UP: સપા સાંસદ રામજીલાલ સુમનના કાફલા પર હુમલો, વાહનો પર ટાયરો ફેંક્યા, શું છે મામલો?

  • India
  • April 27, 2025
  • 2 Comments

UP: ઉત્તર પ્રદેશના અલીગઢમાં સપા સાંસદ રામજી લાલ સુમનના કાફલા પર હુમલો થયો છે. કરણી સેના અને ક્ષત્રિય મહાસભાના અધિકારીઓએ રામજી લાલ સુમનના કાફલા પર ટાયરો ફેંક્યા હતા. આ હુમલાને કારણે વાહનો એકબીજા સાથે અથડાઈ ગયા હતા.

શું છે મામલો?

હકીકતમાં ગભાણા ટોલ પ્લાઝા પાસે મોટી સંખ્યામાં કરણી સેનાના લોકો એકઠા થયા હતા. તેમણે રામજીલાલના કાફલા પર ટાયર ફેંક્યા, જેના કારણે કાફલા એકબીજા સાથે અથડાયા હતા.

ઉલ્લેખનીય છે કે રામજીલાલ સુમને રાણા સાંગા અંગે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. કરણી સેના આ નિવેદન બદલ રામજી લાલ સુમન પાસેથી માફી માંગવાની માંગ કરી રહી છે.

સમાજવાદી પાર્ટીના પ્રદેશ પ્રમુખે હુમલાનો વિરોધ કર્યો

સમાજવાદી પાર્ટીના પ્રદેશ પ્રમુખ શ્યામ લાલ પાલે રામજી લાલ સુમનના કાફલા પર થયેલા હુમલાનો વિરોધ કર્યો છે. તેમણે કહ્યું છે કે કરણી સેના અને સરકારે આ મામલે માફી માંગવી જોઈએ.

રામજીલાલ સુમનના કયા નિવેદન પર કરણી સેના રોષ

રાણા સાંગા પર સપા સાંસદ રામજી લાલ સુમનના નિવેદનથી કરણી સેના ગુસ્સે છે. તેમણે 21 માર્ચ 2025 ના રોજ રાજ્યસભામાં આ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, ‘ભાજપના લોકોનો આ એક વાક્ય બની ગયું છે કે મુસ્લિમોમાં બાબરનો ડીએનએ છે.’ હિન્દુઓમાં કોનો ડીએનએ છે? બાબરને કોણ લાવ્યો? ઇબ્રાહિમ લોદીને હરાવવા માટે રાણા સાંગા બાબરને ભારત લાવ્યા હતા.

આ નિવેદનમાં રામજીલાલ સુમને રાણા સાંગાને “દેશદ્રોહી” ગણાવ્યા હતા અને દાવો કર્યો હતો કે તેમણે બાબરને ભારતમાં આમંત્રણ આપ્યું હતું, જેના કારણે કરણી સેના અને અન્ય સંગઠનોમાં રોષ ફેલાયો હતો. કરણી સેનાએ આને રાણા સાંગાનું અપમાન માન્યું અને વિરોધમાં 26 માર્ચ 2025ના રોજ આગ્રામાં સુમનના નિવાસસ્થાન પર હુમલો કર્યો, જેના કારણે તોડફોડ અને હિંસા થઈ.

આ પણ વાંચોઃ

MP: બાઈક સાથે અથડાઈ કાર સીધી કૂવામાં પડી, 5ના મોત, કારમાં બે બાળકો સહિત 13 લોકો હતા

ભારતે સિંધુ જળ સંધિ સ્થગિત કરી, પાકિસ્તાને શીમલા કરાર, પાકિસ્તાનની ચાલ ક્યારે સમજશો? | Indus Water Treaty

Pahalgam Attack: પાકિસ્તાનને દોષિત ઠેરવ્યા પહેલા ભારત પુરાવા આપે: શાહિદ આફ્રિદી

Telangana: પત્રકારત્વની કથળેલી સ્થિતિને લઈ ચર્ચા, લોકોનો મિડિયા પર ભરોસો કેમ ઘટ્યો?

મહિલાના સ્તન અડવાનો પ્રયાસ દુષ્કર્મનો પ્રયાસ નથી: Kolkata  High Court

  Vancouver car accident: કેનેડામાં પૂર ઝડપે આવેલી કારે લોકોના ટોળાને ઉછાળ્યું, કેટલાંકના મોત

 

Related Posts

Pahalgam Attack: અલ્લાહુ અકબર બોલનાર ઝિપલાઇન ઓપરેટરના પિતાએ શું કહ્યું?
  • April 29, 2025

Pahalgam Attack: 22 એપ્રિલે થયેલા પહેલગામ આતંકવાદી હુમલાનો વીડિયો ગઈકાલે વાઈરલ થયો હતો. જેમાં એક ઝિપ લાઇન ઓપરેટર હુમલા દરમિયાન ધાર્મિક સૂત્રોચ્ચાર કરતો જોવા મળ્યો હતો. આ વીડિયો સામે આવ્યા…

Continue reading
Cyber ​​Attack: રાજસ્થાનની સરકારી વેબસાઇટને પાકિસ્તાને હેક કર્યાના આરોપ, શું લખ્યું!
  • April 29, 2025

 Cyber ​​Attack: રાજસ્થાન શિક્ષણ વિભાગની વેબસાઇટ હેક કરતાં ખળભળાટ મચી ગયો છે. પાકિસ્તાન સાયબર ફોર્સે તેના પર પોતાની પોસ્ટ કરી છે. શિક્ષણ વિભાગની વેબસાઇટ ખુલી રહી નથી. વેબસાઇટ પર કાશ્મીરમાં…

Continue reading

One thought on “UP: સપા સાંસદ રામજીલાલ સુમનના કાફલા પર હુમલો, વાહનો પર ટાયરો ફેંક્યા, શું છે મામલો?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Pahalgam Attack: અલ્લાહુ અકબર બોલનાર ઝિપલાઇન ઓપરેટરના પિતાએ શું કહ્યું?

  • April 29, 2025
  • 12 views
Pahalgam Attack: અલ્લાહુ અકબર બોલનાર ઝિપલાઇન ઓપરેટરના પિતાએ શું કહ્યું?

Power outage: વિકસિત દેશો અંધકારમાં ડૂબ્યા, ફ્રાન્સ, સ્પેન અને પોર્ટુગલમાં વીજળી ગુલ, જાણો કારણ

  • April 29, 2025
  • 15 views
Power outage: વિકસિત દેશો અંધકારમાં ડૂબ્યા, ફ્રાન્સ, સ્પેન અને પોર્ટુગલમાં વીજળી ગુલ, જાણો કારણ

MORBI: ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં કોર્ટે જયસુખ સહિત 10 આરોપીની ડિસ્ચાર્જ અરજી રદ

  • April 29, 2025
  • 17 views
MORBI: ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં કોર્ટે જયસુખ સહિત 10 આરોપીની ડિસ્ચાર્જ અરજી રદ

TATA કંપનીએ દ્વારકાના ગામોને બરબાદ કર્યા, ખેડૂતો પાયમાલ, સરકાર શું કરે છે?

  • April 29, 2025
  • 25 views
TATA કંપનીએ દ્વારકાના ગામોને બરબાદ કર્યા, ખેડૂતો પાયમાલ, સરકાર શું કરે છે?

Mehsana: ભલે ગોળી મારી દે, પણ ‘પાકિસ્તાન’ પાછા નહીં જઈએ, મહેસાણામાં રહેતાં હિંદુઓની વેદના

  • April 29, 2025
  • 28 views
Mehsana: ભલે ગોળી મારી દે, પણ ‘પાકિસ્તાન’ પાછા નહીં જઈએ, મહેસાણામાં રહેતાં હિંદુઓની વેદના

Savarkundla: APMCના ડિરેક્ટર અંકુર રામાણીનો આપઘાત

  • April 29, 2025
  • 19 views
Savarkundla: APMCના ડિરેક્ટર અંકુર રામાણીનો આપઘાત