
Vadodara: વડોદરામાં હરણી બોટ દુર્ઘટના અને અન્ય મુદ્દાઓને લઈ સરકાર સામે અવાજ ઉઠાવનાર ભાજપના કોર્પોરેટર આશિષ જોષીને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા બાદ વડોદરા મહાનગરપાલિકા દ્વારા જમીન પર દબાણના આરોપસર નોટીસ ફટકારવામાં આવી હતી. પરંતુ આ નોટીસ ફટકારવામાં તંત્રએ એટલી ઉતાવળ કરી કે આશિષ જોષીના નામે ઘર ન હોવા છતા તેમને નોટીસ આપી દેવામાં આવી. જો કે આખરે તંત્રને ઉતાવળમાં કરેલી ભુલનું ભાન થતા તેમણે નોટીસ પરત ખેંચવી પડી હતી.
આશિષ જોષી સહિત 11 લોકો સામેની નોટિસ પરત ખેંચાઈ
સરકાર અને સત્તા સામે તમે બોલશો તો તેનું પરિણામ શું આવે શકી તે આશિષ જોષી સાથે બનેલી ઘટનાથી સાબિત થાય છે. હરણી બોટ કાંડના પીડિતને ન્યાય અપાવવા માટે કાઉન્સીલર આશિષ જોશી તેમની પડખે ઉભા રહ્યા આ વાત ભાજપને ન ગમી. જેથી તેમની પાર્ટીમાંથી કાઢી મુક્યા.ત્યારબાદ ગત તા. 14મી મેના રોજ આશિષ જોષી, પશુપતિનાથ મંદિરના પુજારી સહિત 20 લોકોને તંત્ર દ્વારા લેન્ડ ગ્રેબીંગની નોટીસ ફટકારવામાં આવી હતી. આ નોટીસ અન્વયે 17 મીએ સાંજે 5 વાગે રહીશો આશિષ જોષીએ પહોંચ્યાં હતાં. ત્યારે સુનાવણીના અડધા કલાક પહેલાં જ આશિષ જોષી, મંદિરના પૂજારી સહિત 11 લોકો સામેની લેન્ડગ્રેબિંગની નોટિસ પરત ખેંચી લીધી હતી. જ્યારે 9 લોકો સામે નોટિસ યથાવત રાખવામા આવી હતી.
એડવોકેટ હિતેષ ગુપ્તાએ શું કહ્યું ?
આ મામલે એડવોકેટ હિતેષ ગુપ્તાના જણાવ્યા મુજબ વાઘોડીયા રોડ પર આવેલા રતિલાલ પાર્કમાં રહેતા આશિષ જોષી, પશુપતિનાથ મંદિર સહિત કૂલ 20 વ્યક્તિઓને લેન્ડ ગ્રેબીંગની નોટિસ આપવામાં આવી હતી. આ મામલે તેમને કલેક્ટર કચેરી ખાતે હાજર રહેવાનુ હતું. પરંતુ આ લોકો કલેકટર કચેરીએ આવે તે પહેલાજ 20 માથી 11 વ્યક્તિઓની નોટીસ પરત ખેંચી લેવામા આવી હતી. આ નોટીસ અભ્યાસ અને જરૂરી જાણકારી વગર આપવામાં આવી કારણ કે, રેકોર્ડ પર વિગતો કંઇ જુદી જ છે, કેમ કે, આશિષ જોષીના નામે રતિલાલ પાર્કમાં એક પણ જગ્યા નથી તે દાવો કરવામાં આવ્યો છે. જે 135 સ્કેવર મીટર જગ્યાની વાત છે, એ મહાદેવ મંદિર પાસેની ખુલ્લી જગ્યા છે. ત્યાં લોકોએ બીલીપત્રના ઝાડનું રોપણ કર્યું છે. આ બાબત સરકારના ધ્યાને આવતા 11 વ્યક્તિઓની નોટિસ પરત ખેંચી લેવામાં આવી છે.
આ સાથે એડવોકેટ હિતેષ ગુપ્તાએ તમામ જરૂરી પુરાવા રજુ કરીને પોતાનો પક્ષ મુક્યો છે. અને તંત્રની નોટિસનો જવાબ પણ આપ્યો છે. આ સાથે જે વ્યક્તિઓને નોટિસ આપવામાં આવી છે, જેમાં ભગવાન મહાદેવનું મંદિર પણ છે, તો તેમનું પઝેશન રેકોર્ડે પર છે. ભગવાન મહાદેવનું પણ પઝેશન એ જગ્યા પર રેકોર્ડમાં છે. જે તે સમયે સ્થાનિક નેતાઓના યોગદાનથી જ આ મંદિરનું નિર્માણ થયું હતું, તો પછી તેમની સામે પણ કાર્યવાહી થવી જોઇએ. પરંતુ માત્ર આશિષ જોશીને ટાર્ગેટ કરી પક્ષમાંથી કાઢી મુક્યા બાદ તેમને લેન્ડ ગ્રેબીંગની નોટિસ આપવામાં આવી છે.
તંત્રની ભૂલ કે સરકારની ચાપલૂસી !
આ ઘટના બતાવે છે તંત્ર સરકારને સારુ લગાડવા માટે જે પણ સરકારની વિરુદ્ધ બોલે છે તેમની સામે કાર્યવાહી કરે છે અને તે કાર્યવાહી કરવામાં એટલી ઉતાવળ કરે છે કે, તે જોવાનું ભુલાઈ જાયછે કે, જેમની સામે કાર્યવાહી કરી રહ્યા છે તેમના નામે ઘર છે કે નહીં, આ ઘટનાએ તંત્રની પોલ કોલી નાખી છે. જે વર્ષોથી દબાણો હોય છે ત્યાં તંત્ર કાર્યવાહી નથી કરતું અને જ્યારે કોઈ સરકાર વિરુદ્દ બોલે તો તેની સામે ખોટી રીતે કાર્યવાહી કરવી આ કેવી નીતિ છે તંત્રની?
આ પણ વાંચોઃ
Solapur Fire: મહારાષ્ટ્રના સોલાપુરમાં ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, 5 થી 6 લોકો ફસાયા
surendranagar: નશાબંધીના કાયદાના લીરેલીરા ઉડાવતા ભાજપ ધારાસભ્ય, શું હવે પોલીસ કરશે કાર્યવાહી ?
Gujarat Samachar પરના દરોડા કેસમાં હવે શું મોટુ થવાનું છે ?
surat:ચાલુ કથામાં આગતા સ્વાગતાથી પાટીલના પુત્ર પર કથાકારનો પારો છટક્યો, જાહેરમાં જ કરી નાખી ફજેતી
Amreli: વ્યાજખોરોના ત્રાસથી વેપારીએ કર્યો આપઘાત, આરોપી ભાજપ ઉપપ્રમુખની ધરપકડ
Rajkot: લોધિકાના સરપંચ સુધાબેન વસોયા સસ્પેન્ડ, ગ્રામ પંચાયત જમીન કૌભાંડ મામલે કાર્યવાહી
Amreli: વ્યાજખોરોના ત્રાસથી વેપારીએ કર્યો આપઘાત, આરોપી ભાજપ ઉપપ્રમુખની ધરપકડ
ભાગેડુ Nirav Modi ને વધુ એક ઝટકો, લંડનની કોર્ટે 10 મી વખત જામીન ફગાવી દીધા
Donald Trump on Apple: ટિમ કૂક પર ડોનાલ્ડ ટ્રમ્પનો કોઈ પ્રભાવ નહીં! ભારતમાં એપલનો પ્લાન્ટ બનશે
Vadodara: પગાર ન ચુકવાતા સયાજી હોસ્પિ.ના સફાઈ કર્મીઓના ધરણાં, ઉચ્ચારી આંદોલનની ચીમકી
Gujarat Samachar પર રેડ પડવા પાછળ સરકાર વિરોધી લખાણ નહીં, આ છે અસલી કારણો!
The Gujarat report NEWSના Whatsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો:
https://chat.whatsapp.com/LjEq7pr7nY4Ij0y0yswrPF
