Gujarat politics: ચૈતર વસાવાની ધરપકડ રાજકીય ચાલ, શું ભાજપ AAPનો ઉપયોગ કરી કોંગ્રેસને ખતમ કરવા માંગે છે?

Gujarat politics: ગુજરાતમાં હાલ ભરુચ જિલ્લાનું રાજકારણ ખુબ ગરમાયું છે. અને આપ ધારાસભય ચૈતર વસાવા હાલ તેના હીરો તરીકે જોવામાં આવી રહ્યા છે. પોલીસ દ્વારા તેમની અટકાયત કરતા આપ નેતાઓ અને આદિવાસી લોકો તેમના સમર્થનમાં આવ્યા છે ત્યારે આ બધામાં અંદરનું શું રાજકારણ છે અંદરો અંદર શું ચાલી રહ્યું છે તે વિશે નર્મદાના સ્થાનિક પત્રકાર ઉમેશે સમજાવ્યું છે.

ચૈતર વસાવાની ધરપકડ પાછળનું રાજકારણ

સ્થાનિક પત્રકારે જણાવ્યું કે, આ માત્ર એક ઘટના નથી પરંતુ ત્રણ ઘટના છે. પહેલા નર્મદા જિલ્લાના દેડીયાપાડામાં આદિજાતિ વિકાસ કચેરી (ATVT)ની સંકલન બેઠકમાં ચૈતર વસાવા જાય છે. ત્યારે તેઓ જુએ છે કે, આ બેઠકમાં જે ચૂંટાયેલા પ્રતિનિધીઓ નથી તે પણ હાજર છે. આ ઘટના બાદ ચૈતર વસાવા સવાલ ઉઠાવે છે અને પછી બબાલ થાય છે. બીજી ઘટનામાં પોલીસે જે પ્રમાણે કાર્યવાહી કરી તે છે ત્રીજા ઘટના તે છે કે, આ બધાની વચ્ચે આપ પાર્ટીએ આ ઘટનાને સ્ટેટ લેવનો મુદ્દો બનાવી દીધો અને હાઈવોલ્ટેજ ટ્રામા બનાવ્યો. આ ઘટના બાદ સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ શરુ થયો અને તેમના સમર્થકો ઉમટ્યા અને પોલીસ સાથે તેમનું ઘર્ષણ પણ થયું હોવાનું સામે આવ્યું. ત્યારે બીજી તરફ ભાજપ આ મુદ્દાને આદિવાસીનો મુદ્દો બનાવવાની કોશિશ કરી રહી છે.

 ભૂપેન્દ્ર પટેલની સરકાર પર ગરીબોની રોજી-રોટી છીનવી લેવાનો આક્ષેપ 

ગુજરાતમાં 2500 કરોડ રૂપિયાના ગરીબી નિવારણ કૌભાંડના આરોપે રાજ્યનું રાજકારણ ગરમાયું છે. ભરૂચના ભાજપના સાંસદ મનસુખ વસાવાએ આ કૌભાંડનો આરોપ મૂક્યો છે, જેમાં ભૂપેન્દ્ર પટેલની સરકાર પર ગરીબોની રોજી-રોટી છીનવી લેવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે. આ મુદ્દે આમ આદમી પાર્ટી (AAP) દ્વારા શરૂ કરવામાં આવેલી “વિજય સંદેશ યાત્રા” ભાજપ માટે માથાનો દુખાવો બની રહી છે, કારણ કે આ યાત્રાએ રાજ્યના આદિવાસી મતદારોમાં AAPની પકડ મજબૂત કરી છે.

લોકસભા ચૂંટણી 2024: ચૈતર વસાવાની જીત અને ભાજપની ઘટતી લીડ

2024ની લોકસભા ચૂંટણીમાં AAPના નેતા ચૈતર વસાવાએ ભરૂચ બેઠક પરથી ચૂંટણી લડી હતી. ભલે તેઓ જીત્યા ન હતા, પરંતુ 5 લાખ મતો મેળવીને ભાજપની લીડને નોંધપાત્ર રીતે ઘટાડી દીધી હતી. 2019ની ચૂંટણીમાં ભાજપે ભરૂચમાં 3.34 લાખ મતોની સરસાઈ મેળવી હતી, જે 2024માં ઘટીને માત્ર 85,000 મતોની રહી. ચૈતર વસાવાએ પોતાની રાજકીય તાકાત અને AAPના આધારે આ બેઠક પર ભાજપને કડક ટક્કર આપી, જેના કારણે ગુજરાતના આદિવાસી મતદારોમાં તેમની લોકપ્રિયતા વધી છે.

આદિવાસી મતદારો અને રાજકીય રમત

ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં લગભગ 80 લાખ મતદારો છે, જે દેશની ચૂંટણીઓમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. ભાજપ આ મતદારોની વચ્ચે પોતાની પકડ જાળવી રાખવા માગે છે, પરંતુ AAP અને ચૈતર વસાવાની લોકપ્રિયતાએ તેમની ચિંતા વધારી છે. આમ આદમી પાર્ટીનો આરોપ છે કે ભાજપ આદિવાસી મતદારોના મતોને AAP તરફ ધકેલવાનો પ્રયાસ કરી રહી છે, જેથી કોંગ્રેસનું પરંપરાગત મતબેંક નબળું પડે.

ચૈતર વસાવા પર ગુનાઓનો આરોપ: રાજકીય ષડયંત્ર?

ચૈતર વસાવા સામે ગુજરાત પોલીસ દ્વારા અનેક ગુનાઓ નોંધવામાં આવ્યા છે, જેને AAP રાજકીય ષડયંત્ર ગણાવે છે. આ ઘટનાઓને કોંગ્રેસના 22 પૂર્વ ધારાસભ્યોની જેમ ભાજપમાં ખેંચવાની ચાલ તરીકે જોવામાં આવી રહી છે, જેઓએ ભાજપમાં જોડાયા હતા. AAPનો દાવો છે કે ગુજરાત પોલીસ ભાજપના ઈશારે કામ કરી રહી છે, અને ચૈતર વસાવાને બદનામ કરવા તેમની સામે ખોટા કેસ દાખલ કરવામાં આવ્યા છે.

અમિત શાહની ચાલબાજી અને ભૂપેન્દ્ર પટેલની નિષ્ફળતા?

આમ આદમી પાર્ટીનો આરોપ છે કે ગૃહમંત્રી અમિત શાહની રણનીતિ હેઠળ ભાજપ આદિવાસી મતદારોને AAP તરફ ધકેલી કોંગ્રેસને નબળી પાડવાનો પ્રયાસ કરી રહી છે. આ રણનીતિનો હેતુ ગુજરાતમાં કોંગ્રેસના પરંપરાગત મતબેંકને ખતમ કરવાનો હોવાનું મનાય છે. આ ઉપરાંત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પર પોલીસને બેલગામ સત્તા આપવાનો આરોપ છે, જેના કારણે રાજકીય દબાણનો ઉપયોગ કરીને વિરોધી નેતાઓને નિશાન બનાવવામાં આવે છે. આ બધું ભાજપની છબીને નુકસાન પહોંચાડી શકે છે, જેને AAP “પોતાના પગ પર કુહાડી મારવી” તરીકે ગણાવે છે.

 શું ભાજપની ચાલ સફળ થશે?  

ગુજરાતનું રાજકારણ 2500 કરોડના કથિત કૌભાંડ અને ચૈતર વસાવાના મુદ્દે ગરમાયેલું છે. AAPની વિજય સંદેશ યાત્રા અને આદિવાસી મતદારોમાં વધતી લોકપ્રિયતાએ ભાજપને ચિંતામાં મૂકી દીધી છે. ચૈતર વસાવા સામેના ગુનાઓ અને પોલીસની કથિત રાજકીય ભૂમિકા પરના આરોપોએ રાજ્યની રાજનીતિમાં નવો વિવાદ જન્માવ્યો છે.  ત્યારે આદિવાસી મતો AAP તરફ ધકેલી કોંગ્રેસને નબળી કરવાનો ભાજપનો પ્લાન કેટલો સફળ થશે. આગામી દિવસોમાં આ મુદ્દો રાજ્યના રાજકારણને કઈ દિશામાં લઈ જશે, તે જોવું રહ્યું.

આ પણ વાંચો:

 
 
 
 
 

  • Related Posts

    PM Modi: CM નરેન્દ્ર મોદી પર ₹ 1 લાખ કરોડના ભ્રષ્ટાચારનો આરોપ લગાવનાર ‘ઝડફિયા’ હવે આજ પાર્ટીના ‘વફાદાર નેતા’ બની ગયા છે!
    • March 19, 2026

    PM Modi: રાજકારણમાં નેતાઓ જેનો વિરોધ કરતા હોય તેની પાર્ટીમાં ક્યારે ભળી જાય તે કહેવાય નહિ અગાઉ આવાજ એક નેતા કે જેઓનું નામ ગોરધન ઝડફિયા છે તેઓએ એક સમયે નરેન્દ્ર…

    Continue reading
    BJP: રાજ્યની આંગણવાડી બહેનોએ કામથી અળગા રહી શરૂ કર્યું આંદોલન; બહેનોની પડતર માંગણીઓ સરકાર સાંભળતી નથી
    • March 18, 2026

    BJP: રાજ્ય સરકાર પાસે છેલ્લા ઘણાજ સમયથી પડતર માંગણીઓ મુદ્દે લડત આપી રહેલી આંગણવાડી બહેનો, આશા વર્કરો અને હેલ્પર બહેનોએ સરકાર સામે લડી લેવા હવે કામકાજથી અળગા રહી આંદોલન શરૂ…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Mini storm: ગુજરાતમાં પવન-ગાજવીજ સાથે જામ્યો વરસાદી માહોલ,ખેડૂતોને વ્યાપક નુકશાન

    • March 19, 2026
    • 3 views
    Mini storm: ગુજરાતમાં પવન-ગાજવીજ સાથે જામ્યો વરસાદી માહોલ,ખેડૂતોને વ્યાપક નુકશાન

    Ahmedabad: યોગ ગુરુજીએ આશ્રમ ઉભો કરી નકલી નોટો છાપવાનો “ગોરખધંધો” શરૂ કર્યો! પણ પકડાઈ ગયા!!

    • March 19, 2026
    • 7 views
    Ahmedabad: યોગ ગુરુજીએ આશ્રમ ઉભો કરી નકલી નોટો છાપવાનો “ગોરખધંધો” શરૂ કર્યો! પણ પકડાઈ ગયા!!

    MODI: CM નરેન્દ્ર મોદી રાજ્યપાલોને કેન્દ્રના એજન્ટ કહેતા હતા! આજે PM મોદીના રાજમાં શુ બદલાયું? CM મોદીનો હવે PM મોદીને સવાલ!!

    • March 19, 2026
    • 15 views
    MODI: CM નરેન્દ્ર મોદી રાજ્યપાલોને કેન્દ્રના એજન્ટ કહેતા હતા! આજે PM મોદીના રાજમાં શુ બદલાયું? CM મોદીનો હવે  PM મોદીને સવાલ!!

    America: અમેરિકાની USCIRF પેનલે RSS અને R&AW પર પ્રતિબંધ મુકવાની વાત કેમ કરી? જુઓ, ખાસ વિશ્લેષણ

    • March 19, 2026
    • 4 views
    America: અમેરિકાની USCIRF પેનલે RSS અને R&AW પર પ્રતિબંધ મુકવાની વાત કેમ કરી? જુઓ, ખાસ વિશ્લેષણ

    PM Modi: CM નરેન્દ્ર મોદી પર ₹ 1 લાખ કરોડના ભ્રષ્ટાચારનો આરોપ લગાવનાર ‘ઝડફિયા’ હવે આજ પાર્ટીના ‘વફાદાર નેતા’ બની ગયા છે!

    • March 19, 2026
    • 12 views
    PM Modi: CM નરેન્દ્ર મોદી પર ₹ 1 લાખ કરોડના ભ્રષ્ટાચારનો આરોપ લગાવનાર ‘ઝડફિયા’ હવે આજ પાર્ટીના ‘વફાદાર નેતા’ બની ગયા છે!

    Iran War Updates: ઈઝરાયેલે ઈરાનના ઊર્જા ક્ષેત્ર પર હુમલો કર્યા બાદ ઈરાને કતારના ગેસ હબ પર કર્યો વળતો પ્રહાર! ઈરાનની ધમકી હવે દુશ્મનોના ઉર્જા ક્ષેત્રો રાખમાં ફેરવી નાખીશું! ભારતનું અર્થતંત્ર ખોરવાશે!

    • March 19, 2026
    • 10 views
    Iran War Updates: ઈઝરાયેલે ઈરાનના ઊર્જા ક્ષેત્ર પર હુમલો કર્યા બાદ ઈરાને  કતારના ગેસ હબ પર કર્યો વળતો પ્રહાર! ઈરાનની ધમકી હવે દુશ્મનોના ઉર્જા ક્ષેત્રો રાખમાં ફેરવી નાખીશું! ભારતનું અર્થતંત્ર ખોરવાશે!