Gambhira Bridge Collapse: 18 લોકોના મોત, 2 ગુમ, 4 એન્જિનિયરો સસ્પેન્ડ, સરકારે પોતાના દોષનો ટપલો ઢોળવાનું શરુ કર્યું?

Gambhira Bridge Collapse: 9 જુલાઈની સવારે ગુજરાતના વડોદરા-આણંદને જોડતા ગંભીરા ગામ નજીક મુજપુર-ગંભીરા બ્રિજ તૂટી પડતાં 18 લોકોના કરૂણ મોત નીપજ્યા છે. આ દુખદ ઘટનામાં 2 લોકો હજુ ગુમ છે, અને તેમની શોધખોળ માટે બચાવ ટીમ કામે લાગી છે. આ ઘટનાએ સ્થાનિક રહેવાસીઓમાં ભય અને આઘાતનો માહોલ સર્જ્યો છે, જ્યારે સરકારે તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે.

 4 એન્જિનિયરો સસ્પેન્ડ

રાજ્ય સરકારે આ દુર્ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ તપાસ માટે પાંચ સભ્યોની ઉચ્ચસ્તરીય કમિટીની રચના કરી છે. આ કમિટીમાં મુખ્ય ઇજનેર સી.પી. પટેલ, એન.કે. પટેલ, અધિક્ષક ઇજનેર કે.એમ. પટેલ, એમ.બી. દેસાઈ અને એન.વી. રાઠવાનો સમાવેશ થાય છે. કમિટીએ ઘટનાસ્થળની મુલાકાત લઈને પ્રાથમિક તપાસ હાથ ધરી, જેમાં માર્ગ અને મકાન વિભાગ (આરએન્ડબી)ના ચાર એન્જિનિયરોની બેદરકારી સામે આવી.

 એન.એમ. નાયકાવાલા (કાર્યપાલક ઇજનેર), યુ.સી. પટેલ (નાયબ કાર્યપાલક ઇજનેર), આર.ટી. પટેલ (નાયબ કાર્યપાલક ઇજનેર) અને જે.વી. શાહ (મદદનીશ ઇજનેર)ને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે આ અધિકારીઓએ બ્રિજની તપાસ દરમિયાન ડિઝાઈન ટીમને બોલાવી હતી, પરંતુ તેમના રિપોર્ટને ગંભીરતાથી લેવામાં આવ્યો ન હતો. ખાસ કરીને, એન.એમ. નાયકાવાલાએ ઘટના બાદ દાવો કર્યો હતો કે બ્રિજના રિપોર્ટમાં કોઈ મોટું નુકસાન નોંધાયું ન હતું. જોકે, તપાસ કમિટીએ આ નિવેદનને નકારી કાઢતાં તેમની બેદરકારીને જવાબદાર ગણી અને કડક પગલાં લેવામાં આવ્યા.

વિગતવાર તપાસના આદેશ

ગુજરાતના મુખ્યમંત્રીએ આ ઘટનાને અત્યંત ગંભીર ગણાવી છે. કારણે માર્ગ મકાનનું ખાતુ તેમની પાસે છે. જેથી તેમની પણ નિષ્ક્રિયતા બહાર આવી છે. જો કે હાલ સરકાર નાની માછલીઓની ભોગ લઈ રહી છે.

જેથી મુખ્યમંત્રીએ પોતાની બેદરકારી બદલ નિષ્ણાતોની ટીમને બ્રિજના નિર્માણ, મરામત, નિરીક્ષણ અને ગુણવત્તા ચકાસણીની સમગ્ર પ્રક્રિયાનો વિગતવાર અહેવાલ તૈયાર કરવાનો આદેશ આપ્યો છે. આ ટીમે ઘટનાસ્થળની મુલાકાત લઈને બ્રિજના ધરાશાયી થવાના કારણોનું વિશ્લેષણ શરૂ કર્યું છે. આ અહેવાલમાં બ્રિજની ડિઝાઈન, નિર્માણમાં વપરાયેલી સામગ્રી અને નિયમિત નિરીક્ષણની ખામીઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.

સ્થાનિકોમાં રોષ અને સવાલો

આ દુર્ઘટનાએ સ્થાનિક રહેવાસીઓમાં રોષની લાગણી ફેલાવી છે. ઘણા લોકોનું માનવું છે કે બ્રિજની જર્જરિત હાલત વિશે અગાઉથી ચેતવણીઓ હોવા છતાં તેની અવગણના કરવામાં આવી. સ્થાનિકો દ્વારા એવા પણ આક્ષેપો કરવામાં આવ્યા છે કે બ્રિજની જાળવણી અને નિરીક્ષણમાં ગંભીર બેદરકારી દાખવવામાં આવી, જેના કારણે આ દુર્ઘટના બની.બચાવ કામગીરી અને તપાસની રાહદુર્ઘટના બાદ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી, જેમાં ફાયર બ્રિગેડ, NDRF અને સ્થાનિક પોલીસની ટીમો સતત કામ કરી રહી છે. ગુમ થયેલા બે વ્યક્તિઓને શોધવા માટે ડ્રોન અને ખાસ સાધનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ દરમિયાન, તપાસ કમિટી આગામી દિવસોમાં પોતાનો વિગતવાર અહેવાલ રાજ્ય સરકારને સોંપશે, જેમાં બ્રિજના ધરાશાયી થવાના મૂળ કારણો અને જવાબદાર વ્યક્તિઓ વિશે સ્પષ્ટતા થશે.

આ ઘટનાએ ગુજરાતના ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને જાહેર સુરક્ષા પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. રાજ્ય સરકારે ખાતરી આપી છે કે આવી ઘટનાઓ ફરી ન બને તે માટે કડક પગલાં લેવામાં આવશે. બ્રિજના પુનર્નિર્માણ અને અન્ય જર્જરિત પુલોના નિરીક્ષણ માટે પણ ઝડપી કાર્યવાહીની જરૂર છે, જેથી ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ ટળી શકે.

નાયકાવાલાની જાહેરમાં જાટકણી

સસ્પેન્ડ એક્ઝિક્યુટિવ એન્જિનિયર એન. એમ. નાયકાવાલાને સ્થાનિક લોકોએ જાહેરમાં ઝાટકણી કાઢી, કારણ કે તેમણે ઓગસ્ટ 2022માં બ્રિજની તપાસ કરી હતી અને દાવો કર્યો હતો કે બ્રિજમાં કોઈ મોટું નુકસાન નથી, જોકે તપાસ સમયે બ્રિજ પર મોટા ખાડા હોવાનું જાણવા મળ્યું હતું. લોકોનો આક્રોશ એ વાત પર હતો કે બ્રિજની જર્જરિત હાલત છતાં યોગ્ય નિરીક્ષણ અને સમારકામ નહોતું થયું, જેના કારણે આ ગોઝારી દુર્ઘટના સર્જાઈ.

આ પણ વાંચોઃ

UP: શિવલિંગ પર જળ ચઢાવવાના કારણે દલિત યુવાન પર હુમલો કરાયો, પૂજારીએ કહ્યું મારી વહુ અંગે અશ્લીલ બોલ્યો, જાણો વધુ

UP husband murder: 8 વિઘા જમીન માટે પ્રેમી સાથે મળી પતિને પૂરો કરી નાખ્યો, પછી લાશને….

75 વર્ષની ઉંમર પાર કરનારા નેતાઓએ વિદાય લેવી જોઈએ, ભાગવત નિવેદન આપી ખુદ ફસાઈ ગયા, જાણો | Mohan Bhagwat statement

Bihar: મતદારયાદી સુધારણા પર સ્ટે મૂકવાનો સુપ્રીમ કોર્ટનો ઇનકાર, આધારને કેમ નાગરિકતાનો પુરાવો ન ગણી શકાય?

Gurugram Murder: માતાના જન્મ દિવસે જ પિતાએ પુત્રીને 3 ગોળી મારી, શું અફેર હતુ? જાણો હચમચાવી નાખતો કિસ્સો

Bihar Election: મતદારો પાસે ચૂંટણીપંચ નહીં માગે ડોક્યુમેન્ટ, ‘વસ્તીગણતરી કરવાનું કામ ચૂંટણીપંચનું નથી’

Sabarkantha: ગાંજો રાખવા અને ઉગાડવા મામલે મંદિરના મહંત સહિત બેની ધરપકડ

Gambhira Bridge Collapse: ગંભીરામાં ભૂપેન્દ્ર પટેલ કઈ રીતે જવાબદાર?, મોરબીની ઘટના પછી પણ લોકોને ભૂપેન્દ્ર પટેલ સરકારે ગેરમાર્ગે દોર્યા

Japan Heavy Rain: જાપાનમાં વરસાદે અને વાવાઝોડાએ મચાવી તબાહી, બાબા વેંગાની ભવિષ્યવાણી સાચી પડી!

Indore Love Jihad: કોંગ્રેસના અનવર કાદરીએ હિન્દુ છોકરીઓને ફસાવવા રુપિયા આપ્યા, મુસ્લીમ શખ્સોની કબૂલાત, દેહવ્યપાર કરાવતો?

 

 

 

Related Posts

Chhotaudepur Sihada water Crisis: “નળ સે જળ” યોજના માત્ર કાગળ પર! સિહાદા ગામમાં લોકો ગંદુ પાણી પીવા મજબૂર
  • May 11, 2026

Chhotaudepur Sihada water Crisis: છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકામાં આવેલું સિહાદા ગામ અત્યારે આકરા ઉનાળાની સાથે પાણીની અત્યંત વિકટ સમસ્યાનો સામનો કરી રહ્યું છે. આશરે ૭૦૦૦ની વસ્તી ધરાવતા આ ગામમાં પીવાના…

Continue reading
Gujarat Tribal Politics: આદિવાસી પટ્ટીમાં ભાજપનું ધોવાણ, ગુજરાતની ચૂંટણીના એકલ વીર હીરો ચૈતર વસાવા
  • May 10, 2026

Gujarat Tribal Politics: ગુજરાતની ૨૦૨૬ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં જ્યાં મોટા રાજકીય પક્ષો અને મંત્રીઓની ફોજ ઉતારવામાં આવી હતી, ત્યાં આદિવાસી નેતા ચૈતર વસાવા એક પ્રભાવક ચહેરા તરીકે ઉભરી આવ્યા છે.…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Congress on New Labour Code: ‘હાયર એન્ડ ફાયર’ નીતિ લાવવાનો આરોપ, મલ્લિકાર્જુન ખરગેએ નવા શ્રમ કાયદાઓને ગણાવ્યા મજૂર વિરોધી

  • May 11, 2026
  • 1 views
Congress on New Labour Code: ‘હાયર એન્ડ ફાયર’ નીતિ લાવવાનો આરોપ, મલ્લિકાર્જુન ખરગેએ નવા શ્રમ કાયદાઓને ગણાવ્યા મજૂર વિરોધી

Rahul Gandhi: પીએમ મોદીની સોનું અને પેટ્રોલ બચાવવાની અપીલ પર રાહુલ ગાંધી ભડક્યા, કહ્યું- આ ઉપદેશ નહીં નિષ્ફળતાના પુરાવા

  • May 11, 2026
  • 3 views
Rahul Gandhi: પીએમ મોદીની સોનું અને પેટ્રોલ બચાવવાની અપીલ પર રાહુલ ગાંધી ભડક્યા, કહ્યું- આ ઉપદેશ નહીં નિષ્ફળતાના પુરાવા

INDIA bloc controversy: ‘અપરાધીઓ સાથે ગઠબંધન મંજૂર નથી’, સીપીએમ અને કોંગ્રેસનો મમતા બેનર્જી પર પલટવાર

  • May 11, 2026
  • 3 views
INDIA bloc controversy: ‘અપરાધીઓ સાથે ગઠબંધન મંજૂર નથી’, સીપીએમ અને કોંગ્રેસનો મમતા બેનર્જી પર પલટવાર

Chhotaudepur Sihada water Crisis: “નળ સે જળ” યોજના માત્ર કાગળ પર! સિહાદા ગામમાં લોકો ગંદુ પાણી પીવા મજબૂર

  • May 11, 2026
  • 8 views
Chhotaudepur Sihada water Crisis: “નળ સે જળ” યોજના માત્ર કાગળ પર! સિહાદા ગામમાં લોકો ગંદુ પાણી પીવા મજબૂર

Markandey Katju on Vijay: પૂર્વ જજ માર્કંડેય કાટજુનો વિજય પર તીખો હુમલો, કહ્યું- જનતા જલ્દી નવા સીએમથી નિરાશ થશે

  • May 10, 2026
  • 10 views
Markandey Katju on Vijay: પૂર્વ જજ માર્કંડેય કાટજુનો વિજય પર તીખો હુમલો, કહ્યું- જનતા જલ્દી નવા સીએમથી નિરાશ થશે

Arvind Kejriwal: સંજીવ અરોરાની ધરપકડ બાદ કેજરીવાલનો ભાજપ પર પ્રહાર, કહ્યું- જેલ પસંદ કરી પરંતુ ભાજપમાં ગયા નહીં

  • May 10, 2026
  • 9 views
Arvind Kejriwal: સંજીવ અરોરાની ધરપકડ બાદ કેજરીવાલનો ભાજપ પર પ્રહાર, કહ્યું- જેલ પસંદ કરી પરંતુ ભાજપમાં ગયા નહીં