
Language controversy Maharashtra: મહારાષ્ટ્રમાં એક ગુજરાતી વેપારીને મરાઠી ન બોલવવા માર મરાયો છે. જેને લઈ ભારે વિવાદ થયો છે. ગુજરાતીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ભાષાનો વિવાદ વધુ વકર્યો છે. આ મુદ્દે પ્રતિક્રિયા આપતા મંત્રી નિતેશ રાણેએ પ્રશ્ન ઉઠાવ્યો કે શું જાવેદ અખ્તર અને આમિર ખાન જેવા લોકો મરાઠી બોલે છે? રાણેએ દાવો કર્યો કે આ બધું ‘હિંદુઓના ભાગલાં પાડવા માટે હુમલા થાય’ છે. તેમણે ચેતવણી આપી હતી કે જો આ લોકો નહીં સમજે તો સરકારે તેનું ‘ત્રીજું નેત્ર’ ખોલવું પડશે.
‘ગુંડાગીરી સહન નહીં કરાઈ
આ મુદ્દે કડક વલણ અપનાવતા નિતેશ રાણેએ કહ્યું ‘હું ખાતરી આપું છું કે કડક કાર્યવાહી કરવામાં આવશે. કોઈપણ પ્રકારની ગુંડાગીરી સહન કરવામાં આવશે નહીં.’ FIR નબળી નોંધવા પર તેમણે કહ્યું કે મુખ્યમંત્રી આ મામલા પર ખૂબ જ નજર રાખી રહ્યા છે. તેમણે લોકોને ધીરજ રાખવાની અપીલ કરી અને ખાતરી આપી કે કાર્યવાહી કરવામાં આવશે, અને ખૂબ જ કડક કાર્યવાહી કરવામાં આવશે.
‘આ હિન્દુ સરકાર છે, હિન્દુઓને નિશાન ન બનાવો’

રાણેએ વધુમાં કહ્યું, ‘આ ગુંડાગીરી સહન કરવામાં આવશે નહીં, કોઈ પણ હિન્દુને નિશાન બનાવવો જોઈએ નહીં, આ એક હિન્દુત્વ સરકાર છે.’ તેમણે એવો પણ પ્રશ્ન ઉઠાવ્યો કે જો આ ભીંડી બજાર, બહેરામપાડા કે આવી કોઈ બીજી જગ્યા હોત, તો શું આ લોકોએ ત્યારે પણ આવું જ કર્યું હોત?
મરાઠી ભાષા પ્રત્યેના આદર પર ભાર મૂકતા તેમણે કહ્યું, ‘મરાઠી બોલવી જોઈએ, આમાં કોઈ સમાધાન નથી, પરંતુ કોઈએ કાયદો પોતાના હાથમાં લેવો જોઈએ નહીં.’ રાજ ઠાકરે સાથેના સંબંધો અંગે તેમણે કહ્યું, ‘રાજ ઠાકરે સાથે અમારા સંબંધો છે, પરંતુ રાજકારણ એક અલગ જગ્યા છે.’ તેમણે પુનરોચ્ચાર કર્યો, ‘હું તમને ખાતરી આપું છું કે કડક અને સમયસર પગલાં લેવામાં આવશે.’
ગુજરાતીને માર મારવા બદલ પોલીસે શું કહ્યું?
આ કેસમાં પોલીસે જણાવ્યું છે કે એફઆઈઆર નોંધાયાના દિવસે જ બધા આરોપીઓને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા. વધુમાં કહ્યું કે ફોર્મ ભર્યા પછી બધા આરોપીઓની ફિંગરપ્રિન્ટ લેવામાં આવી હતી અને નોટિસ આપ્યા પછી તેમને છોડી દેવામાં આવ્યા હતા. હાલ બધા જ આરોપી જેલ બહાર છે.
આવતીકાલે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવશે. પોલીસે સ્પષ્ટતા કરી કે શરૂઆતમાં તે નોન-કોગ્નિઝેબલ કેસ હતો, પરંતુ તેની ગંભીરતાને ધ્યાનમાં રાખીને FIR નોંધવામાં આવી હતી.
શું હતી ઘટના?
મહારાષ્ટ્રમાં ગુજરાતી દુકાનદાર પર હુમલો, મરાઠી ન બોલવાની સજા! #MNS #mumbai pic.twitter.com/6r3EAT3jm9
— The Gujarat Report (@TGujarat_Report) July 2, 2025
મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં એક ગુજરાતી ફૂડ સ્ટોલ માલિકને મરાઠીમાં ન બોલવા બદલ રાજકીય પક્ષના કાર્યકરો દ્વારા માર મારવામાં આવ્યો હતો. આ ઘટના ગત મંગળવારે ભાયંદર વિસ્તારમાં બની હતી. આ ઘટનાનો વીડિયો ખૂબ વાયરલ થઈ ગયો છે. જેથી ગુજરાતી લોકોમાં ભારે રોષ ભૂભૂક્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે કેટલાક શખ્સો રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) પાર્ટીના પ્રતીકવાળા ખેસ પહેરેલા જોવા મળ્યા હતા. જેઓએ મરાઠી ન બોલવા પર ગુજરાતી દુકાનદારને ઉપરા છાપરી પર તબાચા મારી દીધી હતા.
આ પણ વાંચોઃ
Viral video: ઈરાને અમેરિકાના સૈનિકોને દબોચી લીધા, રડવાનો વારો આવ્યો, ઈરાનને લીધા હતા આટલા ડોલર?
E VOTINGની વાતો કરતી મોદી સરકાર મતદારોને ખતમ કેમ કરવા માગે છે?
Scrap Policy Chaos: દિલ્હીમાં મોદી સરકાર ઝૂંકી!, મારવો પડ્યો યુટર્ન, જૂની ગાડીઓ નહીં હટે
IND vs PAK: મોદીની વાતોનો ફિયાસ્કો, પાકિસ્તાની હોકી ટીમ ભારતમાં ઘૂસસે, પહેલગામ હુમલો જલ્દી જ ભૂલાયો!
Wankaner: BJP ધારસભ્ય જીતુ સોમાણીનો પત્રકાર ભાટી એન. પર હિંસક હુમલો, પહેલા ડોક્ટર પર કર્યો હતો
Kerala ના એરપોર્ટ પર અટવાયેલું F-35 રિપેર કરવામાં બ્રિટનના એન્જિનિયરો નિષ્ફળ
અવકાશયાત્રીને મોદીએ ગાજરના હલવા અંગે સવાલ પૂછ્યો, બીજુ કશું જ ના સૂજ્યું!| Space
Disha Salian: દિશા સલિયનના મોત મામલે 4 મોટી હસ્તીઓ સામે FIR,આદિત્ય ઠાકરે પણ સામેલ
Mumbai: બાળકને દારુ પીડાવી શિક્ષિકાએ હોટલમાં યૌન સંબંધ બાંધ્યા, આ રીતે ભાંડો ફૂટ્યો?
Ahmedabad Rath Yatra incident: હાથીને માર મર્યા બાદ કલેક્ટરની બેઠક, દોષનો ટોપલો કોના પર ઢોળાયો?
Ahmedabad: ટ્રક ચાલુ થતાં જ યુવક નીચે સૂઈ ગયો, સામે ચાલી મોતને નોંતર્યું?, જાણો વધુ
ISKCON Temple: અમેરિકામાં હિન્દુ મંદિર પર ગોળીબાર, ભારત શું બોલ્યું?
આ કેવા વિશ્વગુલ્લુ છે!, પોતાના જ પડોશી દેશોનો સાથ મળતો નથી? | Pakistan-China new plan
Pakistan-China: પાકિસ્તાન-ચીનની ભારતને એકલું પાડવાની ચાલ, પાડોશી દેશો સાથે કરી બેઠક!










