Pakistan flood: ભારતે જેલમનું પાણી પાકિસ્તાનમાં છોડતાં પૂરની સ્થિતિ: દાવો

  • World
  • April 27, 2025
  • 3 Comments

 Pakistan flood:  પહેલગામ આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાનને ટીપુ પણ પાણી ન આપવાના દાવા વચ્ચે પાકિસ્તાનમાં પૂર આવ્યું છે.  પાકિસ્તાન સામે કાર્યવાહી કરતા, ભારતે સૌપ્રથમ સિંધુ જળ સંધિ રદ કરવાની જાહેરાત કરી અને ચેતવણી આપી કે પાકિસ્તાનને એક ટીપું પણ પાણી આપવામાં આવશે નહીં તેમ જણાવ્યું હતુ. જો કે આવા દાવો વચ્ચે પાકિસ્તાનમાં પૂર આવ્યું છે. પાકિસ્તાનની મિડિયાનો દાવો છે કે ઝેલમ નદીનું પાણી એકાએક ભારત તરફથી છોડાયું છે.  જેના કારણે પાકિસ્તાનમાં પૂર આવ્યું છે. પીઓકે પૂરમાં ડૂબી જવાનો ભય છે.

પાકિસ્તાની મીડિયાનું કહેવું છે કે અનંતનાગ જિલ્લામાંથી ઉરીના ચકોઠીમાં પાણી પ્રવેશ્યું છે, ત્યારબાદ મુઝફ્ફરાબાદના હાટ્ટીન બાલા વિસ્તારમાં જેલમ નદીમાં પાણી છોડવામાં આવ્યું છે. એટલા માટે મુઝફ્ફરાબાદમાં પાણીની કટોકટી જાહેર કરવામાં આવી છે કારણ કે મુઝફ્ફરાબાદ પૂર આવી ગયું છે. જેના કારણે પાકિસ્તાનના લોકોમાં ભય અને ગભરાટ ફેલાયો છે. પાકિસ્તાની મીડિયાએ ભારત પર ઝેલમ નદીમાં પાણી છોડવાનું જાણી જોઈને કાવતરું ઘડવાનો આરોપ લગાવ્યો છે. જો કે ભારતે હજુ સુધી આ આરોપની પુષ્ટી કરી નથી. જો કે ભારતે કહ્યું હતુ કે પાકિસ્તાને એક પણ ટીપુ નહીં મળે તેવા દાવા વચ્ચે આટલુ પાણી પહોંચતાં અનેક તર્કવિતર્ક થઈ રહ્યા છે.

&

ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી શકે

જિયોના અહેવાલ મુજબ જેલમ નદીના પાણીનું સ્તર વધ્યા બાદ પાકિસ્તાન સરકારે મસ્જિદોમાંથી જાહેરાતો કરીને લોકોને ચેતવણી આપી છે. જેલમ નદીના કિનારે રહેતા લોકોને સુરક્ષિત સ્થળોએ ખસી જવા માટે કહેવામાં આવ્યું છે, પરંતુ ચેતવણીથી લોકોમાં ગભરાટનું વાતાવરણ સર્જાયું છે. લોકો પોતાના ઘર છોડવા લાગ્યા છે. સ્થાનિક વહીવટીતંત્રે બચાવ ટીમો પણ તૈનાત કરી છે. આ સ્થિતિ બાદ ભારત પાકિસ્તાનના સંબંધો વધુ વણસી શકે છે.

 

આ પણ વાંચોઃ

પહેલગામ આતંકવાદી હુમલા સાથે અમારે કંઈ લેવા દેવા નથી – TRF(ધ રેજિસ્ટન્સ ફ્રન્ટ) પલટી ગયું

Khambhat: 7 વર્ષની બાળકી પર બળાત્કાર ગુજારી હત્યા કરનાર શખ્સને ફાંસીની સજા, ગટરમાં ફેંકી હતી લાશ!

Treaty: આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાન સાથે સિંધુ જળ સંધિ સ્થગિત કરી તે શું છે?

 Seema Haider: ગેરકાયદેસર ઘૂસેલી સીમા હૈદર પાકિસ્તાન જશે? વાંચો

Gujarat માં ઠેર-ઠેર આતંકવાદનો વિરોધ, આતંકીઓના પૂતળા બાળી પ્રદર્શન

 

Related Posts

Power outage: વિકસિત દેશો અંધકારમાં ડૂબ્યા, ફ્રાન્સ, સ્પેન અને પોર્ટુગલમાં વીજળી ગુલ, જાણો કારણ
  • April 29, 2025

Power outage: યુરોપના ઘણા દેશોમાં વીજળી ગુલ થઈ ગઈ છે. જેમાં મુખ્યત્વે ફ્રાન્સ, સ્પેન અને પોર્ટુગલ જેવા દેશોનો સમાવેશ થાય છે. અહેવાલો અનુસાર, સ્પેન અને પોર્ટુગલમાં સોમવારે મોટા પાયે વીજળી…

Continue reading
પાકિસ્તાનના PM શાહબાઝ શરીફ હોસ્પિટલમાં દાખલ, ગૃપ્ત લેટરમાં શું થયો ખુલાસો? | Shahbaz Sharif
  • April 29, 2025

Pakistan PM Shahbaz Sharif hospital admitted: પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાન સામે કડક વલણ અપનાવ્યું છે. ભારતમાં રહેતા પાકિસ્તાનીઓને દેશ છોડી દેવા કહ્યું છે. આ દરમિયાન  સમાચાર આવી…

Continue reading

One thought on “Pakistan flood: ભારતે જેલમનું પાણી પાકિસ્તાનમાં છોડતાં પૂરની સ્થિતિ: દાવો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

China Restaurant Fire: ચીનની રેસ્ટોરન્ટમાં આગ લાગતાં 22 લોકોના મોત, 3 લોકોને ઈજાઓ

  • April 29, 2025
  • 5 views
China Restaurant Fire: ચીનની રેસ્ટોરન્ટમાં આગ લાગતાં 22 લોકોના મોત, 3 લોકોને ઈજાઓ

Pahalgam Attack: અલ્લાહુ અકબર બોલનાર ઝિપલાઇન ઓપરેટરના પિતાએ શું કહ્યું?

  • April 29, 2025
  • 14 views
Pahalgam Attack: અલ્લાહુ અકબર બોલનાર ઝિપલાઇન ઓપરેટરના પિતાએ શું કહ્યું?

Power outage: વિકસિત દેશો અંધકારમાં ડૂબ્યા, ફ્રાન્સ, સ્પેન અને પોર્ટુગલમાં વીજળી ગુલ, જાણો કારણ

  • April 29, 2025
  • 19 views
Power outage: વિકસિત દેશો અંધકારમાં ડૂબ્યા, ફ્રાન્સ, સ્પેન અને પોર્ટુગલમાં વીજળી ગુલ, જાણો કારણ

MORBI: ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં કોર્ટે જયસુખ સહિત 10 આરોપીની ડિસ્ચાર્જ અરજી રદ

  • April 29, 2025
  • 21 views
MORBI: ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં કોર્ટે જયસુખ સહિત 10 આરોપીની ડિસ્ચાર્જ અરજી રદ

TATA કંપનીએ દ્વારકાના ગામોને બરબાદ કર્યા, ખેડૂતો પાયમાલ, સરકાર શું કરે છે?

  • April 29, 2025
  • 29 views
TATA કંપનીએ દ્વારકાના ગામોને બરબાદ કર્યા, ખેડૂતો પાયમાલ, સરકાર શું કરે છે?

Mehsana: ભલે ગોળી મારી દે, પણ ‘પાકિસ્તાન’ પાછા નહીં જઈએ, મહેસાણામાં રહેતાં હિંદુઓની વેદના

  • April 29, 2025
  • 33 views
Mehsana: ભલે ગોળી મારી દે, પણ ‘પાકિસ્તાન’ પાછા નહીં જઈએ, મહેસાણામાં રહેતાં હિંદુઓની વેદના