Gondal: ગણેશ જાડેજા સામે હત્યાનો આરોપ, તેના પિતા સામે બીજો હત્યાનો આરોપ

Gondal: રાજકોટના ગોંડલમાં થયેલી રાજકુમાર ઝાટની હત્યા કેસ ખૂબ પેચીદો બની રહ્યો છે. રાજકુમારનો પરિવાર ન્યાની ઝંખના કરી રહ્યો છે. મૃતકની બહેને ગણેશ જાડેજા અને તેના પિતા જયરાજસિંહ જાડેજા સામે ગંભીર આરોપ લાગ્યા છે. આ આરોપ બાદ x પર આજે પણ #JusticeForRajkumar ટ્રેડ થઈ રહ્યું છે.

મૃતક રાજકુમાર ઝાટની બહેને પૂર્વ ધારસભ્ય જયરાજસિંહ જાડેજા અને તેના પુત્ર ગણેશ જાડેજાએ મારા ભાઈની હત્યા કરી હોવાનું જણાવી રહી છે. જ્યારે પોલીસ સમગ્ર મામલાને અકસ્માતમાં ખપાવી રહી છે. પરિવાર સતત હત્યાનો આરોપ લગાવી રહ્યો છે. પરિવારે આરોપ લગાવ્યો છે કે જયરાજસિંહના ઘરના સીસીટીવી ફૂટેજ લીધા છે. તે પણ નકલી બનાવ્યા છે. પિતાએ કહ્યું કે તેના ઘરની બહારના સીસીટીવી તપાસો તો સચ્ચાઈ બહાર આવશે.

મૃતકની બહેન પૂજા જાટે શું કહ્યું?

મૃતક રાજકુમાર જાટની બહેન પૂજા જાટે વીડિયોમાં દેશના તમામ નાગરિકોને નિવેદન કરતા જણાવ્યું હતું કે, મારા ભાઈની ગોંડલ શહેરમાં નિર્મમતાથી હત્યા કરવામાં આવી છે. આ હત્યા પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજાએ જ કરી છે. અમે FIR કરવાની ટ્રાય કરી પણ અમારી માંગ કોઈ સાંભળતું જ નથી. ત્યારબાદ અમે હાઈકોર્ટ જવાનો નિર્ણય લીધો છે.

રાજકુમાર જાટ મૂળ રાજસ્થાનના ભીલવાડા જિલ્લાના ઝબરકિયા ગામનો રહેવાસી હતો. પરંતુ તે પરિવાર સાથે ગોંડલમાં રહેતો કરતો હતો. તે ગોંડલના ગાયત્રીનગર વિસ્તારમાં રહેતો હતો અને UPSC (યુનિયન પબ્લિક સર્વિસ કમિશન)ની પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો. તેના પિતા, રતનલાલ જાટ, પાઉંભાજીનો ધંધો કરે છે.

2 માર્ચે રાજકુમાર જાટ સાથે શું થયું?

2 માર્ચ, 2025ના રોજ, રાજકુમાર અને તેના પિતા બાઇક પર ઘરે જઈ રહ્યા હતા, ત્યારે ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના બંગલા પાસેથી પસાર થતી વખતે ગણેશ જાડેજા (જયરાજસિંહના પુત્ર) અને 7-10 અન્ય લોકોએ રાજકુમારને માર માર્યો હોવાનો આરોપ રતનલાલે લગાવ્યો હતો. ત્યાર બાદ બીજા દિવસથી રાજકુમાર જાટ ગુમ થઈ ગયો હતો. પરિવારે ઘણી શોધખોળ હાથ ધરી પણ મળી આવ્યો ન હતો. જેથી પરિવારે પોલીસને જાણ કરી હતી. ત્યારે પોલીસ તપાસમાં તેનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે જણાવ્યું હતુ કે તેનું મૃત્યુ અકસ્માતમાં થયું છે. જોકે પરિવાર સતત હત્યાનો આરોપ લગાવી રહ્યો છે.

પૂર્વ ધારાસભ્ય પર બે હત્યાનો આરોપ

ગોંડલ વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાનો જબરદસ્ત પ્રભાવ છે. જયરાજસિંહ પર અગાઉ પણ હત્યાનો કેસ નોંધાયો હતો. પુત્ર ગણેશ જાડેજા પણ અપરાધિક ગુનોઓ ધરાવે છે. જયરાજસિંહ પર બે ત્યાના આરોપ લાગ્યા છે.

એક કેસમાં તો હાઈકોર્ટે તેમને આજીવન કેદની સજા પણ ફટકારી છે. જોકે હાલમાં સુપ્રીમ કોર્ટે તે સજા પર રોક લગાવી દીધી છે. પરંતુ તેઓ દોષિત હોવાથી ચૂંટણી લડી શક્યા નથી. તેથી તેમના સ્થાને તેમણે તેમની પત્ની ગીતા બા જાડેજાને તે જ વિધાનસભા બેઠક પરથી ભાજપની ટિકિટ અપાવી. ગીતા બા જાડેજા છેલ્લા બે વખતથી તે વિસ્તારના ધારાસભ્ય છે. જયરાજસિંહ અને ગીતાના પુત્ર ગણેશ જાડેજા પર દલિત યુવકને માર મારવાનો આરોપ હતો, જેના કારણે તેમને જેલમાં જવું પડ્યું હતું. હાલમાં તે જામીન પર બહાર છે. જોકે હવે પિતા-પુત્ર રાજકુમાર જાટના હત્યા કેસમાં ફસાયા છે.

 પણ વાંચોઃ

Punjab: પંજાબ પોલીસે 2 પાકિસ્તાની જાસૂસને દબોચ્યા, સેના છાવણીઓ અને એરબેઝના ફોટા મોકલતાં

શિવાનંદ બાબાનું 128 વર્ષની વયે અવસાન, પદ્મશ્રી મેળવનારા દેશના સૌથી વૃદ્ધ વ્યક્તિ! | Shivanand baba

US Plane Crash: ઘરો પર એકાએક વિમાન પડતાં આગ, પાયલોટનું મોત, વાંચો વધુ

રાજસ્થાન બોર્ડર પરથી પાકિસ્તાની રેન્જર ઝડપાયો, જાસૂસી કરતો હોવાના આરોપ | Rajasthan

Gujarat ના હવામાનમાં પલટો, બનાસકાંઠા, મહિસાગરમાં વરસાદ

Amreli: ધારીમાંથી મૌલાનાની ધરપકડ, મોબાઈલમાંથી પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના ગૃપ મળ્યા

 

Related Posts

પૂર્વ મુખ્યમંત્રી Vijay Rupani ના આજે થશે અંતિમ સંસ્કાર, અત્યાર સુધીમાં આટલા મૃતકોના DNA સેમ્પલ મળ્યા
  • June 16, 2025

Vijay Rupani : અમદાવાદમાં વિમાન દુર્ઘટના પછી, મૃતદેહોની ઓળખ માટે એકત્રિત કરાયેલા સંબંધીઓના ડીએનએ નમૂનાઓ સાથે 90 મૃતદેહોના ડીએનએ નમૂનાઓ મેચ થયા છે, જેમાં ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નામ…

Continue reading
Ahmedabad plane crash: દુર્ઘટનાને અંધશ્રદ્ધામાં ખપાવવાનું કાવતરું કોનું?
  • June 15, 2025

મહેશ ઓડ Ahmedabad plane crash: 12 જૂને અમદાવાદમાં થયેલી વિમાન ક્રેશની ઘટનામાં ‘ભગવત ગીતા’ પુસ્તક બચી ગયાના દાવા થઈ રહ્યા છે. આને લોકો ધર્મ, ભગવાન સાથે જોડીને કહે છે કે…

Continue reading

You Missed

Ayodhya News: બહરાઈચ, બારાબંકી બાદ અયોધ્યામાં પણ દાદા મિયાં ઉર્સ પર પ્રતિબંધ

  • June 16, 2025
  • 3 views
Ayodhya News: બહરાઈચ, બારાબંકી બાદ અયોધ્યામાં પણ દાદા મિયાં ઉર્સ પર પ્રતિબંધ

પૂર્વ મુખ્યમંત્રી Vijay Rupani ના આજે થશે અંતિમ સંસ્કાર, અત્યાર સુધીમાં આટલા મૃતકોના DNA સેમ્પલ મળ્યા

  • June 16, 2025
  • 5 views
પૂર્વ મુખ્યમંત્રી Vijay Rupani ના આજે થશે અંતિમ સંસ્કાર, અત્યાર સુધીમાં આટલા મૃતકોના DNA સેમ્પલ મળ્યા

Earthquake in Peru: પેરુમાં મોડી રાત્રે 6.1 ની તીવ્રતાના આંચકા અનુભવાયા, એકનું મોત, અનેક ઇમારતો ધરાશાયી

  • June 16, 2025
  • 6 views
Earthquake in Peru: પેરુમાં મોડી રાત્રે 6.1 ની તીવ્રતાના આંચકા અનુભવાયા,  એકનું મોત, અનેક ઇમારતો ધરાશાયી

Pune Bridge Collapsed: નદીના તીવ્ર પ્રવાહમાં લોકો તણાઈ ગયા, બચાવકાર્યમાં મુશ્કેલી, પુલ પર 100 લોકો હતા

  • June 15, 2025
  • 22 views
Pune Bridge Collapsed: નદીના તીવ્ર પ્રવાહમાં લોકો તણાઈ ગયા, બચાવકાર્યમાં મુશ્કેલી, પુલ પર 100 લોકો હતા

Ahmedabad plane crash: દુર્ઘટનાને અંધશ્રદ્ધામાં ખપાવવાનું કાવતરું કોનું?

  • June 15, 2025
  • 21 views
Ahmedabad plane crash: દુર્ઘટનાને અંધશ્રદ્ધામાં ખપાવવાનું કાવતરું કોનું?

Adani’s Haifa port attack: ઈરાનના નિશાને ઈઝરાયલની તેલ રિફાયનરીઓ, અદાણી મુશ્કેલીમાં, જાણો કારણ!

  • June 15, 2025
  • 28 views
Adani’s Haifa port attack: ઈરાનના નિશાને ઈઝરાયલની તેલ રિફાયનરીઓ, અદાણી મુશ્કેલીમાં, જાણો કારણ!