Adani Airport: નવી મુંબઈ એરપોર્ટ નજીક શહેર અને ઔદ્યોગિક વિકાસ નિગમએ ગેરકાયદે દરગાહ તોડી નાંખી હતી

  • India
  • October 9, 2025
  • 0 Comments

-સંકલન: દિલીપ પટેલ

Adani Airport: નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ નજીક શહેર અને ઔદ્યોગિક વિકાસ નિગમએ ગેરકાયદેસર દરગાહ તોડી નાંખી હતી. કોર્ટના આદેશથી માળખું તોડી પાડવામાં આવ્યું. અનધિકૃત દરગાહ એરપોર્ટની આસપાસના વિસ્તાર માટે સુરક્ષા ખતરો ઉભો કરે છે, એવી દલીલ હિંદુ સંગઠનો કરી રહ્યાં હતા. એરપોર્ટને કારણે ગુમાવાયેલા મંદિરોને બદલવા માટે કંઈ કરવામાં આવ્યું નથી. સિડકોએ દસ જૂના મંદિરોના સ્થાનાંતરણ માટે યોગ્ય જમીનના પ્લોટ ફાળવવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

વિધાનસભાનો અનાદર
સંગઠનના પ્રમુખ વિકાસ પાટીલ કહે છે કે મહારાષ્ટ્ર વિધાનસભાના સર્વાનુમતે લેવાયેલા ઠરાવનો અનાદર કરવામાં આવ્યો છે.

નામ માટે આંદોલન

નવી મુંબઈ એરપોર્ટ ઉદ્ઘાટન પહેલાં નામ વિવાદમાં ફસાયું. સ્થાનિક નેતાઓ અને મુંબઈના લોકો કહે છે કે એરપોર્ટનું નામ ડી.બી. પાટિલના નામ પરથી રાખવું જોઈએ. તેમ નહીં કરે તો વિરોધ વધુ તીવ્ર બનાવવાની હાજેરાત કરાઈ હતી.

ઓલ-પાર્ટી એક્શન કમિટી વાશીમાં મળી હતી અને મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પાસેથી આ મુદ્દાનો તાત્કાલિક ઉકેલ લાવવાની માંગ કરી હતી.
ભાજપના નેતા કપિલ પાટીલે માંગણી કરી હતી કે, પહેલું વિમાન ઉડે તે પહેલાં નામ નક્કી કરો. આ ફક્ત એક નામ નથી, પરંતુ આપણા અધિકારો અને બલિદાનનો આદર છે. ડી.બી. પાટીલના નામ પર એરપોર્ટનું નામકરણ કરવાથી તેમના યોગદાનની યાદ આવશે.

ભીવંડીના સાંસદ મ્હાત્રેએ ચેતવણી આપી છે કે જ્યાં સુધી ડી.બી. પાટીલનું નામ એરપોર્ટ પર ન હોય ત્યાં સુધી કોઈ પણ ફ્લાઇટ ઉડાન ભરી શકશે નહીં. પનવેલના ભાજપના ધારાસભ્ય પ્રશાંત ઠાકુરે ટેકો આપ્યો છે.

સ્થાનિક રહેવાસીઓ અને સંગઠનોનું કહેવું છે કે દિબા પાટીલે પોતાની જમીન દાન કરીને આ પ્રોજેક્ટ શક્ય બનાવ્યો હતો, તેથી, એરપોર્ટનું નામ તેમના નામ પરથી રાખવું જોઈએ. ડી.બી. પાટીલ માટે રેલીઓ કરનારાઓએ અગાઉ બાલ ઠાકરેનું નામ સૂચવ્યું હતું.

ઉદઘાટન નહીં થવા દેવાય
ભૂમિપુત્રોએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો એરપોર્ટનું નામ સ્વર્ગસ્થ જન નેતા દિબા પાટિલના નામ પરથી નહીં રાખવામાં આવે તો હવાઈ મથકનું ઉદઘાટન કોઈપણ ભોગે બંધ કરવામાં આવશે. આમ મોદી સામે સીધો વિરોધ હતો. ભૂમિપુત્રોએ 6 ઓક્ટોબર 2025ના રોજ વિશાળ વિરોધ પ્રદર્શનની જાહેરાત કરી હતી. સાંસદ સુરેશ મ્હાત્રેએ બેઠકની અધ્યક્ષતા કરી હતી અને તેમણે જણાવ્યું હતું કે ભૂમિપુત્રોની માંગણીઓ વાજબી છે અને આ પ્રાપ્ત કરવા માટે બધાએ એક થવું જોઈએ.

દિબા પાટીલે ખેડૂતો અને સ્થાનિક લોકોના અધિકારો માટે લડત આપી હતી. તેમનું નામ નવી મુંબઈની ઓળખ અને ઇતિહાસ સાથે જોડાયેલું છે. આ જ કારણ છે કે લોકો બીજું કોઈ નામ સ્વીકારવા તૈયાર નથી.

કેન્દ્ર સરકારે કોઈ નિર્ણય લીધો ન હતો. રાજ્ય સરકારે એરપોર્ટનું નામ દિબા પાટિલના નામ પરથી રાખવાના પ્રસ્તાવને ફગાવી દીધો હતો. તાજેતરના સમયમાં થયેલા સૌથી મોટા વિરોધ પ્રદર્શનોમાંના એકમાં, નવી મુંબઈના લગભગ 50,000 રહેવાસીઓએ 24 જૂન 2021માં બેલાપુર ખાતે શહેર અને ઔદ્યોગિક વિકાસ નિગમ (CIDCO)ના મુખ્ય મથકનો ઘેરાવ કર્યો હતો.

સહાર ખાતે હાલના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (CSMIA) થી 24 કિમી દૂર સ્થિત આ એરપોર્ટ માટે CIDCO નોડલ ઓથોરિટી છે.

મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું નામ સ્વર્ગસ્થ સમાજવાદી નેતા દિ. બા. પાટિલના નામ પર રાખવા માંગતા હતા. નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ નામકરણ ક્રુતિ સમિતિ બનાવી હતી.

આવી માંગણી કરનારા જમીનના પુત્રો હતા. જેમની જમીન મુંબઈના બીજા આંતરરાષ્ટ્રીય એરપોર્ટના નિર્માણમાં જતી રહી છે. મહારાષ્ટ્ર સરકાર શિવસેનાના સ્થાપક બાળાસાહેબ ઠાકરેના નામ પર એરપોર્ટનું નામકરણ કરવા માંગતી હતી. પ્રોજેક્ટથી પ્રભાવિત લોકો તેનું બાંધકામ અટકાવી દેશે એવી ધમકી આપવામાં આવી હતી. સિડકો શહેરી વિકાસ વિભાગ હેઠળ આવે છે, જેનું નેતૃત્વ શિવસેનાના મંત્રી એકનાથ શિંદે કરે છે.

શિંદેએ ડિસેમ્બર 2020 માં સિડકોને એરપોર્ટનું નામ ઠાકરેના નામ પર રાખવાનો પ્રસ્તાવ મોકલવા કહ્યું હતું. રાજ્ય મંત્રીમંડળે પણ આ પ્રસ્તાવને મંજૂરી આપવાનો નિર્ણય લીધો હતો.

દી. બા. કોણ હતા?

મહારાષ્ટ્ર સરકારે 1960ના દાયકાના અંતમાં મુંબઈ પરનું દબાણ ઓછું કરવા માટે વાશી બંદર પર 86 ગામોના 193 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં સેટેલાઇટ શહેર વિકસાવવાનું કામ શરૂ કર્યું હતું.

સિડકોએ 1971માં નવું શહેર બનાવવા માટે જમીન સંપાદન શરૂ કર્યું હતું. જે નવી મુંબઈ તરીકે ઓળખાવા લાગ્યું. તે સમયે દિ. બા. પાટીલ તરીકે જાણીતા દિનકર બાલુ પાટીલ ભારતના ખેડૂત અને કામદાર પક્ષના નેતા અને પનવેલ, રાયગઢના ધારાસભ્ય હતા. તેમણે નવી મુંબઈના નિર્માણ માટે સરકાર દ્વારા તેમની જમીન સંપાદન કરવાને બદલે આપવામાં આવતા લઘુત્તમ વળતર સામે જમીન માલિકો, મુખ્યત્વે ખેડૂતોને એક કર્યા હતા.

પાટીલે મોટું આંદોલન કર્યું અને વાજબી વળતરની માંગણી સાથે વિરોધ પ્રદર્શન શરૂ કર્યા. 1984માં પાટીલના ગામ જસાઈ ખાતે આવા જ એક વિરોધ દરમિયાન થયેલી હિંસામાં પાંચ ખેડૂતોના મોત થયા હતા. આ સમય સુધીમાં નવી મુંબઈ આકાર લેવાનું શરૂ કરી દીધું હતું. તેના ત્રણ નોડ્સ – વાશી, નેરુલ અને બેલાપુર – રહેણાંક, વાણિજ્યિક અને સરકારી ઇમારતોના નિર્માણ સાથે શહેરી પટ્ટામાં ફેરવાઈ ગયા હતા.

આખરે, પાટિલના આંદોલનને 1984માં સરકારે મૂળ માલિકોને વિકસિત જમીનનો 12.5 ટકા ભાગ આપવા સંમતિ આપી. ત્યારથી નવી મુંબઈ ઝડપથી પ્રગતિ કરી રહ્યું છે. આજે, તે 35 લાખની વસ્તી સાથે વિશ્વનું સૌથી મોટું આયોજિત શહેર છે.

મોટાભાગના મૂળ માલિકોએ વિકસિત જમીનમાં 12.5 ટકા હિસ્સો વ્યાપારી સંસ્થાઓ અને રિયલ એસ્ટેટ ડેવલપર્સને વેચી દીધો અને કરોડો રૂપિયા કમાયા.

મુંબઈ પછી બીજા ક્રમની સૌથી ધનિક નાગરિક સંસ્થા NMMCનું વાર્ષિક બજેટ 2021-22 માટે 4,825 કરોડ રૂપિયા અને 2025માં તે 6 હજાર કરોડનું બજેટ ધરાવે છે. આ કોર્પોરેશન રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)નો ગઢ હતું, જેનું નેતૃત્વ સ્થાનિક નેતા ગણેશ નાઈક 2019 સુધી કરી રહ્યા હતા. પછી તેઓ ભાજપમાં જોડાયા.

એરપોર્ટ શા માટે
નવી મુંબઈ એરપોર્ટની કલ્પના સૌપ્રથમ 1997માં મુંબઈ એરપોર્ટના વિકલ્પ તરીકે કરવામાં આવી હતી. મનમોહનના કેન્દ્રીય પર્યાવરણ અને વન મંત્રાલયે 23 નવેમ્બર, 2010 ના રોજ આ પ્રોજેક્ટને મંજૂરી આપી હતી. મોદી વડાપ્રધાન બનતાં સિડકોએ સૌપ્રથમ 2014 માં વૈશ્વિક ટેન્ડર આમંત્રિત કર્યા હતા. બિડને અંતિમ સ્વરૂપ આપવામાં ત્રણ વર્ષના વિલંબ થયો હતો. GVK ગ્રુપે 2017 માં કોન્ટ્રાક્ટ જીત્યો. તેણે સિડકોને આવકમાં 12.6 ટકા હિસ્સો ઓફર કર્યો.

આ પણ વાંચો:

Adani Airport: અદાણીના નવા હવાઈ મથકને મોદીએ બુલેટ ટ્રેનનું સીધું જોડાણ આપી મોટો ફાયદો કરાવ્યો, જુઓ

મોદી સરકારે પ્રજાના નાણાં બેફામ વાપર્યા, પ્રજાના પૈસે અદાણીના હવાઈ મથકને કરાવ્યો ફાયદો | Modi | Adani Airport

PM Modi: ‘સ્વદેશીની વાતો કરતાં પહેલા વિદેશી વસ્તુઓનો ત્યાગ કરો’, સુપ્રિયા શ્રીનિતે મોદીના સંબોધન પર શું બોલ્યા?

Narendra Modi Promises Forgotten: ભાથીજી દાદાના ધામ ફાગવેલમાંથી આપેલા વચનો મોદી ભૂલ્યા!, આજે પણ મંદિરનું કામ અધૂરું!

 

ગુજરાત પ્રવાસ પેકેજ

Related Posts

Indian Visa Challenges: ભારતીયો માટે વિદેશી વિઝા મેળવવું કેમ બન્યું છે વધુ મુશ્કેલ? બદલાતી વૈશ્વિક ધારણા અને વધતી શંકા
  • June 27, 2026

Indian Visa Challenges: વિદેશી વિઝા મેળવવા એ હવે ભારતીય પ્રવાસીઓ માટે માત્ર કાગળની પ્રક્રિયા નથી, પરંતુ એક માનસિક આઘાત સમાન બની ગઈ છે. જ્યારે આપણે વિદેશ યાત્રાનું સપનું જોઈએ છીએ,…

Continue reading
Bihar Caste Politics: બિહારની લોકશાહી કે જાતિવાદની પ્રયોગશાળા? દરેક ઘટનાને જાતીય રંગ આપવાની હીન રાજનીતિ
  • June 27, 2026

Bihar Caste Politics: બિહારની રાજનીતિ અત્યારે એક એવા વળાંક પર છે જ્યાં લોકશાહીના મૂલ્યો જાતિવાદના કાદવમાં ગરકાવ થઈ રહ્યા છે. રાજ્યમાં ગમે તે ઘટના બને, પછી તે વહીવટી કાર્યવાહી હોય,…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Indian Visa Challenges: ભારતીયો માટે વિદેશી વિઝા મેળવવું કેમ બન્યું છે વધુ મુશ્કેલ? બદલાતી વૈશ્વિક ધારણા અને વધતી શંકા

  • June 27, 2026
  • 3 views
Indian Visa Challenges: ભારતીયો માટે વિદેશી વિઝા મેળવવું કેમ બન્યું છે વધુ મુશ્કેલ? બદલાતી વૈશ્વિક ધારણા અને વધતી શંકા

Bihar Caste Politics: બિહારની લોકશાહી કે જાતિવાદની પ્રયોગશાળા? દરેક ઘટનાને જાતીય રંગ આપવાની હીન રાજનીતિ

  • June 27, 2026
  • 7 views
Bihar Caste Politics: બિહારની લોકશાહી કે જાતિવાદની પ્રયોગશાળા? દરેક ઘટનાને જાતીય રંગ આપવાની હીન રાજનીતિ

Maharashtra RTI Rules Protest: ભ્રષ્ટાચારીઓને બચાવવા RTI ને નબળું પાડવાનો ખેલ? મહારાષ્ટ્રના નવા નિયમો સામે જનતામાં રોષ

  • June 27, 2026
  • 9 views
Maharashtra RTI Rules Protest: ભ્રષ્ટાચારીઓને બચાવવા RTI ને નબળું પાડવાનો ખેલ? મહારાષ્ટ્રના નવા નિયમો સામે જનતામાં રોષ

Air India Flight 182: 40 વર્ષ બાદ કેનેડાની જાસૂસી સંસ્થાની મોટી કબૂલાત, એર ઈન્ડિયા બોમ્બ વિસ્ફોટ પાછળ ખાલિસ્તાની તત્વોની ભૂમિકા સ્વીકારી

  • June 27, 2026
  • 9 views
Air India Flight 182: 40 વર્ષ બાદ કેનેડાની જાસૂસી સંસ્થાની મોટી કબૂલાત, એર ઈન્ડિયા બોમ્બ વિસ્ફોટ પાછળ ખાલિસ્તાની તત્વોની ભૂમિકા સ્વીકારી

IVF Scam India: ભારતમાં ઝડપથી વધી રહેલા IVF ઉદ્યોગની કાળી હકીકત, ડીએનએ વિવાદ, ભ્રૂણ અદલાબદલી અને બિનલાયસન્સ ક્લિનિક્સ

  • June 27, 2026
  • 5 views
IVF Scam India: ભારતમાં ઝડપથી વધી રહેલા IVF ઉદ્યોગની કાળી હકીકત, ડીએનએ વિવાદ, ભ્રૂણ અદલાબદલી અને બિનલાયસન્સ ક્લિનિક્સ

Crude Oil Price Analysis: તેલના ભાવ ઘટ્યા છતાં ભારતીયો કેમ મોંઘા પેટ્રોલ-ડીઝલના માર નીચે?

  • June 27, 2026
  • 7 views
Crude Oil Price Analysis: તેલના ભાવ ઘટ્યા છતાં ભારતીયો કેમ મોંઘા પેટ્રોલ-ડીઝલના માર નીચે?