
- છાતીમાં દુ:ખાવો અને બેચેની થતાં ઉપાધ્યક્ષ જગદીપ ધનખરને કરાયા AIIMSમાં દાખલ
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર (73 વર્ષ)ને રવિવારે વહેલી સવારે AIIMSમાં દાખલ કરવામાં આવ્યા હતા. હાલ તેમની હાલત સ્થિર છે.
સૂત્રોએ જણાવ્યું કે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરને અસ્વસ્થતા અને છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ AIIMSમાં દાખલ કરવામાં આવ્યા છે. ધનખરને સવારે લગભગ 2 વાગ્યે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ડૉક્ટરોનું એક જૂથ તેમના સ્વાસ્થ્ય પર નજર રાખી રહ્યું છે.
ધનખરને AIIMSના કાર્ડિયોલોજી વિભાગના વડા ડૉ. રાજીવ નારંગની દેખરેખ હેઠળ ક્રિટિકલ કેર યુનિટ (CCU)માં દાખલ કરવામાં આવ્યા છે.
સમાચાર એજન્સીએ સૂત્રોને ટાંકીને કહ્યું કે ઉપરાષ્ટ્રપતિની હાલત સ્થિર છે અને તેમને તબીબી નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી અને બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ ધનખર AIIMSમાં દાખલ થયા બાદ તરત જ તેમની તબિયત પૂછવા એઈમ્સ પહોંચ્યા છે.
આ પણ વાંચો- અમેરિકામાં મંદિરોમાં તોડફોડ- પીએમ મોદી અને હિન્દુ સમાજ વિરૂદ્ધ લખાયા આપત્તિજનક સૂત્રો