
તાજેતરમાં દેડીયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવા ગાડીત ગામે એક સંમેલનમાં ગયા હતા. અહીં સભા સંબોધતી વખતે તેમણે અલગ ભીલ પ્રદેશની માંગણી કરી હતી. આ ઉપરાંત મળતી માહિતી અનુસાર જાણવા મળે છે કે, તેઓ એવી રીતે જ્યાં જાય છે ત્યાં આદિવાસીઓના વિકાસ માટે ભીલ પ્રદેશ અલગ હશે તો સારો વિકાસ થશેની વાત કરી રહ્યા છે. જો કે રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે ચૈતર વસાવાની આ માગણીને લોકોને ભ્રમિત કરાવાની ગણાવી હતી. સાથે જ માગણીને ખોટી ગણાવી હતી. જેથી ચૈતર વસાવાએ ડિડોરને સણસણતો જવાબ આપ્યો છે.
આજે છોટાઉદેપુર જીલ્લાના ટૂંડવા ગામે રાઠ વિસ્તાર યુવાનો દ્વારા આયોજિત આદિવાસી જનજાગૃતિ કાર્યક્રમમાં ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ઉપસ્થિત રહ્યા હતા. જ્યા તેમણે સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. અને આદિવાસી સમાજને પડતી મુશ્કેલીઓને ઉજાગર કરી હતી. સાથે જ તેમણે સમાજના આશ્વાસ ન આપતાં કહ્યું હતુ કે હું કોઈ પાર્ટીના નહીં પણ સમાજના ધારાસભ્યો તરીકે તમારી વચ્ચે ઉપસ્થિત છું.
શૈક્ષણિક કાર્યક્રમમાં મારી ટીપ્પણી કરીઃ ચૈતર
ચૈતર વસાવાએ શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરને પણ આડે હાથ લીધા હતા. તેઓ જ્યારે નર્મદા જીલ્લાની એક શાળાના કાર્યક્રમમાં આવ્યા ત્યારે મારા પર ટીપ્પણી કરી હતી. તેમણે કાર્યક્રમમાં શિક્ષણને લગતી વાત કરવી જોઈતી હતી. આજે આદિવાસી વિસ્તારોમાં નકલી નર્સિંગ કોલેજો ચાલે છે. તેના પર તેમને વાત કરવી જોઈતી હતી. તેમણે વધુમાં આકરા પ્રહાર કરતાં કહ્યું કે હજારો શાળાઓ એક શિક્ષકથી ચાલે છે. બાળકોને મળતી શિષ્યવૃતિ બંધ કરી છે. તેના ખુલાસા માગ્યા હતા. આદિવાસીઓની જમીન હડપવા અંગે કોઈ નેતા બોલવા તૈયાર નથી તેવું કહી સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા.
આ પણ વાંચોઃ ખ્યાતિકાંડ મામલે તપાસ તેજઃ ચિરાગ રાજપૂતના ફરી 5 દિવસના રિમાન્ડ મંજૂર