UP: બારાબંકીની પૂજાનું ભત્રીજા સાથે અફેર, પતિથી છૂટકારો મેળવવા રચ્યું કાવતરું, બાળકે માતાની સચ્ચાઈ જણાવી દેતા…

  • India
  • October 16, 2025
  • 0 Comments

UP: ઉત્તર પ્રદેશના બારાબંકી જિલ્લામાંથી એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એક પત્નીએ પોતાના પ્રેમી સાથે લગ્ન કરવા માટે ઉશ્કેરાઈને પોતાના જ પતિની હત્યા કરાવી દીધી. મૃતક હનુમંત લાલની પત્ની પૂજા ગૌતમના ભત્રીજા સાથે અનૈતિક સંબંધો હતા. જેના કારણે બંને વચ્ચે ઘણીવાર ઝઘડા થતા હતા. જેથી પૂજાએ હનુમંત લાલને મારી નાખવાનું કાવતરું ઘડ્યું.

ત્યારબાદ પૂજા લખનૌમાં રહેતા ઈ-રિક્ષા ડ્રાઈવર કમલેશને મળી અને તેને તેના પતિને મારી નાખવા માટે એક લાખ રૂપિયાનો કોન્ટ્રાક્ટ ઓફર કર્યો.
સડયંત્ર પ્રમાણએ પૂજા તેના પતિ સાથે મેળામાં ફરવા ગઈ. જોકે, મેળામાંથી પરત ફરતી વખતે દેવા-લખનૌ રોડ પર હનુમંત લાલનો મૃતદેહ મળી આવ્યો. પત્નીએ પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો અને દાવો કર્યો કે તેનું મૃત્યુ રોડ અકસ્માતને કારણે થયું. જોકે, પૂજાના 8 વર્ષના બાળકે તેના જુઠાણાનો પર્દાફાશ કર્યો, જેના કારણે પોલીસની કડક પૂછપરછ શરૂ થઈ. પૂછપરછ દરમિયાન બહાર આવેલા સત્યએ પોલીસને પણ ચોંકાવી દીધી.

ભત્રીજા સાથે સંબંધો

પોલીસ તપાસ મુજબ મૃતકની પત્ની પૂજા ગૌતમના તેના જ ભત્રીજા સાથે ગેરકાયદેસર સંબંધો હતા. ઘરમાં રોજબરોજના ઝઘડાથી કંટાળીને પૂજાએ તેના પતિથી છૂટકારો મેળવવાનું નક્કી કર્યું. તેણે લખનૌમાં રહેતા ઈ-રિક્ષા ડ્રાઈવર કમલેશને મળી અને તેને તેના પતિને મારી નાખવા માટે રુ. 1 લાખ ચૂકવ્યા . 13 ઓક્ટોબરની સાંજે પૂજા તેના બાળક અને પતિ સાથે દેવ મેળામાં ગઈ હતી. મેળામાં ફર્યા પછી પૂજાએ જાણી જોઈને કમલેશ દ્વારા ચલાવવામાં આવતી એ જ ઈ-રિક્ષા બુક કરાવી.

અધિક પોલીસ અધિક્ષક (ASP) વિકાસ ચંદ્ર ત્રિપાઠીના જણાવ્યા અનુસાર મૃતકની પત્ની ઠંડીનું કારણ આપીને મોટરસાયકલ પરથી ઉતરી અને ઈ-રિક્ષામાં બેસી ગઈ. જ્યારે તેઓ તાહિરપુર વળાંક પર પહોંચ્યા, ત્યારે કમલેશ અને તેની પત્નીએ મોટરસાયકલ ચલાવી રહેલા હનુમંત લાલને રોક્યો. કમલેશે લોખંડના સળિયાથી હનુમંત લાલના માથા પર હુમલો કર્યો, જેનાથી તેમનું ઘટનાસ્થળે જ મોત થયું.

દીકરાએ હકીકત જણાવી દીધી

હત્યાને રોડ અકસ્માત ખપાવવા પત્ની ઈ-રિક્ષા ચાલક સાથે લખનૌ પરત ફરી. જોકે, એએસપી વિકાસ ચંદ્ર ત્રિપાઠીએ જણાવ્યું કે બાળકની પ્રામાણિકતા અને હત્યાનો ઉકેલ લાવવામાં પોલીસ ટીમના પ્રયાસો તેનું કારણ હતા. બાળકે પોલીસને પૂજા અને કમલેશની આખી યોજના વિશે જણાવ્યું, ત્યારબાદ પોલીસે પૂજાની કડક પૂછપરછ કરી અને તેણે સત્ય કબૂલ્યું. પોલીસે આરોપી પત્ની પૂજા અને કમલેશ બંનેની ધરપકડ કરી છે. તેમની પાસેથી હત્યામાં વપરાયેલો લોખંડનો સળિયો, એક મોબાઈલ ફોન અને એક ઈ-રિક્ષા મળી આવી છે. એએસપી વિકાસ ત્રિપાઠીના જણાવ્યા અનુસાર આ કેસ સંપૂર્ણપણે બેવફાઈ અને લોભ સાથે સંબંધિત હતો, જેને પોલીસે ઉકેલી લીધો છે.

આ પણ વાંચો:

UP: ‘મારા પતિને ઠેકાણે પાડી દે નહીં તો ઝેર પી લઈશ’, પત્નીએ પ્રેમીના હાથે પતિને મરાવી નાખ્યો!

UP: મૌલવીના પરિવાર સાથે થયેલી ક્રૂરતા મામલે 60 લોકો સામે FIR, કારણ જાણી ચોકી જશો!

Afghanistan Pakistan Conflict: પેન્ટ લેવા પણ ના રહ્યા પાકિસ્તાની સૈનિકો, તાલિબાનીઓએ ચોકીઓ પર કરી લીધો કબજો

Viral Video: તાલિબાનનું સમર્થન કરનારને ‘દેશદ્રોહી’ કહેનાર ભાજપે તાલિબાની નેતા માટે લાલ જાજમ બિછાવી!, ‘થુકેલું ચાટવું’ આનું નામ!, જુઓ

 

Related Posts

Manusmriti and BR Ambedkar: ‘મહારનો કાયદો’ અને ‘ભીમ સ્મૃતિ’થી હિન્દુ કોડ બિલ સુધી, બંધારણ સભાની ઐતિહાસિક ચર્ચા
  • September 16, 2026

Manusmriti and BR Ambedkar: 26 નવેમ્બર 1949ના રોજ ભારતનું બંધારણ અપનાવવામાં આવ્યું તેના બે દિવસ પહેલાં સમાજ સુધારક અને કોંગ્રેસ નેતા કેશવરાવ જેધેએ ડૉ. બી.આર. આંબેડકર અને તેમના સાથીઓને બંધારણ…

Continue reading
Noise Pollution India: ‘અવાજ ઓછો કરો’ કહેવું પડ્યું ભારે, મણિપુરી સંગીતકારની હત્યાથી લાઉડસ્પીકર સંસ્કૃતિ પર ચર્ચા
  • September 16, 2026

Noise Pollution India: દિલ્હીના કિલોકરી વિસ્તારમાં જાણીતા મણિપુરી સંગીતકાર, શિક્ષક અને રૉક બૅન્ડ ફીનિક્સના ગિટારિસ્ટ ચોંગથામ વિક્રમ સિંહની હત્યાએ ભારતમાં વધતા ધ્વનિ પ્રદૂષણ અને જાહેર સ્થળે અવાજના ઉપયોગ અંગે ગંભીર…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Manusmriti and BR Ambedkar: ‘મહારનો કાયદો’ અને ‘ભીમ સ્મૃતિ’થી હિન્દુ કોડ બિલ સુધી, બંધારણ સભાની ઐતિહાસિક ચર્ચા

  • September 16, 2026
  • 3 views
Manusmriti and BR Ambedkar: ‘મહારનો કાયદો’ અને ‘ભીમ સ્મૃતિ’થી હિન્દુ કોડ બિલ સુધી, બંધારણ સભાની ઐતિહાસિક ચર્ચા

Noise Pollution India: ‘અવાજ ઓછો કરો’ કહેવું પડ્યું ભારે, મણિપુરી સંગીતકારની હત્યાથી લાઉડસ્પીકર સંસ્કૃતિ પર ચર્ચા

  • September 16, 2026
  • 4 views
Noise Pollution India: ‘અવાજ ઓછો કરો’ કહેવું પડ્યું ભારે, મણિપુરી સંગીતકારની હત્યાથી લાઉડસ્પીકર સંસ્કૃતિ પર ચર્ચા

UAPA Bail Long Custody: UAPA કેસોમાં લાંબી કસ્ટડી સામે જામીનનો સવાલ, અદાલતોના તાજેતરના નિર્ણયો ચર્ચામાં

  • September 16, 2026
  • 5 views
UAPA Bail Long Custody: UAPA કેસોમાં લાંબી કસ્ટડી સામે જામીનનો સવાલ, અદાલતોના તાજેતરના નિર્ણયો ચર્ચામાં

Manipur Violence: નવી સરકાર બાદ મણિપુરમાં કુકી-જો અને નાગા વચ્ચે હિંસાનો નવો તબક્કો, 27ના મોત અને 100થી વધુ ઘરો સળગ્યા

  • September 16, 2026
  • 9 views
Manipur Violence: નવી સરકાર બાદ મણિપુરમાં કુકી-જો અને નાગા વચ્ચે હિંસાનો નવો તબક્કો, 27ના મોત અને 100થી વધુ ઘરો સળગ્યા

‘ફિક્સર વકીલો’ની ઓળખ કરી કૉલેજિયમને માહિતી આપવી જોઈએ – Mahesh Jethmalani

  • September 16, 2026
  • 9 views
‘ફિક્સર વકીલો’ની ઓળખ કરી કૉલેજિયમને માહિતી આપવી જોઈએ – Mahesh Jethmalani

Umar Khalid Documentary Screening: ABVPના વિરોધ બાદ NLSIUમાં ઉમર ખાલિદની ડૉક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ સ્થગિત

  • September 16, 2026
  • 12 views
Umar Khalid Documentary Screening: ABVPના વિરોધ બાદ NLSIUમાં ઉમર ખાલિદની ડૉક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ સ્થગિત