Bihar Election: મતદારો પાસે ચૂંટણીપંચ નહીં માગે ડોક્યુમેન્ટ, ‘વસ્તીગણતરી કરવાનું કામ ચૂંટણીપંચનું નથી’

  • India
  • July 9, 2025
  • 0 Comments

Bihar Election Commission: વર્ષે બિહારમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજવા જઈ રહી છે. આ પહેલા બિહારમાં માત્ર એક જ મહિનામાં મતદારયાદીમાં સુધારો કરતાં લોકો અને વિપક્ષો રોષે ભરાયા છે. કારણે ચૂંટણીપંચ 11  જેટલાં ડોક્યુમેન્ટ લોકો પાસે માગી રહ્યું હતુ. જો કે આ ડોક્યુમેન્ટ ન હોત તો નાગરિકો મત અધિકાર ગુમવી દેત. ત્યારે હવે ચૂંટણીપંચે સુપ્રિમ કોર્ટમાં સુનાવણી થાય તે પહેલા જ ઝૂંકવું પડ્યું છે અને નાગરિકો પાસે ડોક્યુમેન્ટ નહીં માગી શકે.  જોકે હવે મતદારો ફોટા કે દસ્તાવેજો જોડ્યા વિના બૂથ લેવલ ઓફિસર (BLO) ને ફોર્મ સબમિટ કરી શકશે.

વિરોધનો સામનો કરતાં નિયમો હળવા કર્યા

આ મુદ્દે સતત ચાલી રહેલા રાજકીય વિરોધની અસર ચૂંટણીપંચ પર પડી છે. બિહારના મુખ્ય અખબારોમાં જાહેરાત આપીને ચૂંટણીપંચે નિયમોમાં છૂટછાટ આપવાની જાહેરાત કરી છે. એવું કહેવામાં આવ્યું છે કે જો કોઈ ફોટો વગર અને દસ્તાવેજો વગર ફોર્મ સબમિટ કરે છે, તો તેનું ફોર્મ પણ સ્વીકારવામાં આવશે. તે 25 જુલાઈ પછી પણ જરૂરી દસ્તાવેજો અપલોડ કરી શકશે.

25 જુલાઈ સુધી મતગણતરી ફોર્મ સબમિટ કરવાના રહેશે

ઉલ્લેખનીય છે કે બિહારમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એટલે કે વોટર ઇન્ટેન્સિવ વેરિફિકેશન અંગેનો વિવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો. ચૂંટણીપંચના જણાવ્યા અનુસાર, 25 જુલાઈ સુધીમાં તમામે મતગણતરી ફોર્મ સબમિટ કરવાના રહેશે. આ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. ચૂંટણીપંચ જે 11 પ્રમાણપત્રો માંગણી કરતી હતી તે સામાન્ય રીતે દરેક ઘરમાં જોવા મળતા નથી. જોકે મામલો સુપ્રિમ કોર્ટમાં પહોંચતાં ચૂંટણીપંચે ઝૂંકવું પડ્યું છે. તે હવે ડોક્યુમેન્ટ નહીં માગે.

વિરોધ પક્ષોને ચૂંટણીપંચ પર વિશ્વાસ ન હતો. તેમને ડર હતો કે આ પ્રક્રિયા લાખો મતદારો યાદીમાંથી બહાર થઈ જશે. આનાથી તેમને સૌથી વધુ નુકસાન થશે.

‘વસ્તીગણતરી કરવાનું કામ ચૂંટણીપંચનું નથી’

ચૂંટણીપંચ બિહારમાં મતદાર યાદી તૈયાર કરી રહ્યું છે કે જનગણના કરી રહ્યું છે? પંચ જે ફોર્મ ભરાવી રહ્યું છે, તેનું નામ “ગણના પત્રક પ્રારૂપ” છે, જે કોઈ પણ વ્યક્તિ https://voters.eci.gov.in વેબસાઈટ પર જોઈ શકે છે. જેથી લોકો કહે છે કે જનગણના કરવાનું કામ ચૂંટણી પંચનું નથી, તે માટે અલગ વિભાગ છે. તો શું ચૂંટણીપંચ બંધારણે આપેલા અધિકારોનું ઉલ્લંઘન કરી રહ્યું છે અને સુપર બંધારણીય સંસ્થા બનવા માંગે છે? ચૂંટણીપંચે સ્પષ્ટ કરવું જોઈએ કે તે કયા અધિકાર હેઠળ આ ગણના પત્રક ભરાવી રહ્યું છે. પંચનું કામ મતદાર યાદી તૈયાર કરવાનું છે, તો આ ગણના કયા હેતુથી અને કોની કરી રહ્યું છે?

આ પણ વાંચોઃ

Nirav Soni Arrest: નડિયાદમાં 1 કરોડથી વધુનું ફૂલેકું ફેરવનાર નીરવ સોની પોલીસ સકંજામાં, બે દિવસના રિમાન્ડ પર, મહિલાને આ રીતે છેતરી!

Bhavnagar: 19 વર્ષિય કિન્નરનો આપઘાત, મંજૂરી વગર PM કરી નાખ્યું, પરિવારે કહ્યું અતુલ ચૌહાણ….

Rajkot: રાજકોટમાં કલેક્ટર કચેરીનો ઘેરાવ, રોડ નહીં તો ટોલ નહીં, નીતિન ગડકરી પર પ્રહાર

UP: ‘સંતાન જોઈએ તો ટોઈલટનું પાણી પી’, ભૂવાએ મહિલાનું મા બનાવાનું સ્વપ્ન છીનવી લીધુ, જાણો હચમચાવી નાખતી ઘટના

Bageshwar wall collapse: બાગેશ્વર ધામમાં ફરી દિવાલ પડવાથી મહિલાનું મોત, 11ને ઈજાઓ, ધીરેન્દ્ર શાસ્ત્રીની પોલ ખૂલી!

Bengaluru: બ્રેકઅપ થતાં બોયફ્રેન્ડને અશ્લીલ મેસેજ મોકલ્યા, યુવતીએ નગ્ન કરી ભગાડી ભગાડીને માર મરાવ્યો, જાણો સમગ્ર ઘટના

MP: પાડોશણ સાથે લગ્ન કરવા ભારે પડ્યા, ‘તારા હાલ ઇન્દોરના રાજા જેવા કરીશ’, ધર્મ પરિવર્તનના દબાણથી પતિએ આ શું કર્યુ?

ત્રીજા સ્ટેજના કેન્સર સામે ઝઝૂમતી બહેનને જોઈ 10 વિકેટ લેનારા આકાશદીપ દુઃખી, બહેને શું કહ્યું? |  Akashdeep

Amit Shah: અમિત શાહને ગુજરાતના લોકો કેમ ધિક્કારે છે?

Bihar Election: બિહારી મતદારો પર લટકતી તલવાર, ભારતીય હોવાનું જાતે પુરવાર કરે, મતનો હક છીનવવાનું સડયંત્ર કોનું?

 

 

Related Posts

Ram Mandir Gujarat Contribution: રામ મંદિરના ગુજરાતના અબજો રૂપિયા, મંદિર માટે ૨૦૦ કરોડનું સોનું સુરતનું, ગુજરાતનો ખજાનો સલામત કે ગુમ?
  • June 18, 2026

Ram Mandir Gujarat Contribution: ૧૯૮૪માં વિશ્વ હિન્દુ પરિષદ (VHP) દ્વારા શરૂ થયેલું રામજન્મભૂમિ મુક્તિ અભિયાન માત્ર એક રાજકીય આંદોલન નહોતું, પરંતુ તે લાખો લોકોની આસ્થાનું કેન્દ્ર બની ગયું હતું. ગુજરાતના અમદાવાદ,…

Continue reading
Freedom of Religion: શું આધુનિક ભારતમાં પોતાની પસંદગીનો ધર્મ અને આરાધ્ય પસંદ કરવાની આઝાદી બચી છે?
  • June 18, 2026

Freedom of Religion: કવિ તુલસીદાસે વિનય પત્રિકામાં લખ્યું હતું કે જે રામ અને સીતાના પ્રિય નથી, તેમને ત્યજી દેવા જોઈએ. પરંતુ આજના આધુનિક ‘હિંદુત્વ’એ આ પંક્તિનો અર્થ સંપૂર્ણપણે બદલી નાખ્યો…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Ram Mandir Gujarat Contribution: રામ મંદિરના ગુજરાતના અબજો રૂપિયા, મંદિર માટે ૨૦૦ કરોડનું સોનું સુરતનું, ગુજરાતનો ખજાનો સલામત કે ગુમ?

  • June 18, 2026
  • 3 views
Ram Mandir Gujarat Contribution: રામ મંદિરના ગુજરાતના અબજો રૂપિયા, મંદિર માટે ૨૦૦ કરોડનું સોનું સુરતનું, ગુજરાતનો ખજાનો સલામત કે ગુમ?

Nepal-China relations impact: નેપાળ-ચીન સંબંધોમાં નવી દિશા, ભારત માટે પડકાર કે પ્રાદેશિક સહકારની નવી તક?

  • June 18, 2026
  • 4 views
Nepal-China relations impact: નેપાળ-ચીન સંબંધોમાં નવી દિશા, ભારત માટે પડકાર કે પ્રાદેશિક સહકારની નવી તક?

Freedom of Religion: શું આધુનિક ભારતમાં પોતાની પસંદગીનો ધર્મ અને આરાધ્ય પસંદ કરવાની આઝાદી બચી છે?

  • June 18, 2026
  • 7 views
Freedom of Religion: શું આધુનિક ભારતમાં પોતાની પસંદગીનો ધર્મ અને આરાધ્ય પસંદ કરવાની આઝાદી બચી છે?

Odisha Textbook Errors: ઓડિશાના નવા પાઠ્યપુસ્તકોમાં 1,678 ભૂલો, શિક્ષકો-વાલીઓમાં રોષ

  • June 18, 2026
  • 8 views
Odisha Textbook Errors: ઓડિશાના નવા પાઠ્યપુસ્તકોમાં 1,678 ભૂલો, શિક્ષકો-વાલીઓમાં રોષ

Priyank Kharge RSS: RSSની પારદર્શિતા મુદ્દે પ્રિયંક ખડગેનો સવાલ, પ્રતિબંધ નહીં પરંતુ કાનૂની જવાબદારીની માંગ

  • June 18, 2026
  • 8 views
Priyank Kharge RSS: RSSની પારદર્શિતા મુદ્દે પ્રિયંક ખડગેનો સવાલ, પ્રતિબંધ નહીં પરંતુ કાનૂની જવાબદારીની માંગ

Gujarat Teachers Protest: શું અનુભવની કિંમત નથી? TET પરીક્ષા ફરજિયાત સામે ગુજરાતભરમાં શિક્ષકોનો જબરદસ્ત વિરોધ!

  • June 18, 2026
  • 10 views
Gujarat Teachers Protest: શું અનુભવની કિંમત નથી? TET પરીક્ષા ફરજિયાત સામે ગુજરાતભરમાં શિક્ષકોનો જબરદસ્ત વિરોધ!