
Ahmedabad: ગુજરાતમાં વારંવાર ગેસ ગળતરના કારણે સફાઈકર્મીઓના મોત થતાં હોય છે. ત્યારે અમદાવાદના વસ્ત્રાપુરમાં એક સફાઈકર્મીનું ગટર સાફ કરતી વખતે મોત થઈ જતાં તંત્રમાં ખળભળાટ મચી ગયો છે. સફાઈકર્મીનું મોત ગેસ ગળતરને કારણે થયું હોવાનું બહાર આવ્યુ છે. હાલ પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે. બીજી તરફ કોર્પોરેશન સફાઈકર્મીઓને સેફ્ટી કેમ આપી શકતું નથી. તે પણ એક સવાલ છે. કારણે કે યુગ ટેક્નોલોજીનો છે તો શ્રમિકોને ગટરમાં કેમ ઉતરવું પડે? સરકાર દાવા કરી રહી છે કે અમે સફાઈકર્મીઓ માટે સાધનો વિકસાવ્યા છે. તો તે ક્યા છે?
લાલા પટેલ નામના શ્રમિકોનો જીવ ગયો
આ સફાઈકર્મીનું મોત ગઈકાલે(11 માર્ચે) થયું હતુ. અમદાવાદના વસ્ત્રાપુરમાં સુભાષ પાર્ક પાસે એક ખાનગી સોસાયટીએ શ્રમિકને ગટર સાફ કરવા માટે બોલાવ્યો હતો. જેથી લાલા પટેલ નામનો શ્રમિક ગટર સાફ કરવા માટે અંદર ઉતર્યો હતો. શ્રમિક ગટર સાફ કરતો હતો તે દરમિયાન સાંજે 6 વાગ્યાની આસપાસ તેનું ગેસ ગળતરના કારણે શ્રમિકનો શ્વાસ રૂંધાયો અને તેનું મોત નિપજ્યું હતું. ઘટનાની જાણ થતાં ફાયર અને પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ફાયરની ટીમ દ્વારા શ્રમિકના મૃતદેહને બહાર કાઢી પોસ્ટ મોર્ટમ ખાતે મોકલવામાં આવ્યો હતો.
આ પણ વાંચોઃ UP Sambhal Masjid: સંભલ મસ્જિદમાં રંગરોગાન કરવાની મંજૂરી!, અગાઉ કોર્ટે કર્યો હતો ઈન્કાર
આ પણ વાંચોઃ Katch Murder: પેટના ભાગે ઊંડા ઘા મારી 13 વર્ષિય બાળકની હત્યા, 3 સગીરની પૂછપરછ
આ પણ વાંચોઃ Gujarat: સરકારને તાંત્રિકો સામે કાર્યવાહી કરવાનો ઈરાદો કેમ નથી? બાળકીની બલીથી ખળભળાટ
આ પણ વાંચોઃ Dwarka News: ખમણમાંથી નીકળ્યો લાંબો મરેલો કાનખજૂરો, ધોળાકાના શ્રીરામ ખમણ હાઉસની ઘટના