Banke Bihari Temple Video Viral: મંદિરમાં મારા પ્રાઈવેટ પાર્ટને ટચ કર્યો, ખૂબ ખરાબ ઘટના, મહિલા શું બોલી?

  • India
  • July 11, 2025
  • 0 Comments

Vrindavan Banke Bihari Temple Video Viral: ઉત્તર પ્રદેશના ભગવાન શ્રીકૃષ્ણની નગરી વૃંદાવનમાં આવેલા પ્રખ્યાત બાંકે બિહારી મંદિરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેણે ધાર્મિક સ્થળો પર મહિલાઓની સુરક્ષાને લઈને ફરી એકવાર સવાલો ઉભા કર્યા છે. એક મહિલાએ આરોપ લગાવ્યો છે કે મંદિરમાં દર્શન દરમિયાન ભીડનો લાભ લઈને કોઈએ તેના પ્રાઈવેટ અંગોને સ્પર્શ કર્યો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં પીડિત મહિલાએ આ ઘટના વિશે ખુલાસો કરતાં અન્ય મહિલાઓને સુરક્ષા સાથે મંદિર આવવાની સલાહ આપી છે.

મહિલા શું કહે છે?

વાયરલ વીડિયોમાં મહિલાએ રોષભેર જણાવ્યું કે, “બાંકે બિહારી મંદિરમાં દર્શન માટે આવેલા લોકોમાંથી કેટલાક લોકો ભીડનો ફાયદો ઉઠાવીને ગંદી હરકતો કરે છે. મેં આવી ખરાબ ઘટનાનો સામનો કર્યો, જેમાં મારા પ્રાઈવેટ અંગોને સ્પર્શ કરવામાં આવ્યો. આ ખૂબ જ શરમજનક અને નિંદનીય છે.” તેણે ઉમેર્યું કે, “લોકો દર્શનના નામે મંદિરમાં આવે છે, પરંતુ કેટલાક હલકી માનસિકતા ધરાવતા લોકો આવી ઘટનાઓને અંજામ આપે છે. હું બધી મહિલાઓને અપીલ કરું છું કે મંદિરમાં હંમેશા સુરક્ષા સાથે આવો, કારણ કે આવી ઘટના કોઈની પણ સાથે બની શકે છે.”

બાંકે બિહારી મંદિર વૃંદાવનનું એક પ્રમુખ ધાર્મિક સ્થળ છે, જ્યાં દરરોજ હજારો શ્રદ્ધાળુઓ ભગવાન શ્રીકૃષ્ણના દર્શન માટે આવે છે. ખાસ કરીને તહેવારો અને વીકએન્ડ દરમિયાન અહીં ભારે ભીડ જોવા મળે છે. મહિલાએ વીડિયોમાં એમ પણ જણાવ્યું કે, “લોકો અહીં માળાઓ ફેંકીને સગાઈઓ કરે છે, પરંતુ ભીડમાં કેટલાક અસામાજિક તત્વો આવી હરકતો કરીને મંદિરની પવિત્રતાને કલંકિત કરે છે.”

વીડિયો વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા પર લોકોએ આ ઘટનાને લઈને ભારે રોષ વ્યક્ત કર્યો છે. ઘણા યુઝર્સે મંદિર પ્રશાસન અને સ્થાનિક પોલીસને આવી ઘટનાઓ રોકવા માટે કડક પગલાં લેવાની માગ કરી છે. એક યુઝરે લખ્યું, “ધાર્મિક સ્થળો પર પણ મહિલાઓ સુરક્ષિત નથી, આ કેટલું શરમજનક છે! મંદિરમાં CCTV અને સુરક્ષા વ્યવસ્થા હોવી જોઈએ.” અન્ય એક યુઝરે ટિપ્પણી કરી, “આવા લોકોને કડક સજા થવી જોઈએ, જેથી બીજું કોઈ આવી હરકત કરવાની હિંમત ન કરે.”

પીડિત મહિલાએ અન્ય મહિલાઓને સલાહ આપી કે, “મંદિરમાં હંમેશા પ્રોટેક્શન સાથે આવો. જૂથમાં આવવું અને આસપાસની ગતિવિધિઓ પર નજર રાખવી જરૂરી છે.” તેમણે એમ પણ જણાવ્યું કે આવી ઘટનાઓથી ડરવાને બદલે તેનો સામનો કરવો જોઈએ અને પોલીસમાં ફરિયાદ નોંધાવવી જોઈએ.

આ પણ વાંચોઃ

Kanwar Yatra: કાવડ તૂટી જતાં બાઇકચાલકને ભારે માર મરાયો, કાવડિયાઓએ બાઈક પણ તોડી નાખ્યું

Banke Bihari Corridor: બાંકે બિહારી માટે કોરિડોર બનશે જ, તકલીફ હોય તે વૃંદાવન છોડી દે: ભાજપ સાંસદ હેમા માલિનીના નિવેદનથી ભારે વિવાદ, જાણો

UP: બાંકે બિહારી મંદિર કોરિડોર પર વિવાદ વકર્યો, ભક્તોનો ભારે વિરોધ, શું છે મામલો?

Gambhira Bridge Collapse: 18 લોકોના મોત, 2 ગુમ, 4 એન્જિનિયરો સસ્પેન્ડ, સરકારે પોતાના દોષનો ટપલો ઢોળવાનું શરુ કર્યું?

UP: શિવલિંગ પર જળ ચઢાવવાના કારણે દલિત યુવાન પર હુમલો કરાયો, પૂજારીએ કહ્યું મારી વહુ અંગે અશ્લીલ બોલ્યો, જાણો વધુ

UP husband murder: 8 વિઘા જમીન માટે પ્રેમી સાથે મળી પતિને પૂરો કરી નાખ્યો, પછી લાશને….

75 વર્ષની ઉંમર પાર કરનારા નેતાઓએ વિદાય લેવી જોઈએ, ભાગવત નિવેદન આપી ખુદ ફસાઈ ગયા, જાણો | Mohan Bhagwat statement

Bihar: મતદારયાદી સુધારણા પર સ્ટે મૂકવાનો સુપ્રીમ કોર્ટનો ઇનકાર, આધારને કેમ નાગરિકતાનો પુરાવો ન ગણી શકાય?

Gurugram Murder: માતાના જન્મ દિવસે જ પિતાએ પુત્રીને 3 ગોળી મારી, શું અફેર હતુ? જાણો હચમચાવી નાખતો કિસ્સો

Bihar Election: મતદારો પાસે ચૂંટણીપંચ નહીં માગે ડોક્યુમેન્ટ, ‘વસ્તીગણતરી કરવાનું કામ ચૂંટણીપંચનું નથી’

Sabarkantha: ગાંજો રાખવા અને ઉગાડવા મામલે મંદિરના મહંત સહિત બેની ધરપકડ

Gambhira Bridge Collapse: ગંભીરામાં ભૂપેન્દ્ર પટેલ કઈ રીતે જવાબદાર?, મોરબીની ઘટના પછી પણ લોકોને ભૂપેન્દ્ર પટેલ સરકારે ગેરમાર્ગે દોર્યા

Japan Heavy Rain: જાપાનમાં વરસાદે અને વાવાઝોડાએ મચાવી તબાહી, બાબા વેંગાની ભવિષ્યવાણી સાચી પડી!

 

 

 

Related Posts

Col Rohit Chaudhary: સરકારનો દેશના યુવાનો સાથે વિશ્વાસઘાત!, સરકારી નોકરીના વચનથી ફરી ગઈ!
  • October 28, 2025

Col Rohit Chaudhary: કોંગ્રેસ પાર્ટીએ સરકાર પર અગ્નિવીરોને છેતરવાનો આરોપ લગાવતા કહ્યું છે કે પહેલા તેમને નિવૃત્તિ પછી સરકારી નોકરીઓનું વચન આપવામાં આવ્યું હતું, પરંતુ હવે ગૃહ મંત્રાલયે એક જાહેરનામું…

Continue reading
8th Pay Commission: 8મા પગાર પંચની રચનાને કેન્દ્ર સરકારે આપી મંજૂરી, 18 મહિનામાં ભલામણો આપશે, જાણો વધુ
  • October 28, 2025

8th Pay Commission: કેન્દ્રીય મંત્રીમંડળે 8મા પગાર પંચની રચનાને મંજૂરી આપી દીધી છે. આ પંચ 18 મહિનાની અંદર તેની ભલામણો રજૂ કરશે. આનાથી કેન્દ્ર સરકારના આશરે 50 લાખ કર્મચારીઓ અને…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

રશિયાને મોટો ફટકો, ટ્રમ્પના પ્રેશરથી લુકોઈલે પોતાની વિદેશી કંપનીઓ વેચવા કાઢી! | Russia | US

  • October 28, 2025
  • 4 views
રશિયાને મોટો ફટકો, ટ્રમ્પના પ્રેશરથી લુકોઈલે પોતાની વિદેશી કંપનીઓ વેચવા કાઢી! | Russia | US

Gujarat ST: પોરબંદર-વેરાવળ લોકલ બસને એક્સપ્રેસ બનાવી દીધી, ગુજરાત ST ની તહેવારી લૂંટ! 

  • October 28, 2025
  • 17 views
Gujarat ST: પોરબંદર-વેરાવળ લોકલ બસને એક્સપ્રેસ બનાવી દીધી, ગુજરાત ST ની તહેવારી લૂંટ! 

Col Rohit Chaudhary: સરકારનો દેશના યુવાનો સાથે વિશ્વાસઘાત!, સરકારી નોકરીના વચનથી ફરી ગઈ!

  • October 28, 2025
  • 7 views
Col Rohit Chaudhary: સરકારનો દેશના યુવાનો સાથે વિશ્વાસઘાત!, સરકારી નોકરીના વચનથી ફરી ગઈ!

 Amreli:રાજુલાના ધારેશ્વરની ધાતરવડી નદીમાં ન્હાવા પડેલા 4 યુવાનો ડૂબ્યા, મામલતદાર અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી

  • October 28, 2025
  • 20 views
 Amreli:રાજુલાના ધારેશ્વરની ધાતરવડી નદીમાં ન્હાવા પડેલા 4 યુવાનો ડૂબ્યા, મામલતદાર અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી

કચ્છમાં મોટા પ્રમાણમાં મેન્ગ્રોવ ઉછેરવાનો દાવો PM મોદીનો ખોટો? | Mangrove Trees

  • October 28, 2025
  • 18 views
કચ્છમાં મોટા પ્રમાણમાં મેન્ગ્રોવ ઉછેરવાનો દાવો PM મોદીનો ખોટો? | Mangrove Trees

BOTAD:કપાસના કળદા વિવાદમાં મોદીની બેઇમાની, 2010 માં મનમોહનને જવાબદાર ઠેરવતા આજે તો પોતાની જ સરકારની નીતિઓએ ખેડૂતોને બરબાદ કર્યા!

  • October 28, 2025
  • 6 views
BOTAD:કપાસના કળદા વિવાદમાં મોદીની બેઇમાની, 2010 માં મનમોહનને જવાબદાર ઠેરવતા આજે તો પોતાની જ સરકારની નીતિઓએ ખેડૂતોને બરબાદ કર્યા!