Rajkot માં ગમખ્વાર અકસ્માત, 4ના કરુણ મોત, 2 ગંભીર, પરિવારોનો હોબાળો

Rajkot Accident: ગુજરાતમાં રોજે રોજ અકસ્માતનો ઘટનાઓમાં લોકોના જીવ જઈ રહ્યા છે. ત્યારે રાજકોટમાં એક સીટી બસે 6 લોકોને કચડી નાખ્યા છે. જેમાંથી 4 લોકો મોતને ભેટ્યા છે. જ્યારે 2થી વધુને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સિંગ્નલ ખુલતાં જ ઓવરસ્પીડે બસ હંકારવામાં આવી હતી. જેથી આ અકસ્માત થયો છે.

આજે સવારે( 16 એપ્રિલ)ના રોજ રાજકોટના ઇન્દિરા સર્કલ પાસે સીટી બસે કેટલાંક વાહનચાલકોને અડફેટે લીધા હતા. જેમાં 6 લોકોને અડફેટે આવી ગયા હતા. જેમાંથી 4 લોકોના ઘટના સ્થળે જ મોત થયા છે. જ્યારે બેથી વધુ લોકોને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.  ઘટના બાદ મૃતકોના પરિવજનો અને અન્ય રાહદારીમાં રોષ ફાટી નીકળ્યો  છે. ઘટના સ્થળે ભારે હોબાળો મચી ગયો છે. જેથી પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી  છે અને મામલો થાળે પાડ્યો છે.

સિગ્નલ ખુલતા જ ઓવર સ્પીડમાં  બસ ચલાવી અકસ્માત સર્જ્યો

આ ઘટનાના સીસીટીમાં પણ કેદ થઈ છે. જેમાં ડ્રાઇવરની સ્પષ્ટ બેદરકારી જોવા મળે છે ડ્રાઇવરે પીઘેલી હાલતમાં હોય તેવી પણ આશંકા સેવાઇ રહી છે. સિગ્નલ ખુલતા જ ઓવર સ્પીડમાં બેદરકારીથી બસ ચલાવતા 6 લોકો બસની નીચે કચડાયા હતા, લોકોને કચડતાં બસ આગળ નીકળી ગઇ હતી. જેમાં 4ના મોત અને 2થી વધુ લોકોને સારવાર હેઠળ છે. આ ઘટનામાં બસચાલક  શિશુપાલસિંહ રાણાને પણ ગંભીર ઈજાઓ પહોંચતાં હોસ્પિટલમાં ખસેડાયો છે.

ઘટનાની જાણ થતાં ધારાસભ્ય દર્શિતા શાહ સહિત રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા, જોઈન્ટ પોલીસ કમિશનર મહેન્દ્ર બગડિયા, ડીસીપી ટ્રાફિક પૂજા યાદવ, ડીસીપી ક્રાઇમ પાર્થરાજસિંહ ગોહિલ તેમજ ગાંધીગ્રામ, યુનિવર્સીટી, માલવિયા, ક્રાઇમ બ્રાન્ચ અને SOG પોલીસકર્મીઓ પહોંચ્યા હતા.

મૃતકો અને ઈજાગ્રસ્ત માટે સરકાર સહાય જાહેર કરી શકે છે. જો કે સવાલ એ છે દર વખતે આ રીતે અકસ્માત થતાં હોય છે અને સરકાર માત્ર સહાય જાહેર કરી સંતોષ માને છે. બેફામ બનતાં વાહનચલાકોને ટ્રાફિક નિયમનોનું પાલન કરાવી શકતી નથી. જેથી આવીને આવી ઘટનાઓમાં સતત વધારો થયો છે.

મૃતકના નામ

  • રાજુભાઈ ગીડા
  • સંગીતાબેન નેપાળી
  • કિરણબેન ચંદ્રેશકુમાર કક્કડ
  • ચિન્મયભાઈ ઉર્ફે લાલો જીગ્નેશ ભટ્ટ

ઈજાગ્રસ્તોની યાદી

  • સુરજ ધર્મેશ રાવલ
  • વિશાલ રાજેશ મકવાણા
  • વિરાજબા મહાવીરસિંહ ખાચરશિશુપાલસિંહ રાણા

આ પણ વાંચો:

Vadodara: જામનગરમાં જતાં સસલા, ઉંદરને વડોદરા રેલવે સ્ટેશનથી બચાવ્યા, વનતારામાં શું ઉપયોગ?

Urdu: ઉર્દૂ ભાષાનો ઉપયોગ લોકોને વિભાજિત કરવા માટે ન કરવો જોઈએ, ઉર્દૂ સંસ્કૃતિનો હિસ્સો: કોર્ટ

Gujarat: રાહુલ ગાંધીની ગુજરાતમાં બીજી મુલાકાત? શું કોંગ્રેસ મોદીનો ગઢ જીતશે?

Mehul Choksi: ભાગેડું મેહુલ ચોક્સીની બેલ્જિયમમાં ધરપકડ થઈ પણ ભારત ક્યારે લવાશે?

Related Posts

Chhotaudepur Sihada water Crisis: “નળ સે જળ” યોજના માત્ર કાગળ પર! સિહાદા ગામમાં લોકો ગંદુ પાણી પીવા મજબૂર
  • May 11, 2026

Chhotaudepur Sihada water Crisis: છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકામાં આવેલું સિહાદા ગામ અત્યારે આકરા ઉનાળાની સાથે પાણીની અત્યંત વિકટ સમસ્યાનો સામનો કરી રહ્યું છે. આશરે ૭૦૦૦ની વસ્તી ધરાવતા આ ગામમાં પીવાના…

Continue reading
Gujarat Tribal Politics: આદિવાસી પટ્ટીમાં ભાજપનું ધોવાણ, ગુજરાતની ચૂંટણીના એકલ વીર હીરો ચૈતર વસાવા
  • May 10, 2026

Gujarat Tribal Politics: ગુજરાતની ૨૦૨૬ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં જ્યાં મોટા રાજકીય પક્ષો અને મંત્રીઓની ફોજ ઉતારવામાં આવી હતી, ત્યાં આદિવાસી નેતા ચૈતર વસાવા એક પ્રભાવક ચહેરા તરીકે ઉભરી આવ્યા છે.…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Rahul Gandhi: પીએમ મોદીની સોનું અને પેટ્રોલ બચાવવાની અપીલ પર રાહુલ ગાંધી ભડક્યા, કહ્યું- આ ઉપદેશ નહીં નિષ્ફળતાના પુરાવા

  • May 11, 2026
  • 3 views
Rahul Gandhi: પીએમ મોદીની સોનું અને પેટ્રોલ બચાવવાની અપીલ પર રાહુલ ગાંધી ભડક્યા, કહ્યું- આ ઉપદેશ નહીં નિષ્ફળતાના પુરાવા

INDIA bloc controversy: ‘અપરાધીઓ સાથે ગઠબંધન મંજૂર નથી’, સીપીએમ અને કોંગ્રેસનો મમતા બેનર્જી પર પલટવાર

  • May 11, 2026
  • 3 views
INDIA bloc controversy: ‘અપરાધીઓ સાથે ગઠબંધન મંજૂર નથી’, સીપીએમ અને કોંગ્રેસનો મમતા બેનર્જી પર પલટવાર

Chhotaudepur Sihada water Crisis: “નળ સે જળ” યોજના માત્ર કાગળ પર! સિહાદા ગામમાં લોકો ગંદુ પાણી પીવા મજબૂર

  • May 11, 2026
  • 8 views
Chhotaudepur Sihada water Crisis: “નળ સે જળ” યોજના માત્ર કાગળ પર! સિહાદા ગામમાં લોકો ગંદુ પાણી પીવા મજબૂર

Markandey Katju on Vijay: પૂર્વ જજ માર્કંડેય કાટજુનો વિજય પર તીખો હુમલો, કહ્યું- જનતા જલ્દી નવા સીએમથી નિરાશ થશે

  • May 10, 2026
  • 10 views
Markandey Katju on Vijay: પૂર્વ જજ માર્કંડેય કાટજુનો વિજય પર તીખો હુમલો, કહ્યું- જનતા જલ્દી નવા સીએમથી નિરાશ થશે

Arvind Kejriwal: સંજીવ અરોરાની ધરપકડ બાદ કેજરીવાલનો ભાજપ પર પ્રહાર, કહ્યું- જેલ પસંદ કરી પરંતુ ભાજપમાં ગયા નહીં

  • May 10, 2026
  • 9 views
Arvind Kejriwal: સંજીવ અરોરાની ધરપકડ બાદ કેજરીવાલનો ભાજપ પર પ્રહાર, કહ્યું- જેલ પસંદ કરી પરંતુ ભાજપમાં ગયા નહીં

Great Nicobar Project પર જયરામ રમેશનો કેન્દ્ર પર હુમલો, કહ્યું- અધૂરા અભ્યાસોના આધારે અપાઈ પર્યાવરણીય મંજૂરી

  • May 10, 2026
  • 12 views
Great Nicobar Project પર જયરામ રમેશનો કેન્દ્ર પર હુમલો, કહ્યું- અધૂરા અભ્યાસોના આધારે અપાઈ પર્યાવરણીય મંજૂરી