Surat AAP protest: સુરતને અસામાજિક તત્વોનો અડ્ડો બનતાં રોકવા AAPની માંગ, કમિશ્નરને આવેદન

  • ઢીલ કે શરમ રાખ્યા વગર કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે
  • મહાત્મા ગાંધીના ગુજરાતમાં કહેવાતી દારૂબંધી માત્ર કાગળ પર
  • અન્ય રાજ્યોમાંથી લાઈસન્સ મેળવી બંદૂકો રાખવા અંગે પ્રશ્નો

Surat AAP protest:  તાજેતરમાં સુરતના કોપોદ્રામાં એક બાળ રત્નકલાકારની શેરીમાં બેસી રહેતાં શખ્સે હત્યા કરી નાખી. માત્ર દારુ પીવા પૈસા ન આપવા જેવી બાબતે બાળકની હત્યા કરી નાખતાં સુરતમાં ખળભળાટ મચી ગયો છે. સુરતમાં જ રાજય ગૃહમંત્રી હર્ષ સંઘવી રહે છે. તેમ છતાં તેમના જ વિસ્તારમાં તેમનો ડર નથી. તો અન્ય જીલ્લાઓની શું હાલત થતી હશે. ત્યારે હવે સુરતમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી જતાં રાજકકીય ઉહાપોહ મચ્યો છે. AAP પાર્ટી કમિશ્નરને આવેદન આપી હત્યારાને ફાંસી આપવા માંગ કરી છે.

સુરત શહેરમાં કાયદો વ્યવસ્થાની કથળેલી સ્થિતિ બાબતે સુરત આમ આદમી પાર્ટીએ પો. કમિશ્નરને આજે આવેદન પત્ર આપ્યું છે. આવેદન આપતાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતા ગોપાલભાઈ ઈટાલીયાએ જણાવ્યું હતું કે, ભારે દુઃખની વાત છે ડૉ.બાબાસાહેબ આંબેડકરની 134 મી જન્મ જયંતિના દિવસે જ આપણા શહેરમાં કાપોદ્રા વિસ્તારમાં બનેલી ઘટનાએ આખા શહેરમાં ચકચાર મચાવી દીધો છે , ત્યારે સવાલ એ થાય છે કે આ આખી ઘટના બનવા પાછળ જવાબદાર કોણ છે? દારૂના નશામાં ધૂત અસામાજિક તત્વો આવી ઘટનાને અંજામ આપે છે, એનો અર્થ એવો થયો કે મહાત્મા ગાંધીના ગુજરાતમાં કહેવાતી દારૂબંધી માત્ર કાયદા – કાગળ સુધી જ સિમિત છે, સુરત શહેરના કયા વિસ્તારોમાં દારૂ નથી મળતો?

ગોપાલભાઈ ઈટાલીયાએ વધુમાં જણાવ્યું હતું કે, દારૂની સાથે સાથે સુરત શહેરમાં ડ્રગ્સે પણ માઝા મૂકી છે ત્યારે આમ આદમી પાર્ટી સુરત શહેરના સજ્જન નાગરિકો વતી પોલીસ કમિશ્નરને ખાસ વિનંતી કરે છે કે આવી જઘન્ય ઘટનાઓ રોકવા માટે સ્પેશ્યલ આયોજન કરવામાં આવે, એવું આયોજન કે જે જમીનીસ્તર પર સાચા અર્થમાં લાગુ થાય, સુરત શહેરમાં દારૂ અને ડ્રગ્સના કારોબારને સંપૂર્ણ નષ્ટ કરવામાં આવે.

આ ઘટનામાં જે આરોપી પકડાયો છે એના ઉપર કાયદાકીય રાહે સખ્ત પગલાંઓ લેવામાં આવે. પરિવારના લોકોની માંગ છે કે હત્યારાને ફાંસીની સજા આપવામાં આવે. જે માટે કાયદાકીય રાહે સંપૂર્ણ કડકાઈ સાથે ક્યાંય પણ ઢીલ કે શેહ શરમ રાખ્યા વગર કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે. જ્યાં હત્યાની જઘન્ય ઘટના બની છે ત્યાં તે જ વિસ્તારમાં દારૂના અડ્ડાઓ ચાલે છે એવી માહિતી મળી છે, આ દારૂના અડ્ડાઓ કોની મહેરબાનીથી ચાલે છે ? અને આ સિવાય પણ કાપોદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂના અડ્ડાઓ ક્યાં ક્યાં ચાલે છે એની તપાસ કરવામાં આવે અને આની પાછળ જેમની મહેરબાની હોય એમના ઉપર કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ આમ આદમી પાર્ટી કરે છે. વિશેષમાં ઘણા સમાચાર પત્રોના માધ્યમથી જાણવા મળ્યું છે કે સુરત શહેરમાં રહેતા લોકોએ અન્ય રાજ્યોથી લાગવગ કરીને પોતાની વગનો દુરુપયોગ કરીને હથિયારના લાયસન્સ મેળવ્યા છે, કાયદાકીય રાહે આ બાબતે સઘન તપાસ કરીને સુરતને અન્ય રાજ્યોથી લાગવગ કરી છે.

આ પણ વાંચો:

Bihar: 4 બાળકો સહિત 5 જીવતાં સળગ્યા, 15 ગુમ, મુઝફ્ફરપુરની ઝૂંપડપટ્ટીમાંઆગ

Kheda: નિર્દય દિકરાએ વૃધ્ધ માતાને ધારિયાથી રહેંસી નાખી, હત્યારો વિધવા પુત્રવધૂને હેરાન કરતો, વાંચો શું થયું?

Rajkot માં ગમખ્વાર અકસ્માત, 4ના કરુણ મોત, 2 ગંભીર, પરિવારોનો હોબાળો

Vadodara: જામનગરમાં જતાં સસલા, ઉંદરને વડોદરા રેલવે સ્ટેશનથી બચાવ્યા, વનતારામાં શું ઉપયોગ?

Urdu: ઉર્દૂ ભાષાનો ઉપયોગ લોકોને વિભાજિત કરવા માટે ન કરવો જોઈએ, ઉર્દૂ સંસ્કૃતિનો હિસ્સો: કોર્ટ

 

 

Related Posts

GPSC Interview Pending: GPSCમાં 13,744 ઉમેદવારોના ઇન્ટરવ્યૂ બાકી! ભરતીમાં વિલંબથી સરકાર સામે ગંભીર સવાલ
  • August 14, 2026

GPSC Interview Pending: ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC)ની ભરતી પ્રક્રિયા ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવી છે. વિવિધ ભરતી પ્રક્રિયાઓમાં હજારો ઉમેદવારોના ઇન્ટરવ્યૂ લાંબા સમયથી બાકી હોવાનું સામે આવતાં ઉમેદવારોમાં ભારે…

Continue reading
Ahmedabad Fire NOC Bribery: તક્ષશિલા અને TRP ગેમ ઝોન પછી ફરી ફાયર સેફ્ટી પર સવાલ! અમદાવાદમાં ફાયર NOC કૌભાંડનો પર્દાફાશ
  • August 9, 2026

Ahmedabad Fire NOC Bribery: અમદાવાદ મહાનગરપાલિકાના ફાયર વિભાગમાં થયેલા એક મોટા લાંચકાંડનો ભંડાફોડ થતાં સમગ્ર રાજ્યમાં ફરી એકવાર ફાયર સેફટી વ્યવસ્થા અને તેની પારદર્શિતા અંગે ગંભીર ચર્ચા શરૂ થઈ છે.…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Narendra Modi Speech: 75 મિનિટના ભાષણમાં મોદીનો ‘દિમાગી નક્સલ’થી રિફોર્મ એક્સપ્રેસ સુધીનો સંદેશ, કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ

  • August 15, 2026
  • 2 views
Narendra Modi Speech: 75 મિનિટના ભાષણમાં મોદીનો ‘દિમાગી નક્સલ’થી રિફોર્મ એક્સપ્રેસ સુધીનો સંદેશ, કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ

Assam flood causes: અસમના વિનાશક પૂર પાછળ આબોહવા પરિવર્તન નહીં, માનવસર્જિત કારણો જવાબદાર – WWA રિપોર્ટ

  • August 15, 2026
  • 5 views
Assam flood causes: અસમના વિનાશક પૂર પાછળ આબોહવા પરિવર્તન નહીં, માનવસર્જિત કારણો જવાબદાર – WWA રિપોર્ટ

Har Ghar Tiranga campaign: ‘હર ઘર તિરંગા’થી સંઘના તિરંગા સાથેના ઐતિહાસિક સંબંધ સુધી, ચાર વર્ષના અભિયાન વચ્ચે જૂના વિવાદો ફરી ચર્ચામાં

  • August 15, 2026
  • 6 views
Har Ghar Tiranga campaign: ‘હર ઘર તિરંગા’થી સંઘના તિરંગા સાથેના ઐતિહાસિક સંબંધ સુધી, ચાર વર્ષના અભિયાન વચ્ચે જૂના વિવાદો ફરી ચર્ચામાં

Asif Ali Zardari: ઝરદારીનો મોટો દાવો, પાકિસ્તાનમાં હિન્દુઓ ભારત કરતાં વધુ ખુશ? UN રિપોર્ટમાં સામે આવ્યું અલગ ચિત્ર

  • August 15, 2026
  • 6 views
Asif Ali Zardari: ઝરદારીનો મોટો દાવો, પાકિસ્તાનમાં હિન્દુઓ ભારત કરતાં વધુ ખુશ? UN રિપોર્ટમાં સામે આવ્યું અલગ ચિત્ર

Chamoli Tunnel Accident: ઉત્તરાખંડની નિર્માણાધીન સુરંગમાં ભયાનક દુર્ઘટના, પાણી-કાટમાળ ભરાતા 7 શ્રમિકોના મોત

  • August 15, 2026
  • 10 views
Chamoli Tunnel Accident: ઉત્તરાખંડની નિર્માણાધીન સુરંગમાં ભયાનક દુર્ઘટના, પાણી-કાટમાળ ભરાતા 7 શ્રમિકોના મોત

Rahul Gandhi: અરુણાચલમાં ચીનના પેટ્રોલિંગ રોકવાના દાવાથી હંગામો, રાહુલ ગાંધીએ મોદી સરકાર પાસે માંગ્યો સ્પષ્ટ જવાબ

  • August 15, 2026
  • 7 views
Rahul Gandhi: અરુણાચલમાં ચીનના પેટ્રોલિંગ રોકવાના દાવાથી હંગામો, રાહુલ ગાંધીએ મોદી સરકાર પાસે માંગ્યો સ્પષ્ટ જવાબ