Air India ની મુંબઈથી અમદાવાદ આવતી ફ્લાઇટ રદ કરવી પડી, જાણો કારણ

Air India Mumbai Ahmedabad flights canceled: એર ઈન્ડિયાની ફ્લાઈટ્સ વારંવાર ટેકનિકલ સમસ્યાઓનો સામનો કરી રહી છે. અમદાવાદ પ્લેન દુર્ઘટના પછી સતત તપાસ બાદ ઘણી ગેરરીતિઓ બહાર આવી રહી છે. મુંબઈથી અમદાવાદ આવતી એર ઈન્ડિયાની ફ્લાઈટ સોમવારે રદ કરવામાં આવી હતી. તેમાં પણ ટેક્નિકલ ખામી સર્જાઈ હતી.

આ ઘટનાને લીધે મુસાફરો અને એરલાઈન્સ સ્ટાફ વચ્ચે રકઝક થઈ હતી, જેના પરિણામે ફ્લાઈટ રદ કરવાની જાહેરાત કરવામાં આવી. મળતી માહિતી અનુસાર, ગત રાત્રે 10:45 વાગ્યે મુંબઈથી અમદાવાદ આવેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ રાત્રે 12:30 વાગ્યે ટેકઓફ માટે રનવે તરફ જઈ રહી હતી, ત્યારે ટેક્નિકલ ખામીના કારણે તેને રોકવામાં આવી. એરલાઈન્સ દ્વારા ફ્લાઈટ ઉપાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો, પરંતુ મુસાફરોએ સુરક્ષાને લઈને ચિંતા વ્યક્ત કરી અને ફ્લાઈટ ટેકઓફ ન કરવા જોરદાર વિરોધ કર્યો.

મુસાફરો અને સ્ટાફ વચ્ચે ગરમાગરમી

આ ઘટના બાદ મુસાફરો અને એરલાઈન્સ સ્ટાફ વચ્ચે ઉગ્ર ચર્ચા થઈ. મુસાફરોએ ટેક્નિકલ ખામીની ગંભીરતા અંગે સવાલ ઉઠાવ્યા અને ફ્લાઈટ ઉપાડવા સામે વાંધો દર્શાવ્યો. આખરે, રાત્રે 1:00 વાગ્યે પાઈલટે ફ્લાઈટ કેન્સલ કરવાની જાહેરાત કરી, અને વિમાનને પરત એરપોર્ટ ટર્મિનલ તરફ લઈ જવામાં આવ્યું.

આ દરમિયાન, મુસાફરોએ એર ઈન્ડિયા અને ઉડ્ડયન મંત્રાલયનો આભાર વ્યક્ત કર્યો કે ટેક્નિકલ ખામીની જાણકારી ગ્રાઉન્ડ પર જ સમયસર આપવામાં આવી. આના કારણે મોટી દુર્ઘટના ટળી શકી. જોકે, ફ્લાઈટ કેન્સલ થવાથી મુસાફરોમાં નારાજગી પણ જોવા મળી, અને ઘણાએ વૈકલ્પિક વ્યવસ્થાની માંગ કરી. એર ઈન્ડિયા દ્વારા હજુ સુધી આ ઘટના અંગે સત્તાવાર નિવેદન જારી કરવામાં આવ્યું નથી.

અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની વધુ એક ફ્લાઇટ કેન્સલ

હાલ જાણવા મળી રહ્યું છે અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની વધુ એક ફ્લાઇટમાં ટેકનિકલ ખામી સર્જાતા તેને રદ કરવાની ફરજ પડી છે. એર ઇન્ડિયાની ફ્લાઇટ નંબર AI 159, જે બોઇંગ 788ની હતી અને બપોરે 1:10 વાગ્યે અમદાવાદથી લંડન માટે ટેક-ઓફ થવાની હતી, તે ટેકનિકલ ખામીના કારણે કેન્સલ કરવામાં આવી છે.

આ પણ વાંચો:

World Crocodile Day: રિલાયન્સે જાડી ચામડીના 1 હજાર મગર પાળ્યા, સાસણ ગીરમાં મગર ઉછેર બંધ, કર્યું ખાનગીકરણ

VADODARA: વિશ્વામિત્રી નદીમાં બે મોટા મગરના મોત, તંત્રમાં દોડધામ

કેવડિયા ઝૂમાં બે વર્ષમાં 60 વિદેશી પ્રાણીઓ મોતને ભેટતાં હોય તો રિલાયન્સ ઝૂમાં કેટલાં પ્રાણીઓના મોત થયા હશે?

મહાકુંભમાં ભાગદોડ: મગરના આસુ સારતાં નેતાઓ લોકોની સુરક્ષાની જવાબદારી ક્યારે સ્વીકારશે?

Simmi Chaudhary Murder: મોડલ શીતલ પરિણીત, 1 દિકરો પણ, કરાયા અંતિમસંસ્કાર, સુનીલ સાથેની મિત્રતા મોંઘી પડી

Sheetal Simmi Chaudhary Murder: બોયફ્રેન્ડ સાથે શૂંટિંગમાં ગયેલી મોડલની લાશ મળી, પરિવારના ગંભીર આક્ષેપ

Snake Bite Death Meerut: પત્નીએ મોં અને પ્રેમીએ પતિનું ગળું દબાવી દીધુ, સર્પદંશનું કાવતરું, 14 દિવસના રિમાન્ડ

Ahmedabad plane crash: વિમાન દુર્ઘટના RAT ને કારણે થઈ! પૂર્વ યુએસ નેવી પાઇલટે કહ્યું

India Census: 2027 માં વસ્તી ગણતરી થશે, જાતિગત વસ્તીગણતરીનો કોઈ ઉલ્લેખ નહીં

Surat Airport: સુરતમાં ગટર પરથી વિમાન ઉડે છે, પછી શું થાય!

Related Posts

Chaitar Vasava: ચૈતર વસાવાને ૭ વર્ષની સજા, આદિવાસીઓના અવાજને દબાવવાનું રાજકીય ષડયંત્ર?
  • June 23, 2026

Chaitar Vasava: ગુજરાતના રાજકારણમાં એક મોટા ભૂકંપ સમાન ઘટનામાં, નર્મદા જિલ્લાની ડેડિયાપાડા વિધાનસભા બેઠકના આમ આદમી પાર્ટી (AAP) ના ધારાસભ્ય ચૈતર વસાવાને રાજપીપળાની સેશન્સ કોર્ટે સાત વર્ષની જેલની સજા ફટકારી…

Continue reading
Student Suicide Crisis Gujarat: ગુજરાતમાં વિદ્યાર્થી આત્મહત્યાના ચોંકાવનારા આંકડા, ચાર વર્ષમાં 1063 વિદ્યાર્થીઓએ જીવન ટૂંકાવ્યું, કોંગ્રેસે સરકારને ઘેરી
  • June 23, 2026

Student Suicide Crisis Gujarat: ગુજરાતમાં છેલ્લા ચાર વર્ષમાં વિદ્યાર્થીઓની આત્મહત્યાના આંકડાએ સમગ્ર શિક્ષણ વ્યવસ્થાની પોલ ખોલી નાખી છે. કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ રજૂ કરેલા ચોંકાવનારા આંકડા મુજબ, ૨૦૨૦-૨૧…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Shiv Sena Rebellion History: શિવસેનાનો ઇતિહાસ અને બળવાનો સિલસિલો, ભુજબલથી લઈને શિંદે અને હવે વધુ ૬ સાંસદો થયા અલગ

  • June 24, 2026
  • 2 views
Shiv Sena Rebellion History: શિવસેનાનો ઇતિહાસ અને બળવાનો સિલસિલો, ભુજબલથી લઈને શિંદે અને હવે વધુ ૬ સાંસદો થયા અલગ

Lucknow Coaching Centre Fire: લખનૌ કોચિંગ સેન્ટર અગ્નિકાંડ: ૧૫ માસૂમોના મોત, તપાસમાં ખુલ્યું ૧૦ વર્ષ જૂનું ગેરકાયદે બાંધકામનું કૌભાંડ

  • June 24, 2026
  • 2 views
Lucknow Coaching Centre Fire: લખનૌ કોચિંગ સેન્ટર અગ્નિકાંડ: ૧૫ માસૂમોના મોત, તપાસમાં ખુલ્યું ૧૦ વર્ષ જૂનું ગેરકાયદે બાંધકામનું કૌભાંડ

Forest Land Diversion Report: વિકાસના નામે વિનાશ? ૩ વર્ષમાં ૨૮ લાખથી વધુ વૃક્ષો કાપવાની અપાઈ મંજૂરી

  • June 24, 2026
  • 3 views
Forest Land Diversion Report: વિકાસના નામે વિનાશ? ૩ વર્ષમાં ૨૮ લાખથી વધુ વૃક્ષો કાપવાની અપાઈ મંજૂરી

Indian Students Abroad: ડિગ્રી હાથમાં હોવા છતાં ડિલિવરી બોય બનવા મજબૂર ભારતીય યુવાનો

  • June 23, 2026
  • 5 views
Indian Students Abroad: ડિગ્રી હાથમાં હોવા છતાં ડિલિવરી બોય બનવા મજબૂર ભારતીય યુવાનો

Chaitar Vasava: ચૈતર વસાવાને ૭ વર્ષની સજા, આદિવાસીઓના અવાજને દબાવવાનું રાજકીય ષડયંત્ર?

  • June 23, 2026
  • 12 views
Chaitar Vasava: ચૈતર વસાવાને ૭ વર્ષની સજા, આદિવાસીઓના અવાજને દબાવવાનું રાજકીય ષડયંત્ર?

Telangana SBI Land Dispute: હૈદરાબાદની પાંચ એકર જમીનને લઈને તેલંગાણા સરકાર અને SBI આમને-સામને

  • June 23, 2026
  • 12 views
Telangana SBI Land Dispute: હૈદરાબાદની પાંચ એકર જમીનને લઈને તેલંગાણા સરકાર અને SBI આમને-સામને