75 વર્ષની ઉંમર પાર કરનારા નેતાઓએ વિદાય લેવી જોઈએ, ભાગવત નિવેદન આપી ખુદ ફસાઈ ગયા, જાણો | Mohan Bhagwat statement

  • India
  • July 11, 2025
  • 0 Comments

Mohan Bhagwat statement: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના વડા મોહન ભાગવતે 75 વર્ષની ઉંમર પાર કરનારા નેતાઓને ‘સન્માનજનક વિદાય’ લેવાની સલાહ આપ્યા બાદ રાજકીય તોફાન મચી ગયું છે. આ નિવેદન પર વિપક્ષે તરત જ હુમલો કર્યો, વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું અને તેમને “નિવૃત્તિ” લેવાની માંગ કરી. ભાગવતની 75 વર્ષની ઉંમરે પદ છોડવાની કથિત ટિપ્પણી અંગે કોંગ્રેસે કહ્યું કે હવે તો મોહન ભાગવતે મોદીને યાદ અપાવવું પડ્યું કે તેઓ 75 વર્ષના થઈ જશે

કોંગ્રેસનો કટાક્ષ: આ કેવા પ્રકારનું ઘરવાપસી છે?

કોંગ્રેસ પાર્ટીના મહાસચિવ જયરામ રમેશે કહ્યું કે પ્રધાનમંત્રી પણ મોહન ભાગવતને કહી શકે છે. તેઓ પણ 11 સપ્ટેમ્બર 2025 ના રોજ 75 વર્ષના થશે. તેમણે X પર એક પોસ્ટમાં કહ્યું, “બિચારો એવોર્ડ ઇચ્છુક પ્રધાનમંત્રી! આ કેવીઘર વાપસી છે – પાછા ફરતી વખતે, સંઘ દ્વારા તેમને યાદ અપાવવામાં આવ્યું કે તેઓ 17 સપ્ટેમ્બર 2025ના રોજ 75 વર્ષના થશે. એક તીર, બે નિશાન!”

પવન ખેરાએ શું કહ્યું?

કોંગ્રેસના પ્રવક્તા પવન ખેરાએ પણ પ્રહારો કરતા કહ્યું કે, “હવે તમે બંને તમારી બેગ ઉપાડો અને એકબીજાને માર્ગદર્શન આપો.” તેમણે એક વીડિયો શેર કરીને લખ્યું કે, “દેશ માટે સારા દિવસો આવી રહ્યા છે. ભાગવત અને મોદી જવાના છે.”

શું મોદી પોતાના 75 વર્ષની ઉંમરનો નિયમ લાગુ કરશે ?: શિવસેના

અગાઉ શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) ના સાંસદ સંજય રાઉતે પૂછ્યું હતું કે શું પીએમ મોદી ભાજપના વરિષ્ઠ નેતાઓની જેમ 75 વર્ષની ઉંમરનો નિયમ પોતાના પર પણ લાગુ કરશે ખરા. રાઉતે કહ્યું, “મોદીજીએ લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી અને જસવંત સિંહ જેવા નેતાઓને 75 વર્ષની ઉંમર પાર કરી ત્યારે તેમને બાજુ પર મૂકી દીધા હતા. હવે જોઈએ કે શું તેઓ પોતાના પર પણ આ જ નિયમ લાગુ કરે છે.”

RSS અને ભાજપ વચ્ચેની આ ચર્ચા હવે ખુલ્લી રીતે બહાર આવી: પ્રિયંકા ચતુર્વેદી

શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) ના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ પણ આ મુદ્દા પર ટિપ્પણી કરી. તેમણે કહ્યું, “આ એક સ્પષ્ટ સંદેશ છે અને તે તે વ્યક્તિ માટે છે જે સપ્ટેમ્બરમાં પોતાનો 75મો જન્મદિવસ ઉજવશે. RSS અને ભાજપ વચ્ચેની આ ચર્ચા હવે ખુલ્લી રીતે બહાર આવી રહી છે.” ચતુર્વેદીએ એમ પણ સંકેત આપ્યો કે આ નિવેદન ભાજપના આંતરિક નેતૃત્વમાં પરિવર્તનની શક્યતા દર્શાવે છે.

ભાગવત શું બોલ્યા કે હડકંપ મચ્યો?

મોહન ભાગવતે બુધવારે નાગપુરમાં એક પુસ્તક વિમોચન કાર્યક્રમમાં કહ્યું. “જ્યારે તમે 75 વર્ષના થાઓ છો, ત્યારે તેનો અર્થ એ છે કે હમણાં જ થોભો અને બીજાઓને મોકો આપો.” ભાગવત આરએસએસના વિચારધારક મોરોપંત પિંગલેની ટિપ્પણીનો ઉલ્લેખ કરી રહ્યા હતા કે જ્યારે 75 વર્ષ પૂર્ણ થવા પર તમારા પર શાલ પહેરાવવામાં આવે છે, તો તેનો અર્થ એ છે કે તમે ચોક્કસ ઉંમરે પહોંચી ગયા છો, હવે તમારે બાજુ પર હટી જવું જોઈએ અને બીજાઓને કામ કરવા દેવું જોઈએ.

RSS વડા અને મોદી વચ્ચે ઉંમરમાં સમાનતા

નોંધનીય છે કે મોહન ભાગવત અને પીએમ નરેન્દ્ર મોદી બંનેનો જન્મ સપ્ટેમ્બર 1950 માં થયો હતો. એટલા માટે રાજકીય વર્તુળોમાં ભાગવતના નિવેદનને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.

નાગપુર પ્રવાસ પર પણ પ્રશ્નો ઉભા થયા

સંજય રાઉતે અગાઉ એવો પણ દાવો કર્યો હતો કે માર્ચમાં નાગપુરમાં આરએસએસ મુખ્યાલયમાં પીએમ મોદીની મુલાકાત, જે એક દાયકામાં પહેલી વાર હતી, તે “સંભવિત નિવૃત્તિ” અંગે ચર્ચા કરવા માટે હતી.

RSS અને ભાજપ વચ્ચે નેતૃત્વની ઉંમર અંગે આ કોઈ નવો વિવાદ નથી. અગાઉ પણ ભાજપમાં 75 વર્ષની વય મર્યાદા અંગે ચર્ચા થઈ છે, જેના હેઠળ ઘણા વરિષ્ઠ નેતાઓને સક્રિય રાજકારણમાંથી દૂર કરીને ‘માર્ગદર્શક મંડળ’માં સામેલ કરવામાં આવ્યા હતા. જોકે, વડા પ્રધાન મોદીના કિસ્સામાં આ નીતિ લાગુ થશે કે નહીં તે એક મોટો પ્રશ્ન છે.

જોકે, ભાજપે આ દાવાને સંપૂર્ણપણે નકારી કાઢ્યો અને તેને નિયમિત મુલાકાત ગણાવી. ગૃહમંત્રી અમિત શાહે મે 2023 માં જ સ્પષ્ટ કર્યું હતું કે પીએમ મોદી 2029 સુધી દેશનું નેતૃત્વ ચાલુ રાખશે. તેમણે કહ્યું હતું કે, “ભાજપના બંધારણમાં નિવૃત્તિની કોઈ ઉંમર નક્કી નથી. મોદીજી 2029 સુધી વડાપ્રધાન રહેશે.”

 

આ પણ વાંચોઃ

Bihar: મતદારયાદી સુધારણા પર સ્ટે મૂકવાનો સુપ્રીમ કોર્ટનો ઇનકાર, આધારને કેમ નાગરિકતાનો પુરાવો ન ગણી શકાય?

Gurugram Murder: માતાના જન્મ દિવસે જ પિતાએ પુત્રીને 3 ગોળી મારી, શું અફેર હતુ? જાણો હચમચાવી નાખતો કિસ્સો

Bihar Election: મતદારો પાસે ચૂંટણીપંચ નહીં માગે ડોક્યુમેન્ટ, ‘વસ્તીગણતરી કરવાનું કામ ચૂંટણીપંચનું નથી’

Sabarkantha: ગાંજો રાખવા અને ઉગાડવા મામલે મંદિરના મહંત સહિત બેની ધરપકડ

Gambhira Bridge Collapse: ગંભીરામાં ભૂપેન્દ્ર પટેલ કઈ રીતે જવાબદાર?, મોરબીની ઘટના પછી પણ લોકોને ભૂપેન્દ્ર પટેલ સરકારે ગેરમાર્ગે દોર્યા

Japan Heavy Rain: જાપાનમાં વરસાદે અને વાવાઝોડાએ મચાવી તબાહી, બાબા વેંગાની ભવિષ્યવાણી સાચી પડી!

Indore Love Jihad: કોંગ્રેસના અનવર કાદરીએ હિન્દુ છોકરીઓને ફસાવવા રુપિયા આપ્યા, મુસ્લીમ શખ્સોની કબૂલાત, દેહવ્યપાર કરાવતો?

Gujarat Bridges Roads cost: છેલ્લાં 10 વર્ષમાં પુલ અને રસ્તાઓ પાછળ 1 લાખ કરોડનો ખર્ચ, છતાં હાલત ખરાબ

Gambhira Bridge collapse: ભાજપના ભ્રષ્ટાચારે વડોદરા અને આણંદ વચ્ચેની સીધી રસ્તા કડી તોડી!, 14 નો જીવ લીધો

Gambhira Bridge collapse: મદદ કરતાં માણસને પોલીસે ધમકાવ્યો, ‘NDRF ની ટીમ બોલાવી છે નીચે બસી જા’, જોઈ લો પોલીસનું વર્તન

Gambhira Bridge collapse: સંવેદના વ્યક્ત કરવામાં ભાજપ નેતાઓએ કર્યું કોપી પેસ્ટ, પછી શું થાય બોલો!

 

 

 

Related Posts

Tariff: ડોનાલ્ડ ટ્રમ્પે ટેરીફ ઘટાડયાની જાહેરાત કરી પણ PM મોદીનું ‘અકળ’ મૌનનું સસ્પેન્સ યથાવત ! જાણો,તેલના વેપારનો ખેલ!
  • February 3, 2026

Tariff: અમેરિકાએ ભારત પરના ટેરિફ ઘટાડ્યા છે,ભારત પરના ટેરિફ હવે 25 ટકાથી ઘટાડીને 18 ટકા કરવામાં આવ્યા છે,પણ આખી વાત પાછળ તેલનો ખેલ છે ટ્રમ્પ ઈચ્છે છે કે મોદી હું…

Continue reading
Breaking News: ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પરનો 25 ટકા ટેરીફ ઘટાડી 18 ટકા કર્યો! ટ્રમ્પની સત્તાવાર જાહેરાત
  • February 2, 2026

Breaking News: આખરે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર લગાવાયેલો 25 ટકા ટેરિફ ઘટાડીને 18 ટકા કરી દીધો છે,ટ્રમ્પે આજે સોમવારે ભારતના પીએમ નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાતચીત કર્યા બાદ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Election: SIRમાં ગોલમાલ કરનારાઓ જેલ જવાથી ફફડ્યા! હજારો ફોર્મ-7 પરત ખેંચાયા!

  • February 3, 2026
  • 2 views
Election: SIRમાં ગોલમાલ કરનારાઓ જેલ જવાથી ફફડ્યા! હજારો ફોર્મ-7 પરત ખેંચાયા!

Tariff: ડોનાલ્ડ ટ્રમ્પે ટેરીફ ઘટાડયાની જાહેરાત કરી પણ PM મોદીનું ‘અકળ’ મૌનનું સસ્પેન્સ યથાવત ! જાણો,તેલના વેપારનો ખેલ!

  • February 3, 2026
  • 5 views
Tariff: ડોનાલ્ડ ટ્રમ્પે ટેરીફ ઘટાડયાની જાહેરાત કરી પણ PM મોદીનું ‘અકળ’ મૌનનું સસ્પેન્સ યથાવત ! જાણો,તેલના વેપારનો ખેલ!

Breaking News: ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પરનો 25 ટકા ટેરીફ ઘટાડી 18 ટકા કર્યો! ટ્રમ્પની સત્તાવાર જાહેરાત

  • February 2, 2026
  • 7 views
Breaking News: ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પરનો 25 ટકા ટેરીફ ઘટાડી 18 ટકા કર્યો! ટ્રમ્પની સત્તાવાર જાહેરાત

Lok Sabha: ‘ચીની ટેન્ક લદ્દાખ સુધી ઘૂસી ગઈ હતી!’ રાહુલના સવાલ ઉપર સ્પીકરે માઇક્રોફોન બંધ કર્યુ !

  • February 2, 2026
  • 6 views
Lok Sabha: ‘ચીની ટેન્ક લદ્દાખ સુધી ઘૂસી ગઈ હતી!’ રાહુલના સવાલ ઉપર સ્પીકરે માઇક્રોફોન બંધ કર્યુ !

Lok Sabha: ચીન મુદ્દે રાહુલ ગાંધીના નિવેદન પર ભાજપનું આક્રમક વલણ કહ્યું”માફી માંગો!”

  • February 2, 2026
  • 10 views
Lok Sabha: ચીન મુદ્દે રાહુલ ગાંધીના નિવેદન પર ભાજપનું આક્રમક વલણ કહ્યું”માફી માંગો!”

Air India: એર ઇન્ડિયાનું વધુ એક વિમાન ક્રેશ થતાં બચ્યુ! અમદાવાદમાં ક્રેશ થયેલા એર ઇન્ડિયાના વિમાન AI171 જેવીજ સમસ્યા ધ્યાને આવતા પાયલોટ્સ ચોંકી ઉઠ્યા! દુર્ઘટના ટળી!

  • February 2, 2026
  • 9 views
Air India: એર ઇન્ડિયાનું વધુ એક વિમાન ક્રેશ થતાં બચ્યુ! અમદાવાદમાં ક્રેશ થયેલા એર ઇન્ડિયાના વિમાન AI171 જેવીજ સમસ્યા ધ્યાને આવતા પાયલોટ્સ ચોંકી ઉઠ્યા! દુર્ઘટના ટળી!