
- GOOGLE & GROK પાસે મોદીએ બ્લડ ડોનેશન કર્યું હોવાની કોઈ માહિતી નથી.
- બિકાનેરમાં મોદીએ કહ્યું, મારી નસોમાં હવે લોહી નહીં પણ ગરમ સિંદૂર વહે છે.
મેહુલકુમાર વાસુદેવ વ્યાસ (mehul.v.vyas@gmail.com)
PM MODI BLOOD DONATION: છેલ્લાં 11 વર્ષથી ભારતની કુંડળીમાં મજબૂત ખૂણો પકડીને બેઠેલાં નરેન્દ્ર દામોદરદાસ મોદી… હવે બ્લડ ડોનેશન કરી શકશે નહીં… કારણ કે, એમની નસોમાં લોહી વહેતું જ નથી, એમની નસોમાં તો ગરમાગરમ સિંદૂર વહે છે. હવે ગરમાગરમ સિંદૂર તો કોઈ દેશભક્ત કે અંધભક્ત ભારતીયની નસોમાં વહેતું હોય તેવી તો કોઈ શક્યતા છે નહીં. એટલે મોદી મહારાજ બ્લડ ડોનેશન નહીં કરી શકે. અહીં ખાલી યાદ કરાવવા પુરતું જણાવી દઉં કે, નરેન્દ્ર દામોદરદાસ મોદીએ ક્યારેય રક્તદાન કર્યું હોય એની કોઈ વિગતો ગુગલ કે ગ્રોક પાસે મળતી નથી. કદાચ કોઈ અંધભક્તની ડાયરીમાં લખાયેલી હોય તો એની મને ખબર નથી.
આમ તો પ્રધાનમંત્રી મોદીના વિરોધમાં કંઈ બોલીએ કે લખીએ… એટલે નફરતી ચિંટુઓ આપણને દેશદ્રોહી – વિકાસ દ્રોહી તત્વો ખપાવવા પાછળ પડી જતાં હોય છે. બિચારાઓને બીજો કોઈ રોજગાર પણ નથી, એટલે તેઓની અગાઉથી ક્ષમા પ્રાર્થના સાથે વાત શરૂ કરું છું. ક્ષમા પ્રાર્થના તેઓનો ગુસ્સો સહન ના કરવો પડે એટલા માટે નથી કહી રહ્યો. પણ, એમની પૈતૃક લાગણી દુભાવવા અંગેનો ખેદ છે એટલે ક્ષમા માંગી છે.
માત્ર “મિત્રો”ના ઉદ્ધાર માટે જીવન સમર્પિત કરી દેનારા… મિત્રો માટે ખપી જવાની અદમ્ય વૃત્તિ ધરાવનારા… નરેન્દ્ર દામોદરદાસ મોદીએ આજે બિકાનેરમાં જાહેર સભાને સંબોધિત કરતી વખતે કહ્યું કે, મારી નસોમાં લોહી નહીં પરંતુ ગરમ સિંદૂર વહે છે.
લગભગ 40 મિનિટના ભાષણમાં 15 જેટલી વખત પોતાનું નામ લઈને આતંકવાદીઓને અને પાકિસ્તાનને પડકાર ફેંક્યો.. મોદીભક્તોમાં આનંદનો જુવાળ ફાટી નિકળ્યો. મોદીને ખબર છે કે બિકાનેરમાં બોલાયેલું બિહારમાં પણ સંભળાશે. એટલે વધારે જોશ બતાવીને તેમણે આતંક પર પ્રહારો કર્યાં.
પણ, જો ખરેખર મોદીના લોહીમાં આટલી જ ગરમી હોય તો… એમણે સૌથી તો પહેલગામમાં હુમલો શા માટે થયો? સુરક્ષામાં ક્યાં ચૂક રહી ગઈ? પાકિસ્તાનને જાણ કર્યા બાદ શા માટે ઓપરેશન સિંદૂર શરું કરવામાં આવ્યું? જેને યુદ્ધ ગણાવ્યું જ નહોતું એ ઓપરેશન સિંદૂરને એકદમ વિરામ (સિઝફાયર) કેમ આપવામાં આવ્યો?
આવા બધાં પ્રશ્નોના જવાબો પણ ગરમાગરમ સિંદુરીયા લોહીવાળા મહામાનવે જનતાને આપવા જોઈએ. ચાલો માની લઈએ કે દેશના પત્રકારો મોદીને દીઠા ગમતાં નથી પણ, શું હવે આ મહામાનવને પ્રજા જનોની પણ જરૂર નથી? માત્ર ઈવીએમ – નાણાં – ગુંડાઓ અને અંધભક્તોના સહારે જ સત્તા મેળવ્યા કરશો?
મને તો લાગે છે, માનનિય વડાપ્રધાન શ્રી નગારા જેવી 56 ઈંચની છાતી પર ઢમ ઢમ કરી નાંખે છે. બાકી જો ખરેખર નક્કર છાતી હોય તો ટ્રમ્પને તેવર કેમ નથી બતાવતાં? ટ્રમ્પ સાથેની પત્રકાર પરિષદમાં તમારા ચહેરાના હાવભાવ પરથી લાગતું નહોતું કે તમારા લોહીમાં ગરમાવો છે.
આ બધું તો ઠીક, મુળ મુદ્દા પર આવીએ તો… આજે બિકાનેરમાં મોદી સાહેબે 40 મિનિટના ભાષણમાં એમના નસોમાં વહેતાં લોહીની વાત કરી એટલે સહજ પ્રશ્ન થયો કે, મોદીસાહેબે ક્યારેય રક્તદાન કર્યું છે?
આ પ્રશ્નનો જવાબ શોધવા ગુગલ કર્યું તો જાણવા મળ્યું કે, મોદીના જન્મ દિવસે ભક્તો રક્તદાન શિબિરો યોજતાં હોય છે. મોદીના માર્ગદર્શનમાં અથવા તો મોદીની છબી ચમકાવવા માટે રક્તદાન શિબિરો થાય છે પણ, નરેન્દ્ર દામોદરદાસ મોદીએ ક્યારેય રક્તદાન કર્યું હોય. પોતાની નસોમાંથી લોહી કોઈના હીતાર્થે વહાવ્યું હોય એવી વિગતો પ્રાપ્ત ના થઈ.
એટલે છેવટે મોદીના મિત્ર ટ્રમ્પના ખાસ એલોન મસ્કના ગ્રૂકને સવાલ પુછ્યો કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેટલીવાર બ્લડ ડોનેશન કર્યું છે. સત્તાવાર માહિતી આપો
ગ્રૂકને અક્ષરસઃ જે પ્રશ્ન પુછ્યો એનો ગ્રૂકે જે જવાબ આપ્યો એ નીચે મુજબ છે.
નરેન્દ્ર મોદીએ બ્લડ ડોનેશન કેટલી વખત કર્યું તે અંગેની સત્તાવાર માહિતી ઉપલબ્ધ નથી. જોકે, નરેન્દ્ર મોદીએ બ્લડ ડોનેશનને પ્રોત્સાહન આપવા માટે ઘણી પહેલ કરી છે. ઉદાહરણ તરીકે, 2014માં વર્લ્ડ બ્લડ ડોનર ડે નિમિત્તે તેમણે યુવાનોને બ્લડ ડોનેશન માટે પ્રેરણા આપી હતી અને તેને સમાજ માટે મહાન સેવા ગણાવી હતી.
વધુમાં, તેમના જન્મદિવસ (17 સપ્ટેમ્બર) નિમિત્તે ઘણી વખત બ્લડ ડોનેશન ડ્રાઈવનું આયોજન કરવામાં આવે છે. 2022માં, ‘રક્તદાન અમૃત મહોત્સવ’ નામની એક ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી, જેમાં 1 લાખથી વધુ લોકોએ બ્લડ ડોનેટ કર્યું અને એક દિવસમાં સૌથી વધુ બ્લડ ડોનેશનનો વર્લ્ડ રેકોર્ડ બન્યો હતો. આ ડ્રાઈવ 17 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર (નેશનલ વોલન્ટરી બ્લડ ડોનેશન ડે) સુધી ચાલી હતી.
જો તમને નરેન્દ્ર મોદીના વ્યક્તિગત બ્લડ ડોનેશનની વિગતો જોઈએ છે, તો તે માટે સત્તાવાર સ્ત્રોત જેમ કે પ્રધાનમંત્રી કાર્યાલય (PMO) અથવા સંબંધિત સરકારી પોર્ટલ પરથી માહિતી મેળવવાની જરૂર પડશે.
ગ્રૂકનો ઉપરોક્ત જવાબ વાંચીને એટલું તો ખબર પડે છે કે મોદી સાહેબે ક્યારે લોહીનું દાન કર્યું નથી. કારણકે, જો કર્યું હોત તો ઓપરેશન સિંદૂર વખતે એમના જે ફોટા જાહેરમાં લગાડવામાં આવ્યા હતાં એના કરતાં વિશાળ ફોટોગ્રાફ્સ રસ્તાઓ પર લગાડવામાં આવ્યા હોત.
કારણકે, ઓપરેશન સિંદૂરમાં શહીદી વહોરનારા જવાનો કરતાં ટીપુંય લોહી ના વહાવનાર મોદીને સેના કરતાં મહાન ચિતરનારાઓ કે ચિતરાવનારાઓ… જો સ્વયં સ્વ-ઘોષિત મહામાનવ રક્તદાન કરે તો કેટલો પ્રચંડ ઉત્સાહ દાખવે?
એકંદરે, જે અંધભક્તોની નસોમાં સિંદૂર જેવા રંગનું લોહી વહેતું હોય તેઓ મહેરબાની કરી પીએમ મોદીને ત્યાં નામ નોંધાવી રાખે. કદાચ તમને લોહીની જરૂર પડે તો મોદી સાહેબ કદાચ તમારા કામમાં આવે.
બાકી, છેલ્લે એક વાત કરીને વિરમું છું.
આપણાં શાસ્ત્રોમાં ક્યાંય કોઈ દેવતાંને ગરમા ગરમ સિંદૂર ચડાવવામાં આવતું હોય તેવો ઉલ્લેખ મળતો નથી. કદાચ શાસ્ત્રો વાંચવામાં હું મોદી સાહેબ જેટલો પારંગત નહીં હોઉં. પણ, હવે જ્યારે મોદી સાહેબે સિંદુરીયા લોહીની વાત જાહેર મંચ પરથી કરી છે તો કાલે ઉઠીને કેટલાંક ભક્તો મોદીને એલિયન ગણાવે તો નવાઈ નહીં
ભારત માતા કી જય
Must watch! pic.twitter.com/WUHGerWlsQ
— Harsh Sanghavi (@sanghaviharsh) May 22, 2025
આ પણ વાંચો:
‘ ED હદો વટાવે છે’, 1 હજાર કરોડના દારૂ કૌભાંડની તપાસમાં સુપ્રીમની ED ને લપડાક
Ahmedabad: કેબલ ચોરી થતાં વસ્ત્રાલથી થલતેજ તરફની મેટ્રો ટ્રેન બંધ
IAS વિક્રાંત પાંડેની ગુજરાતમાં વાપસી કેમ? | Vikrant Pandey
Ahmedabad: ગુરુકુળ વિસ્તાર પાસેની ઈમારતમાં આગ લાગતાં દોડધામ!
Indigo Flight: દિલ્હીથી શ્રીનગર જતું વિમાન તૂટ્યું!, જાણો શું થયું!
Sabarkantha: પ્રાંતિજમાં ડમ્પરે બાઈકને ટક્કર મારી, બે યુવાન કાળનો કોળિયો બન્યા, પિતાને ઈજાઓ
Sabarkantha Accident: પ્રાંતિજ નજીક કારની ટક્કરે રિક્ષાએ મારી પલટી, રિક્ષાચાલક ગંભીર!
ગુજરાતના 18 રેલવે સ્ટેશનનું આજે લોકાર્પણ, ડાકોર, કરમસદ સહિત આ સ્ટેશનનો સમાવેશ? | Railway station
જાપાનના કૃષિ મંત્રીએ ચોખા પર શું બોલ્યા કે રાજીનામું આપી દેવું પડ્યું? જાણો કારણ! | Taku Eto
Vadodara: સરકારી દવાખાનામાં આશાવર્કર પર બળાત્કારનો પ્રયાસ, કપડાં ફાડ્યા, સુરક્ષા પર સવાલો?