Bhavnagar: મહિલાઓ સામે ગાળો બોલવાની ના પાડતા લોજ ધારક પર હુમલો, હત્યારાઓ ફરાર

Bhavnagar: ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના ભૂતેશ્વરગામે લોજમાં જમવા આવેલ બે શખ્સો લોજમાં ગાળો બોલતા હતા જેથી લોજ ધારકે ગાળો બોલવાની ના પાડી હતી ત્યારે ઉશ્કેરાયેલ બંન્ને શખ્સોએ લોજ ધારક યુવાન પર છરી ધોકા વડે હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી ફરાર થઈ ગયા હતા ત્યારે ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવાને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન લોજ ધારકે દમ તોડયો હતો.

મહિલાઓ સામે ગાળો બોલવાની ના પાડતા લોજ ધારક પર હુમલો

મળતી માહિતી મુજબ ઘોઘાના ભૂતેશ્વરગામે “બિચ્છુ” નામની નોનવેજ લોજ ધરાવતા અને લોજની બાજુમાં જ રહેતા પિયુષ મંગાભાઈ કંટારીયા ઉં.વ. 34 ની લોજ પર ગત રાત્રે આજ ગામના સુનિલ ઘેલા કંટારીયા અને હાર્દિક બટુક કંટારીયા ભોજન કરવા આવ્યા હતા આ દરમ્યાન આ બંન્ને શખ્સો ભોજન કરતી વખતે બિભત્સ ગાળો બોલતા હતા અને લોજમાં પીયુષના પત્ની મધુબેન અને બાજુમાં ઘરમાં તેની પુત્રી પરીતા હાજર હતા જેથી પીયુષે બંન્ને શખ્સોને એમ કહ્યું કે, મહિલાઓની હાજરીમાં ગાળો ન બોલો ત્યારે આ વાતને લઈને ઉશ્કેરાયેલા સુનિલ તથા હાર્દિકે પીયુષ સાથે ઉગ્ર ઝઘડો કર્યો હતો અને બંને શખ્સોએ પીયૂષ પર છરી તથા ધોકા વડે હુમલો કર્યો હતો આ બંને શખ્સોએ પીયુષને છરીના આડેધડ છ થઈ સાત ઘા ઝીંકી દેતા લોહીથી લથપથ પીયૂષ સ્થળ પર જ ફસડાઈ પડ્યો હતો આ દરમ્યાન લોકો એકઠા થતાં બંને હુમલાખોરો ફરાર થઈ ગયા હતા.

પોલીસે વધુ તપાસ હાથ ધરી

ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે ઘોઘા સીએચસી સેન્ટરમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત થયું હતું આથી ઘોઘા પોલીસે લાશનું પંચનામું કરી લાશને પીએમ માટે ભાવનગર સર્ટી હોસ્પિટલમાં મોકલી હતી અને મૃતક પીયુષની પુત્રી પરીતાએ યુવાન પિયુષની હત્યા કરનાર સુનિલ ઘેલા કંટારીયા અને હાર્દિક બટુક કંટારીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અહેવાલ: નિતીન ગોહેલ 

આ પણ વાંચો:  

 
 
 
 
 
 
 
  • Related Posts

    Morbi Farmers Hunger Strike: મોરબીમાં ખેડૂતો આરપારની લડાઈના મૂડમાં, વળતર માટે ગુરુવારથી આમરણાંત ઉપવાસનું એલાન!
    • June 17, 2026

    Morbi Farmers Hunger Strike: મોરબીના ખેડૂતો ફરી એકવાર અન્યાય સામે રસ્તા પર ઉતરી આવ્યા છે. જેતપર ગામે મળેલી એક મહત્વપૂર્ણ બેઠકમાં ખેડૂતોએ સરકારી દમન અને કોર્પોરેટ કંપનીઓની દાદાગીરી સામે ‘આંદોલન…

    Continue reading
    Ahmedabad Congress Protest: મોંઘવારી અને નીટ કૌભાંડ મુદ્દે કોંગ્રેસનો સરકાર સામે અનોખો વિરોધ!
    • June 17, 2026

    Ahmedabad Congress Protest: અમદાવાદની ગલીઓ અને બજારોમાં આજે સામાન્ય જનતાનો અવાજ ગુંજ્યો હતો. વધતી જતી કમરતોડ મોંઘવારી અને તાજેતરમાં થયેલા નીટ (NEET) પેપર લીક કૌભાંડના વિરોધમાં અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિ…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Abhijit Dipak Jaipur Attack: હિંસાને સન્માન? અભિજીત દીપકે પર હુમલો કરનારાઓનું જેલમાંથી મુક્તિ બાદ ફૂલહારથી ભવ્ય સ્વાગત!

    • June 17, 2026
    • 2 views
    Abhijit Dipak Jaipur Attack: હિંસાને સન્માન? અભિજીત દીપકે પર હુમલો કરનારાઓનું જેલમાંથી મુક્તિ બાદ ફૂલહારથી ભવ્ય સ્વાગત!

    Jana Sena National Expansion: NDA માં પ્રભાવ વધારવા જનસેનાની નવી રણનીતિ, દક્ષિણથી દિલ્હી સુધી પવન કલ્યાણનું વિસ્તરણ અભિયાન

    • June 17, 2026
    • 2 views
    Jana Sena National Expansion: NDA માં પ્રભાવ વધારવા જનસેનાની નવી રણનીતિ, દક્ષિણથી દિલ્હી સુધી પવન કલ્યાણનું વિસ્તરણ અભિયાન

    Siliguri Corridor: સિલીગુડી કોરિડોરને ઘેરતું વ્યૂહાત્મક જોખમ, બોર્ડર પર બદલાતી હકીકત સામે ભારતની મોટી તૈયારીઓ

    • June 17, 2026
    • 6 views
    Siliguri Corridor: સિલીગુડી કોરિડોરને ઘેરતું વ્યૂહાત્મક જોખમ, બોર્ડર પર બદલાતી હકીકત સામે ભારતની મોટી તૈયારીઓ

    China Industrial Subsidy: ચીનની સબસિડી નીત સામે ભારતે આત્મનિર્ભરતા કે અનુસરણ, કયો માર્ગ પસંદ કરવો?

    • June 17, 2026
    • 11 views
    China Industrial Subsidy: ચીનની સબસિડી નીત સામે ભારતે આત્મનિર્ભરતા કે અનુસરણ, કયો માર્ગ પસંદ કરવો?

    Shiv Sena UBT MP Rebellion: શિવસેના (યુબીટી)માં ફરી ફૂટના સંકેત, ૯માંથી ૬ સાંસદોની દિલ્હી મુલાકાતે

    • June 17, 2026
    • 10 views
    Shiv Sena UBT MP Rebellion: શિવસેના (યુબીટી)માં ફરી ફૂટના સંકેત, ૯માંથી ૬ સાંસદોની દિલ્હી મુલાકાતે

    NEET exam fraud: ટેલિગ્રામ પર નકલી પ્રશ્નપત્રોનો વેપાર, રિફંડ કૌભાંડ અને સાયબર ઠગાઈના પર્દાફાશ બાદ NEET સુરક્ષા પર સવાલ

    • June 17, 2026
    • 11 views
    NEET exam fraud: ટેલિગ્રામ પર નકલી પ્રશ્નપત્રોનો વેપાર, રિફંડ કૌભાંડ અને સાયબર ઠગાઈના પર્દાફાશ બાદ NEET સુરક્ષા પર સવાલ