Vadodara:”સરકાર અને પોલીસની નિષ્ફળતાઓ બતાવો 5 લાખનું ઈનામ મેળવો” સ્વેજલ વ્યાસ

Vadodara: વડોદરાના જાણીતા સામાજિક કાર્યકર્તા સ્વેજલ વ્યાસે ગુજરાત સરકાર અને પોલીસ ખાતાની નિષ્ફળતાઓને ઉજાગર કરતું ડેકોરેશન કરનાર ગણેશ પંડાલ મંડળને 5 લાખ રૂપિયાના ઈનામની જાહેરાત કરી છે. આ નિર્ણયનો હેતુ સમાજમાં જાગૃતિ ફેલાવવાનો અને સરકારની જવાબદારી તરફ ધ્યાન દોરવાનો છે. સ્વેજલ વ્યાસનું કહેવું છે કે શહીદોના બલિદાનનો રાજકીય લાભ લેવાના પ્રયાસો રાષ્ટ્રપ્રેમનું અપમાન છે, અને સાચો દેશપ્રેમ એ જ શહીદોના સન્માનમાં રહેલો છે.

સ્વેજલ વ્યાસની 5 લાખના ઈનામની જાહેરાત

સામાજિક કાર્યકર્તા સ્વેજલ વ્યાસે જાહેરાત કરી છે કે, નિષ્ફળતા સ્વીકારે હર્ષ સંઘવી, દેશના સૈનિકોની વીરતાને તમારી નિષ્ફળતા છુપાવા ના ઉપયોગ કરો. સુરતના હર્ષ સંઘવીના વિધાનસભામાં કોઈ મંડળમાં તાકાત હોય તો સરકારની નિષ્ફળતાનું ડેકોરેશન કરી બતાવે હું 5 લાખ એ મંડળને આપીશ.

 

હર્ષ સંઘવીની ઓપરેશન સિંદૂરના થીમ પર ડેકોરેશન કરવાની જાહેરાત

આ જાહેરાત એવા સમયે થઈ છે જ્યારે રાજ્યના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના મંત્રી હર્ષ સંઘવીએ ‘શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ની ઘોષણા કરી છે, જેમાં તેમણે જણાવ્યું કે, રાજ્યભરમાં થીમ આધારિત પંડાલોનું મૂલ્યાંકન કરી 52.50 લાખ રૂપિયાના રોકડ પુરસ્કારો આપવાની યોજના છે. આ પ્રતિયોગિતાને ‘ઓપરેશન સિંદૂર’ના નામે રાજકીય રંગ આપવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાનો આક્ષેપ સ્વેજલ વ્યાસે કર્યો છે.

સ્વેજલ વ્યાસે નાગરિકોને સરકાર અને સત્તાધારીઓને પારદર્શી અને જવાબદાર બનાવવા માટે અવાજ ઉઠાવવા અપીલ કરી છે. તેમનું કહેવું છે કે આ ઈનામ એવા લોકોને પ્રોત્સાહિત કરશે જેઓ સાહસપૂર્વક સરકારની નિષ્ફળતાઓને સામે લાવશે. આ પહેલ ગણેશ મહોત્સવને માત્ર ઉત્સવ નહીં, પરંતુ સામાજિક જાગૃતિના માધ્યમ તરીકે ઉપયોગ કરવાનો એક અનોખો પ્રયાસ છે.

એક તરફ રાજકીય લાભ બીજી તરફ જાગૃતિનો પ્રયાસ

આ બંને જાહેરાતોએ વડોદરામાં ગણેશ મહોત્સવ-2025ને લઈને ચર્ચાનો નવો વિષય ઉભો કર્યો છે, જેમાં એક તરફ ઓપરેશન સિંદૂરના રાજકીય લાભ લેવાનો પ્રયાસ અને બીજી તરફ સામાજિક જાગૃતિનો પ્રયાસ જોવા મળી રહ્યો છે. ત્યારે હવે લોકો શું પસંદ કરે છે તે તો સમય જ બતાવશે.

આ પણ વાંચો:

Mumbai: અનિલ અંબાણી ફરી મુશ્કેલીમાં ઘેરાયાં, છેતરપિંડીના કેસમાં ED બાદ CBIના દરોડા

Uttarakhand: ચમોલીમાં વાદળ ફાટવાથી ભારે વિનાશ,ઘરોમાં ઘૂસી ગયો કાટમાળ

Amit shah on SIR : શું અમિત શાહ પાસે ટાઈમ મશીન છે? લોકો કેમ ઉડાવી રહ્યા છે મજાક?

Rajasthan: હોસ્ટેલની ડરાવની હકીકત, પથારી ભીની કરનારા બાળકો સાથે આવો વ્યવહાર

UP: આજના યુગમાં પણ વૃદ્ધ દંપતીનો અનોખો પ્રેમ, 72 વર્ષની પત્ની પતિને બચાવવા માટે નહેરમાં કૂદી પડી

Related Posts

Ahmedabad Congress Protest: મોંઘવારી અને નીટ કૌભાંડ મુદ્દે કોંગ્રેસનો સરકાર સામે અનોખો વિરોધ!
  • June 17, 2026

Ahmedabad Congress Protest: અમદાવાદની ગલીઓ અને બજારોમાં આજે સામાન્ય જનતાનો અવાજ ગુંજ્યો હતો. વધતી જતી કમરતોડ મોંઘવારી અને તાજેતરમાં થયેલા નીટ (NEET) પેપર લીક કૌભાંડના વિરોધમાં અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિ…

Continue reading
Gujarat Farmers Protest: ૨૦૦૩નું ખેડૂત આંદોલન, મોદીની લાઠી છતાં વિજય
  • June 17, 2026

Gujarat Farmers Protest: ગુજરાતના રાજકીય ઇતિહાસમાં ૨૦૦૩-૨૦૦૪નો ગાળો એક એવા વળાંક તરીકે નોંધાયેલો છે, જેણે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની છબી એક અત્યંત જીદ્દી અને સત્તાધીશ રાજનેતા તરીકે સ્થાપિત કરી હતી.…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Ahmedabad Congress Protest: મોંઘવારી અને નીટ કૌભાંડ મુદ્દે કોંગ્રેસનો સરકાર સામે અનોખો વિરોધ!

  • June 17, 2026
  • 3 views
Ahmedabad Congress Protest: મોંઘવારી અને નીટ કૌભાંડ મુદ્દે કોંગ્રેસનો સરકાર સામે અનોખો વિરોધ!

Gujarat Farmers Protest: ૨૦૦૩નું ખેડૂત આંદોલન, મોદીની લાઠી છતાં વિજય

  • June 17, 2026
  • 8 views
Gujarat Farmers Protest: ૨૦૦૩નું ખેડૂત આંદોલન, મોદીની લાઠી છતાં વિજય

Ankita Bhandari Case: અંકિતા ભંડારી કેસના ‘વીઆઈપી’ વિવાદમાં નવો વળાંક, ભાજપના પૂર્વ ધારાસભ્યની ધરપકડ

  • June 16, 2026
  • 7 views
Ankita Bhandari Case: અંકિતા ભંડારી કેસના ‘વીઆઈપી’ વિવાદમાં નવો વળાંક, ભાજપના પૂર્વ ધારાસભ્યની ધરપકડ

Chhattisgarh School Prayer: શિક્ષણ કે ધાર્મિક એજન્ડા? છત્તીસગઢની શાળાઓમાં દિવસમાં ત્રણ વખત પ્રાર્થના ફરજિયાત

  • June 16, 2026
  • 5 views
Chhattisgarh School Prayer: શિક્ષણ કે ધાર્મિક એજન્ડા? છત્તીસગઢની શાળાઓમાં દિવસમાં ત્રણ વખત પ્રાર્થના ફરજિયાત

Akal Takht Bhagwant Mann: પંજાબમાં રાજકીય-ધાર્મિક ભૂકંપ, અકાલ તખ્તે મુખ્યમંત્રી ભગવંત માનને કહ્યા ‘ગુરુ દોષી’

  • June 16, 2026
  • 10 views
Akal Takht Bhagwant Mann: પંજાબમાં રાજકીય-ધાર્મિક ભૂકંપ, અકાલ તખ્તે મુખ્યમંત્રી ભગવંત માનને કહ્યા ‘ગુરુ દોષી’

NEET re exam Telegram ban: પરીક્ષા માફિયાઓ સામે કાર્યવાહી કે ડિજિટલ નિયંત્રણ? ૨૨ જૂન સુધી ટેલિગ્રામ પર પ્રતિબંધ

  • June 16, 2026
  • 14 views
NEET re exam Telegram ban: પરીક્ષા માફિયાઓ સામે કાર્યવાહી કે ડિજિટલ નિયંત્રણ? ૨૨ જૂન સુધી ટેલિગ્રામ પર પ્રતિબંધ