan Scam: ભાવનગર SBI લોન કૌભાંડમાં મોટો ખુલાસો, નિલમબાગ બ્રાન્ચના ચીફ મેનેજરની ધરપકડથી બેંકિંગ ક્ષેત્રમાં ખળભળાટ

  • May 8, 2026
  • 9 views
Bhavnagar SBI Loan Scam: ભાવનગર SBI લોન કૌભાંડમાં મોટો ખુલાસો, નિલમબાગ બ્રાન્ચના ચીફ મેનેજરની ધરપકડથી બેંકિંગ ક્ષેત્રમાં ખળભળાટ

S Jaishankar: સુરીનામથી એસ. જયશંકરની વૈશ્વિક ચેતવણી, કહ્યું- દુનિયા હવે સંસાધનોને હથિયારની જેમ વાપરી રહી છે

  • May 8, 2026
  • 6 views
S Jaishankar: સુરીનામથી એસ. જયશંકરની વૈશ્વિક ચેતવણી, કહ્યું- દુનિયા હવે સંસાધનોને હથિયારની જેમ વાપરી રહી છે