UP Murder Case: પત્ની બળાત્કારના કેસમાં જુબાની આપે તે પહેલા જ હત્યા!, દિયરે શું કહ્યું?

  • India
  • May 12, 2025
  • 1 Comments

UP Murder Case: ઉત્તર પ્રદેશના ઉન્નાવ જિલ્લામાં અચલગંજ વિસ્તારમાંથી એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં એક જ પરિવારના ચાર લોકોના મૃતદેહ મળી આવતા હંગામો મચી ગયો છે. શંકા છે કે પતિએ તેની પત્ની અને બે પુત્રીઓની હત્યા કર્યા બાદ આપઘાત કરી લીધો છે. પોલીસે આ મામલાની સઘન તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે શરીર પર કોઈ નિશાન મળ્યા નથી.

ચારેયના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. ઘટના સ્થળે, પત્ની અને બે પુત્રીઓના મૃતદેહ પલંગ પર પડેલા મળી આવ્યા હતા, જ્યારે પતિનો મૃતદેહ ઘરની છત પર જાળી સાથે બાંધેલા ફાંસીથી લટકતો મળી આવ્યો હતો.

શરીર પર કોઈ ઈજાના નિશાન મળ્યા નથી

ઘટના સમયે, પરિવારના અન્ય સભ્યો રાયબરેલીમાં એક પારિવારિક કાર્યક્રમમાં હાજરી આપવા ગયા હતા. મૃતકના પિતરાઈ ભાઈએ ઘટના અંગે પોલીસને જાણ કરી. આ પછી અચલગંજ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી. હાલમાં પોલીસ આ મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. પોલીસને મૃતકોના શરીર પર કોઈ ઈજાના નિશાન મળ્યા નથી.
‘ભાભી પર રેપ થતાં ગર્ભ પડી ગયો હતો’

મૃતકના કાકાના દિકરાએ કહ્યું  2022માં ભાભી (મૃતક) સાથે બળાત્કારની ઘટના બની હતી, સાથે સાથે તેને મારવામાં આવી હતી. જેના કારણે 4 મહિનાનો ગર્ભ પડી ગયો હતો. આ મામલે કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો. 27મી તારીખે ભાભી આ કેસમાં જુબાની આપવાની હતી. જેથી ચારેયની અન્ય કોઈએ હત્યા કરાવી હોવાની આશંકા સેવાઈ રહી છે.

પોલીસ ટીમ તપાસમાં લાગી

પોલીસે મૃતકનો પંચનામા તૈયાર કર્યો છે અને ચારેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. ઘટનાસ્થળે પહોંચેલા પોલીસ અધિક્ષક દીપક ભુખરે ઘટના સ્થળનું નિરીક્ષણ કર્યું. તેમણે કહ્યું કે ચારેય મૃતદેહો પર કોઈ ઈજાના નિશાન મળ્યા નથી. આ ઉપરાંત પોલીસ ટીમ સીસીટીવી ફૂટેજ શોધી રહી છે. મૃતક પતિની ઉંમર 34 વર્ષ જ્યારે પત્નીની ઉંમર 30 વર્ષ હોવાનું કહેવાય છે. બંને છોકરીઓની ઉંમર 10 વર્ષ અને 6 વર્ષ હોવાનું કહેવાય છે. પહેલી નજરે, પતિએ તેની પત્ની અને બે પુત્રીઓની હત્યા કર્યા બાદ ફાંસી લગાવીને આત્મહત્યા કરવાનો મામલો લાગે છે. પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે.

આ પણ વાંચોઃ

MP: પોલીસે પીછો કરતાં દુષ્કર્મનો આરોપી હાઈટેન્શન લાઈન પર ચઢી ગયો, પછી શું થયું?

ભાજપા નેતાઓની હત્યા-આત્મહત્યાઓનો ઈતિહાસ, ભાજપાના ગુંડાઓ કેમ ફૂલ્યા ફાલ્યા? | Murder-suicide

ભારતીય સૈન્ય હાજરીનો વિરોધ કરનાર માલદીવને ભારતે 50 મિલિયન ડોલરની સહાય કરી

ભારતીય સૈન્ય હાજરીનો વિરોધ કરનાર માલદીવને ભારતે 50 મિલિયન ડોલરની સહાય કરી

બચ્ચને યુદ્ધવિરામ બાદ એવું તે શું લખ્યું કે પોસ્ટ જબરજસ્ત વાઈરલ થઈ? | Amitabh Bachchan

Ahmedabad: સાબરમતી નદીનું પાણી ખાલી કરાયું

ભારત-પાકિસ્તાન વચ્ચે આજે વાતચીત, ભારતને સીઝ ફાયર કેમ કરવું પડ્યુ? | Ceasefire

PM મોદીને પદ પર રહેવાનો કોઈ અધિકાર નથી, દેશ સાથે દગો કર્યો: સંજય રાઉત | ceasefire

 

 

 

Related Posts

Congress on New Labour Code: ‘હાયર એન્ડ ફાયર’ નીતિ લાવવાનો આરોપ, મલ્લિકાર્જુન ખરગેએ નવા શ્રમ કાયદાઓને ગણાવ્યા મજૂર વિરોધી
  • May 11, 2026

Congress on New Labour Code: કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગેએ કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલા ચાર નવા લેબર કોડ સામે આકરા પ્રહાર કર્યા છે. તેમણે આક્ષેપ કર્યો છે કે…

Continue reading
Rahul Gandhi: પીએમ મોદીની સોનું અને પેટ્રોલ બચાવવાની અપીલ પર રાહુલ ગાંધી ભડક્યા, કહ્યું- આ ઉપદેશ નહીં નિષ્ફળતાના પુરાવા
  • May 11, 2026

Rahul Gandhi: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં તેલંગાણાના હૈદરાબાદ અને સિકંદરાબાદમાં આયોજિત જનસભાઓ દરમિયાન દેશવાસીઓને એક વર્ષ સુધી સોનું ન ખરીદવા માટે નમ્ર વિનંતી કરી છે. પશ્ચિમ એશિયામાં ઈરાન અને અમેરિકા…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Congress on New Labour Code: ‘હાયર એન્ડ ફાયર’ નીતિ લાવવાનો આરોપ, મલ્લિકાર્જુન ખરગેએ નવા શ્રમ કાયદાઓને ગણાવ્યા મજૂર વિરોધી

  • May 11, 2026
  • 3 views
Congress on New Labour Code: ‘હાયર એન્ડ ફાયર’ નીતિ લાવવાનો આરોપ, મલ્લિકાર્જુન ખરગેએ નવા શ્રમ કાયદાઓને ગણાવ્યા મજૂર વિરોધી

Rahul Gandhi: પીએમ મોદીની સોનું અને પેટ્રોલ બચાવવાની અપીલ પર રાહુલ ગાંધી ભડક્યા, કહ્યું- આ ઉપદેશ નહીં નિષ્ફળતાના પુરાવા

  • May 11, 2026
  • 3 views
Rahul Gandhi: પીએમ મોદીની સોનું અને પેટ્રોલ બચાવવાની અપીલ પર રાહુલ ગાંધી ભડક્યા, કહ્યું- આ ઉપદેશ નહીં નિષ્ફળતાના પુરાવા

INDIA bloc controversy: ‘અપરાધીઓ સાથે ગઠબંધન મંજૂર નથી’, સીપીએમ અને કોંગ્રેસનો મમતા બેનર્જી પર પલટવાર

  • May 11, 2026
  • 4 views
INDIA bloc controversy: ‘અપરાધીઓ સાથે ગઠબંધન મંજૂર નથી’, સીપીએમ અને કોંગ્રેસનો મમતા બેનર્જી પર પલટવાર

Chhotaudepur Sihada water Crisis: “નળ સે જળ” યોજના માત્ર કાગળ પર! સિહાદા ગામમાં લોકો ગંદુ પાણી પીવા મજબૂર

  • May 11, 2026
  • 9 views
Chhotaudepur Sihada water Crisis: “નળ સે જળ” યોજના માત્ર કાગળ પર! સિહાદા ગામમાં લોકો ગંદુ પાણી પીવા મજબૂર

Markandey Katju on Vijay: પૂર્વ જજ માર્કંડેય કાટજુનો વિજય પર તીખો હુમલો, કહ્યું- જનતા જલ્દી નવા સીએમથી નિરાશ થશે

  • May 10, 2026
  • 11 views
Markandey Katju on Vijay: પૂર્વ જજ માર્કંડેય કાટજુનો વિજય પર તીખો હુમલો, કહ્યું- જનતા જલ્દી નવા સીએમથી નિરાશ થશે

Arvind Kejriwal: સંજીવ અરોરાની ધરપકડ બાદ કેજરીવાલનો ભાજપ પર પ્રહાર, કહ્યું- જેલ પસંદ કરી પરંતુ ભાજપમાં ગયા નહીં

  • May 10, 2026
  • 10 views
Arvind Kejriwal: સંજીવ અરોરાની ધરપકડ બાદ કેજરીવાલનો ભાજપ પર પ્રહાર, કહ્યું- જેલ પસંદ કરી પરંતુ ભાજપમાં ગયા નહીં