Rajkot: ટ્રકચાલકે બે ટુ વ્હીલરને અડફેટે લેતા સાસુ-વહુના મોત, પિતા-પુત્રને ઈજાઓ

Rajkot: રજ્યમાં વારંવાર મોટા અકસ્માતના બનાવો બની રહ્યા છે. ટ્રાફિક નિયમનો ઉલાળિયો કરી વાહનચાલકો બેફામ વાહનો ચલાવી રહ્યા છે. ત્યારે બેફામ બનેલી એક ટ્રકે સાસુ-વહુનો જીવ લીધો છે.  રાજકોટના ગોંડલમાંથી એક ભયંકર અકસ્માતની ઘટના બની છે. રાજકોટમાંથી જનોઈ પ્રસંગની ઉજવણી કરી આવતાં પરિવારને ટ્રકચાલકે અડફેટે લીધો છે. જેમાં સાસુ-વહુને કરુણ મોત થયા છે. જ્યારે પિતા-પુત્રને ગંભીર ઈજાઓ પહોંચતાં તેમને હોસ્પિટલમાં ખસેડાયા છે.

ગત રાત્રિના રવિવારે (4 મે, 2025) ગોંડલ રોડ પર કોરાટ ચોક નજીક ટ્રકચાલકે બે ટુ-વ્હીલરને અડફેટે લીધા હતા. ગમખ્વાર સર્જાયેલા અકસ્માતમાં જ્યોતિબેન મનોજભાઇ બાયનીયા (સાસુ) અને જાહ્નવીબેન બાવનીયા (પુત્રવધૂ)નું મોત થઈ ગયું છે. જ્યારે પિતા અને પુત્ર ઈજાગ્રસ્ત થતા સારવાર હેઠળ ખસેડાયા છે.

રાજકોટમાં જનોઈ પ્રસંગમાં હાજરી આપી પરત ગોંડલ જતા સમયે આ અકસ્માત થયો હતો. અકસ્માત સર્જી નાસી છુટેલા ટ્રકચાલકની પોલીસે અટકાયત કરી લીધી છે.

આ અકસ્માતની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. બંને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યા હતા. જ્યારે પોલીસે અકસ્માત સર્જનાર ટ્રકચાલકને ગણતરીના સમયમાં જ ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ હિટ એન્ડ રનની ફરિયાદ નહીં નોંધે તો…

અકસ્માતના સ્વજનોએ પોલીસ સામે આક્ષેપ કરતાં કહ્યું કે અમે રાજકોટમાં જનોઈ પ્રસંગ ગયા હતા, ત્યાંથી સાઢુભાઇના ત્યાં ગોંડલ જવા નીકળ્યા હતા, ત્યારે કોરાટ ચોક પાસે ટ્રાફિક હોવાથી સાઇડમાં ઉભા હતા, ત્યારે પાછળથી આવી રહેલી ટ્રકે બંનેને કચડી નાખ્યા હતા. હિટ એન્ડ રનની ઘટના હોવા છતાં શાપર પોલીસે હિટ એન્ડ રનની ફરિયાદ નોંધી નથી. પોલીસ હિટ એન્ડ રનની ફરિયાદ નહી નોંધે તો અમે મૃતદેહ સ્વિકારીશું નહી અને આ અંગે પોલીસવડાને પણ રજૂઆત કરીશું. તેમ છતાં કોઇ નિરાકરણ નહી આવે તો ઓફિસ બહાર જ ઉપવાસ કરીશું.

પણ વાંચોઃ

Rajkot: ગોંડલમાં 17 વર્ષની સગીરાને કેફી પીણું પીવડાવી દુષ્કર્મ આચર્યુ, કેવી રીતે પ્રેમજાળમાં ફસાઈ સગીરા?

Rajkot: ગોંડલમાં 17 વર્ષની સગીરાને કેફી પીણું પીવડાવી દુષ્કર્મ આચર્યુ, કેવી રીતે પ્રેમજાળમાં ફસાઈ સગીરા?

Ahmedabad: વિરમગામમાં વીજળી પડતાં ખેડૂતનું મોત, મહિસાગરમાં 2 પશુના મોત

દિલ્હીથી ઈઝરાઈલ જતુ વિમાન અબુ ધાબી તરફ ડાઈવર્ટ, દિલ્હી પાછુ આવશે, મિસાઈ હુમલા બાદ નિર્ણય

India-Pakistan Tension: સિંધુ બાદ હવે ભારતે ચેનાબનું પાણી રોક્યું, આ રીતે લડશે આતંકીઓ સામે?

 

 

Related Posts

LIC Exposure to Adani: અદાણીના’નસીબ’ કે સરકારી છત્રછાયા? 68 વર્ષ પહેલાં રાજીનામાં અને આજે?
  • October 27, 2025

LIC Exposure to Adani: ભારતીય વ્યવસાય જગતના અબજોપતિ ગૌતમ અદાણીને “નસીબદાર” કહીને એક વાયરલ સોશિયલ મીડિયા પોસ્ટે રાજકીય વિવાદને નવી ઊંચાઈએ પહોંચાડ્યો છે. આ પોસ્ટમાં 68 વર્ષ પહેલાંના પ્રખ્યાત ‘મુન્ધરા…

Continue reading
Bhavnagar: ભાવનગર જીલ્લામાં કમોસમી વરસાદથી જળબંબાકારની સ્થિતિ, ઘરોમાં પાણી ઘૂસી ગયા
  • October 27, 2025

છેલ્લા 24 કલાકમાં 11 ઇંચથી જેટલો વરસાદ ખાબકતા માલણ નદી ત્રીજીવાર થઈ બે કાંઠે મહુવામાં બજારો-રહેણાક એનક વિસ્તારો પાણીમાં ગરકાવ રસ્તાઓ પર નદી વહી રહી હોય તેવા દૃશ્યો સર્જાયા Heavy…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

LIC Exposure to Adani: અદાણીના’નસીબ’ કે સરકારી છત્રછાયા? 68 વર્ષ પહેલાં રાજીનામાં અને આજે?

  • October 27, 2025
  • 16 views
LIC Exposure to Adani:  અદાણીના’નસીબ’ કે સરકારી છત્રછાયા?  68 વર્ષ પહેલાં રાજીનામાં અને આજે?

 SIR: આવતીકાલથી ગુજરાત સહિત 12 રાજ્યોમાં મતદારોની વધઘટ કરવાનું શરુ!

  • October 27, 2025
  • 14 views
 SIR: આવતીકાલથી ગુજરાત સહિત 12 રાજ્યોમાં મતદારોની વધઘટ કરવાનું શરુ!

BJP Minister Blames Victims in Indore Harassment: ઑસ્ટ્રેલિયન મહિલા ક્રિકેટર્સ સાથે છેડતી મામલે ભાજપ નેતાએ કહ્યું- ‘આમાં તેમની પણ ભૂલ છે,સૂચના વિના બહાર ન જવાય’

  • October 27, 2025
  • 3 views
BJP Minister Blames Victims in Indore Harassment: ઑસ્ટ્રેલિયન મહિલા ક્રિકેટર્સ સાથે છેડતી મામલે ભાજપ નેતાએ કહ્યું- ‘આમાં તેમની પણ ભૂલ છે,સૂચના વિના બહાર ન જવાય’

Bhavnagar: ભાવનગર જીલ્લામાં કમોસમી વરસાદથી જળબંબાકારની સ્થિતિ, ઘરોમાં પાણી ઘૂસી ગયા

  • October 27, 2025
  • 18 views
Bhavnagar: ભાવનગર જીલ્લામાં કમોસમી વરસાદથી જળબંબાકારની સ્થિતિ, ઘરોમાં પાણી ઘૂસી ગયા

Delhi: શું PM મોદી “કૃત્રિમ યમુના”માં સ્નાન કરશે?, જુઓ વીડિયો

  • October 27, 2025
  • 21 views
Delhi: શું PM મોદી “કૃત્રિમ યમુના”માં સ્નાન કરશે?, જુઓ વીડિયો

BJP-NDA ના ઇશારે કામ કરતા ચૂંટણી પંચનું તાત્કાલિક વિસર્જન કરી SIR રદ કરવા ઉઠી માંગ!, ચેન્નાઈથી લોકશાહી બચાવવા શરૂ થઈ ઝુંબેશ

  • October 27, 2025
  • 12 views
BJP-NDA ના ઇશારે કામ કરતા ચૂંટણી પંચનું તાત્કાલિક વિસર્જન કરી SIR રદ કરવા ઉઠી માંગ!, ચેન્નાઈથી લોકશાહી બચાવવા શરૂ થઈ ઝુંબેશ