Air India ની મુંબઈથી અમદાવાદ આવતી ફ્લાઇટ રદ કરવી પડી, જાણો કારણ

Air India Mumbai Ahmedabad flights canceled: એર ઈન્ડિયાની ફ્લાઈટ્સ વારંવાર ટેકનિકલ સમસ્યાઓનો સામનો કરી રહી છે. અમદાવાદ પ્લેન દુર્ઘટના પછી સતત તપાસ બાદ ઘણી ગેરરીતિઓ બહાર આવી રહી છે. મુંબઈથી અમદાવાદ આવતી એર ઈન્ડિયાની ફ્લાઈટ સોમવારે રદ કરવામાં આવી હતી. તેમાં પણ ટેક્નિકલ ખામી સર્જાઈ હતી.

આ ઘટનાને લીધે મુસાફરો અને એરલાઈન્સ સ્ટાફ વચ્ચે રકઝક થઈ હતી, જેના પરિણામે ફ્લાઈટ રદ કરવાની જાહેરાત કરવામાં આવી. મળતી માહિતી અનુસાર, ગત રાત્રે 10:45 વાગ્યે મુંબઈથી અમદાવાદ આવેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ રાત્રે 12:30 વાગ્યે ટેકઓફ માટે રનવે તરફ જઈ રહી હતી, ત્યારે ટેક્નિકલ ખામીના કારણે તેને રોકવામાં આવી. એરલાઈન્સ દ્વારા ફ્લાઈટ ઉપાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો, પરંતુ મુસાફરોએ સુરક્ષાને લઈને ચિંતા વ્યક્ત કરી અને ફ્લાઈટ ટેકઓફ ન કરવા જોરદાર વિરોધ કર્યો.

મુસાફરો અને સ્ટાફ વચ્ચે ગરમાગરમી

આ ઘટના બાદ મુસાફરો અને એરલાઈન્સ સ્ટાફ વચ્ચે ઉગ્ર ચર્ચા થઈ. મુસાફરોએ ટેક્નિકલ ખામીની ગંભીરતા અંગે સવાલ ઉઠાવ્યા અને ફ્લાઈટ ઉપાડવા સામે વાંધો દર્શાવ્યો. આખરે, રાત્રે 1:00 વાગ્યે પાઈલટે ફ્લાઈટ કેન્સલ કરવાની જાહેરાત કરી, અને વિમાનને પરત એરપોર્ટ ટર્મિનલ તરફ લઈ જવામાં આવ્યું.

આ દરમિયાન, મુસાફરોએ એર ઈન્ડિયા અને ઉડ્ડયન મંત્રાલયનો આભાર વ્યક્ત કર્યો કે ટેક્નિકલ ખામીની જાણકારી ગ્રાઉન્ડ પર જ સમયસર આપવામાં આવી. આના કારણે મોટી દુર્ઘટના ટળી શકી. જોકે, ફ્લાઈટ કેન્સલ થવાથી મુસાફરોમાં નારાજગી પણ જોવા મળી, અને ઘણાએ વૈકલ્પિક વ્યવસ્થાની માંગ કરી. એર ઈન્ડિયા દ્વારા હજુ સુધી આ ઘટના અંગે સત્તાવાર નિવેદન જારી કરવામાં આવ્યું નથી.

અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની વધુ એક ફ્લાઇટ કેન્સલ

હાલ જાણવા મળી રહ્યું છે અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની વધુ એક ફ્લાઇટમાં ટેકનિકલ ખામી સર્જાતા તેને રદ કરવાની ફરજ પડી છે. એર ઇન્ડિયાની ફ્લાઇટ નંબર AI 159, જે બોઇંગ 788ની હતી અને બપોરે 1:10 વાગ્યે અમદાવાદથી લંડન માટે ટેક-ઓફ થવાની હતી, તે ટેકનિકલ ખામીના કારણે કેન્સલ કરવામાં આવી છે.

આ પણ વાંચો:

World Crocodile Day: રિલાયન્સે જાડી ચામડીના 1 હજાર મગર પાળ્યા, સાસણ ગીરમાં મગર ઉછેર બંધ, કર્યું ખાનગીકરણ

VADODARA: વિશ્વામિત્રી નદીમાં બે મોટા મગરના મોત, તંત્રમાં દોડધામ

કેવડિયા ઝૂમાં બે વર્ષમાં 60 વિદેશી પ્રાણીઓ મોતને ભેટતાં હોય તો રિલાયન્સ ઝૂમાં કેટલાં પ્રાણીઓના મોત થયા હશે?

મહાકુંભમાં ભાગદોડ: મગરના આસુ સારતાં નેતાઓ લોકોની સુરક્ષાની જવાબદારી ક્યારે સ્વીકારશે?

Simmi Chaudhary Murder: મોડલ શીતલ પરિણીત, 1 દિકરો પણ, કરાયા અંતિમસંસ્કાર, સુનીલ સાથેની મિત્રતા મોંઘી પડી

Sheetal Simmi Chaudhary Murder: બોયફ્રેન્ડ સાથે શૂંટિંગમાં ગયેલી મોડલની લાશ મળી, પરિવારના ગંભીર આક્ષેપ

Snake Bite Death Meerut: પત્નીએ મોં અને પ્રેમીએ પતિનું ગળું દબાવી દીધુ, સર્પદંશનું કાવતરું, 14 દિવસના રિમાન્ડ

Ahmedabad plane crash: વિમાન દુર્ઘટના RAT ને કારણે થઈ! પૂર્વ યુએસ નેવી પાઇલટે કહ્યું

India Census: 2027 માં વસ્તી ગણતરી થશે, જાતિગત વસ્તીગણતરીનો કોઈ ઉલ્લેખ નહીં

Surat Airport: સુરતમાં ગટર પરથી વિમાન ઉડે છે, પછી શું થાય!

Related Posts

Sabarmati Jail Sewage Water Farming: સાબરમતી જેલના ‘ઝેરી’ શાકભાજી? ગટરના પાણીથી થતી ખેતીનો પર્દાફાશ!
  • May 9, 2026

Sabarmati Jail Sewage Water Farming: અમદાવાદની સાબરમતી મધ્યસ્થ જેલ ગુજરાતની સૌથી મોટી જેલ છે, જ્યાં અંદાજે 4000 જેટલા કેદીઓ વસવાટ કરે છે. આ જેલ માત્ર ગુનેગારોને રાખવાનું સ્થળ નથી, પણ…

Continue reading
Gujarat 50 lakh houses promise: નરેન્દ્ર મોદીના ગુજરાત ચૂંટણી ૨૦૧૨ના વચનોનું સરવૈયું, કેટલા મકાનો મળ્યા?
  • May 9, 2026

Gujarat 50 lakh houses promise: વર્ષ ૨૦૧૨ની ગુજરાત વિધાનસભા ચૂંટણી રાજ્યના ઈતિહાસમાં અત્યંત મહત્વની સાબિત થઈ હતી. આ એ જ ચૂંટણી હતી જેણે નરેન્દ્ર મોદીને રાષ્ટ્રીય ફલક પર વડાપ્રધાન પદના મજબૂત…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Congress Attack On Pm Modi: શુભેન્દુ અધિકારીના શપથ બાદ કોંગ્રેસનો વીડિયો હુમલો, PM મોદીના જૂના નિવેદનને લઈને BJP પર સાધ્યું નિશાન

  • May 9, 2026
  • 3 views
Congress Attack On Pm Modi: શુભેન્દુ અધિકારીના શપથ બાદ કોંગ્રેસનો વીડિયો હુમલો, PM મોદીના જૂના નિવેદનને લઈને BJP પર સાધ્યું નિશાન

Arvind Kejriwal: ‘મોદી રાજમાંથી મુક્તિ અપાવશે પંજાબ’, કેજરીવાલે PM મોદીની ઔરંગઝેબ સાથે કરી તુલના

  • May 9, 2026
  • 4 views
Arvind Kejriwal: ‘મોદી રાજમાંથી મુક્તિ અપાવશે પંજાબ’, કેજરીવાલે PM મોદીની ઔરંગઝેબ સાથે કરી તુલના

Sabarmati Jail Sewage Water Farming: સાબરમતી જેલના ‘ઝેરી’ શાકભાજી? ગટરના પાણીથી થતી ખેતીનો પર્દાફાશ!

  • May 9, 2026
  • 9 views
Sabarmati Jail Sewage Water Farming: સાબરમતી જેલના ‘ઝેરી’ શાકભાજી? ગટરના પાણીથી થતી ખેતીનો પર્દાફાશ!

Abhishek Banerjee: શુભેન્દુ અધિકારી CM બનતા અભિષેક બેનર્જીનો ભાજપ પર પ્રહાર, ચૂંટણી પ્રક્રિયા અને એજન્સીઓની ભૂમિકા પર ઉઠાવ્યા સવાલ

  • May 9, 2026
  • 9 views
Abhishek Banerjee: શુભેન્દુ અધિકારી CM બનતા અભિષેક બેનર્જીનો ભાજપ પર પ્રહાર, ચૂંટણી પ્રક્રિયા અને એજન્સીઓની ભૂમિકા પર ઉઠાવ્યા સવાલ

Gujarat 50 lakh houses promise: નરેન્દ્ર મોદીના ગુજરાત ચૂંટણી ૨૦૧૨ના વચનોનું સરવૈયું, કેટલા મકાનો મળ્યા?

  • May 9, 2026
  • 8 views
Gujarat 50 lakh houses promise: નરેન્દ્ર મોદીના ગુજરાત ચૂંટણી ૨૦૧૨ના વચનોનું સરવૈયું, કેટલા મકાનો મળ્યા?

Palanpur Haridwar Fraud Case: પાલનપુરમાં ‘ચાલો હરિદ્વાર’ના નામે મોટું કૌભાંડ, ઠગબાજોએ લોકોની આસ્થાને બનાવી કમાણીનું સાધન

  • May 9, 2026
  • 6 views
Palanpur Haridwar Fraud Case: પાલનપુરમાં ‘ચાલો હરિદ્વાર’ના નામે મોટું કૌભાંડ, ઠગબાજોએ લોકોની આસ્થાને બનાવી કમાણીનું સાધન