UP Murder Case: પત્ની બળાત્કારના કેસમાં જુબાની આપે તે પહેલા જ હત્યા!, દિયરે શું કહ્યું?

  • India
  • May 12, 2025
  • 1 Comments

UP Murder Case: ઉત્તર પ્રદેશના ઉન્નાવ જિલ્લામાં અચલગંજ વિસ્તારમાંથી એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં એક જ પરિવારના ચાર લોકોના મૃતદેહ મળી આવતા હંગામો મચી ગયો છે. શંકા છે કે પતિએ તેની પત્ની અને બે પુત્રીઓની હત્યા કર્યા બાદ આપઘાત કરી લીધો છે. પોલીસે આ મામલાની સઘન તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે શરીર પર કોઈ નિશાન મળ્યા નથી.

ચારેયના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. ઘટના સ્થળે, પત્ની અને બે પુત્રીઓના મૃતદેહ પલંગ પર પડેલા મળી આવ્યા હતા, જ્યારે પતિનો મૃતદેહ ઘરની છત પર જાળી સાથે બાંધેલા ફાંસીથી લટકતો મળી આવ્યો હતો.

શરીર પર કોઈ ઈજાના નિશાન મળ્યા નથી

ઘટના સમયે, પરિવારના અન્ય સભ્યો રાયબરેલીમાં એક પારિવારિક કાર્યક્રમમાં હાજરી આપવા ગયા હતા. મૃતકના પિતરાઈ ભાઈએ ઘટના અંગે પોલીસને જાણ કરી. આ પછી અચલગંજ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી. હાલમાં પોલીસ આ મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. પોલીસને મૃતકોના શરીર પર કોઈ ઈજાના નિશાન મળ્યા નથી.
‘ભાભી પર રેપ થતાં ગર્ભ પડી ગયો હતો’

મૃતકના કાકાના દિકરાએ કહ્યું  2022માં ભાભી (મૃતક) સાથે બળાત્કારની ઘટના બની હતી, સાથે સાથે તેને મારવામાં આવી હતી. જેના કારણે 4 મહિનાનો ગર્ભ પડી ગયો હતો. આ મામલે કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો. 27મી તારીખે ભાભી આ કેસમાં જુબાની આપવાની હતી. જેથી ચારેયની અન્ય કોઈએ હત્યા કરાવી હોવાની આશંકા સેવાઈ રહી છે.

પોલીસ ટીમ તપાસમાં લાગી

પોલીસે મૃતકનો પંચનામા તૈયાર કર્યો છે અને ચારેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. ઘટનાસ્થળે પહોંચેલા પોલીસ અધિક્ષક દીપક ભુખરે ઘટના સ્થળનું નિરીક્ષણ કર્યું. તેમણે કહ્યું કે ચારેય મૃતદેહો પર કોઈ ઈજાના નિશાન મળ્યા નથી. આ ઉપરાંત પોલીસ ટીમ સીસીટીવી ફૂટેજ શોધી રહી છે. મૃતક પતિની ઉંમર 34 વર્ષ જ્યારે પત્નીની ઉંમર 30 વર્ષ હોવાનું કહેવાય છે. બંને છોકરીઓની ઉંમર 10 વર્ષ અને 6 વર્ષ હોવાનું કહેવાય છે. પહેલી નજરે, પતિએ તેની પત્ની અને બે પુત્રીઓની હત્યા કર્યા બાદ ફાંસી લગાવીને આત્મહત્યા કરવાનો મામલો લાગે છે. પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે.

આ પણ વાંચોઃ

MP: પોલીસે પીછો કરતાં દુષ્કર્મનો આરોપી હાઈટેન્શન લાઈન પર ચઢી ગયો, પછી શું થયું?

ભાજપા નેતાઓની હત્યા-આત્મહત્યાઓનો ઈતિહાસ, ભાજપાના ગુંડાઓ કેમ ફૂલ્યા ફાલ્યા? | Murder-suicide

ભારતીય સૈન્ય હાજરીનો વિરોધ કરનાર માલદીવને ભારતે 50 મિલિયન ડોલરની સહાય કરી

ભારતીય સૈન્ય હાજરીનો વિરોધ કરનાર માલદીવને ભારતે 50 મિલિયન ડોલરની સહાય કરી

બચ્ચને યુદ્ધવિરામ બાદ એવું તે શું લખ્યું કે પોસ્ટ જબરજસ્ત વાઈરલ થઈ? | Amitabh Bachchan

Ahmedabad: સાબરમતી નદીનું પાણી ખાલી કરાયું

ભારત-પાકિસ્તાન વચ્ચે આજે વાતચીત, ભારતને સીઝ ફાયર કેમ કરવું પડ્યુ? | Ceasefire

PM મોદીને પદ પર રહેવાનો કોઈ અધિકાર નથી, દેશ સાથે દગો કર્યો: સંજય રાઉત | ceasefire

 

 

 

Related Posts

Pune Bridge Collapsed: નદીના તીવ્ર પ્રવાહમાં લોકો તણાઈ ગયા, બચાવકાર્યમાં મુશ્કેલી, પુલ પર 100 લોકો હતા
  • June 15, 2025

Maharashtra Pune, Indrayani river bridge Collapsed: મહારાષ્ટ્રના પૂણેમાં આવેલા પિંપરી ચિંચવાડમાં ઈન્દ્રાયણી નદી પરનો પુલ તૂટી પડ્યો. ઘટના સમયે ઘટનાસ્થળે ભારે ભીડ હતી અને પ્રારંભિક માહિતી મુજબ 20 થી 25…

Continue reading
Adani’s Haifa port attack: ઈરાનનના નિશાને ઈઝરાયલની તેલ રિફાયનરીઓ, અદાણી મુશ્કેલીમાં, જાણો કારણ!
  • June 15, 2025

Adani’s Haifa port attack: ઈરાન અને ઈઝરાયલ વચ્ચેનો સંઘર્ષ વધુ તીવ્ર બની રહ્યો છે. શનિવારે ઈરાને ઈઝરાયલના દરિયાકાંઠાના શહેર હાઈફાને નિશાન બનાવીને અનેક બેલિસ્ટિક મિસાઈલો છોડી હતી. હાઈફા ઈઝરાયલનું એક…

Continue reading

One thought on “UP Murder Case: પત્ની બળાત્કારના કેસમાં જુબાની આપે તે પહેલા જ હત્યા!, દિયરે શું કહ્યું?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Pune Bridge Collapsed: નદીના તીવ્ર પ્રવાહમાં લોકો તણાઈ ગયા, બચાવકાર્યમાં મુશ્કેલી, પુલ પર 100 લોકો હતા

  • June 15, 2025
  • 16 views
Pune Bridge Collapsed: નદીના તીવ્ર પ્રવાહમાં લોકો તણાઈ ગયા, બચાવકાર્યમાં મુશ્કેલી, પુલ પર 100 લોકો હતા

Ahmedabad plane crash: દુર્ઘટનાને અંધશ્રદ્ધામાં ખપાવવાનું કાવતરું કોનું?

  • June 15, 2025
  • 17 views
Ahmedabad plane crash: દુર્ઘટનાને અંધશ્રદ્ધામાં ખપાવવાનું કાવતરું કોનું?

Adani’s Haifa port attack: ઈરાનનના નિશાને ઈઝરાયલની તેલ રિફાયનરીઓ, અદાણી મુશ્કેલીમાં, જાણો કારણ!

  • June 15, 2025
  • 22 views
Adani’s Haifa port attack: ઈરાનનના નિશાને ઈઝરાયલની તેલ રિફાયનરીઓ, અદાણી મુશ્કેલીમાં, જાણો કારણ!

Pratapgarh Couple Missing: હનીમૂન માટે સિક્કિમ ગયેલું કપલ 15 થી ગુમ, શોધવા ગયેલો પરિવાર નિરાશ

  • June 15, 2025
  • 12 views
Pratapgarh Couple Missing: હનીમૂન માટે સિક્કિમ ગયેલું કપલ 15 થી ગુમ, શોધવા ગયેલો પરિવાર નિરાશ

Ahmedabad Plane Crash: તુર્કીએ કહ્યું વિમાનનું મેન્ટેનન્સ કઈ કંપનીએ કર્યું તે અમે જાણીએ છીએ પણ….

  • June 15, 2025
  • 31 views
Ahmedabad Plane Crash: તુર્કીએ કહ્યું વિમાનનું મેન્ટેનન્સ કઈ કંપનીએ કર્યું તે અમે જાણીએ છીએ પણ….

Pune Bridge Collapsed: પુણેમાં નદી પરનો પુલ તૂટી પડ્યો, 10 થી 15 લોકો તણાયા, બચાવ કામગીરી ચાલુ

  • June 15, 2025
  • 18 views
Pune Bridge Collapsed: પુણેમાં નદી પરનો પુલ તૂટી પડ્યો, 10 થી 15 લોકો તણાયા, બચાવ કામગીરી ચાલુ