Nadiad: ભાજપ-કોંગ્રેસ કાર્યકરો વચ્ચે મારામારી ઘટના બાદ રાજુ રબારીએ કોંગ્રેસનો હાથ છોડ્યો, કેસરિયો ધારણ કર્યો

  • Gujarat
  • October 12, 2025
  • 0 Comments

Nadiad Congress Workers Join BJP: નડિયાદમાં કોંગ્રેસ અને ભાજપ કાર્યકરો વચ્ચે મારામારીની ઘટનાના એક મહિના બાદ સમગ્ર ચિત્ર બદલાઈ ગયું છે. નડિયાદ કોંગ્રેસ માલધારી સેલના પ્રમુખ રાજુભાઈ રબારીએ 50 ટેકેદારો સાથે કેસરિયો ધારણ કરી લીધો છે. જેથી ખેડા જીલ્લાના રાજકારણમાં હડકમ મચ્યો છે. કોંગ્રેસને પણ આંચકો લાગ્યો છે.

ચૂંટણી નજીક આવતાં જ ખેડા જીલ્લાનું રાજકારણ ગરમાયું છે. ગઈકાલે શનિવારે કમલમ ખાતે નડિયાદ કોંગ્રેસ માલધારી સેલના પ્રમુખ રાજુભાઈ રબારી ભાજપમાં જોડાઈ ગયા છે. સાથે જ કોંગ્રેસના 50 કાર્યકરો પણ ભાજપમાં ભળી ગયા છે. જેથી ખેડામાં કોંગ્રેસ પાર્ટીને પડતાં પર પાટુ પડ્યું છે. આક્ષેપ છે કે ભાજપ-કોંગ્રેસ વચ્ચે મારામારી થઈ ત્યારે કોંગ્રેસ કાર્યકરોએ સાથ ન આપ્યો. જેથી અંતે ભાજપમાં જોડાઈ ગયા છે.

ભાજપમાં જોડાયા બાદ રાજુ રબારીએ કહ્યું હું વિધિવત રીતે કોંગ્રેસ છોડી 50 કાર્યકરો સાથે ભાજપમાં જોડાયો છું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ધારાસભ્ય પંકજ દેસાઈને ધ્યાનમાં લઈને ભાજપમાં જોડાયા છીએ. આવનારા દિવસોમાં નડિયાદમાં વિકાસના કામો કરીશું.

રાજુ રબારી સાથે શું થયું હતુ?

એક મહિના પૂર્વે નડિયાદ કોર્પોરેશન કચેરીમાં ડેપ્યુટી કમિશનરની ચેમ્બર બહાર ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મારામારી થઈ હતી. જેમાં રાજુ રબારીને માર્યા હતા. જેનો એક વીડિયો પણ વાયુવેગે વાઈરલ થઈ ગયો હતો. આ ઘટના ત્યારે બની હતી જ્યારે કોર્પોરેશન કચેરીમાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વિવિધ પ્રશ્નોની રજૂઆત કરવા માટે ગયા હતા. તે દરમિયાન કોઈ વાતે બન્ને પક્ષોના કાર્યકરો વચ્ચે બબાલ થઈ હતી. જે બાદ ડેપ્યુટી કમિશનરની ચેમ્બર બહાર એક બીજાને માર માર્યો હતો. વિવાદ વધતાં પોલીસ પણ તાત્કાલિક દોડી આવી હતી અને બન્નેને શાંત પાડ્યા હતા.

આ પણ વાંચો:

 Kheda: નડિયાદ કલેકટર કચેરીમાં જન્મનો દાખલો કઢાવવા ધક્કા ખાતી મહિલા રડી, ખેડા જીલ્લો શરમમાં મૂકાયો

Kheda: નડિયાદમાં સિટી બસ સેવા 63 દિવસમાં જ બંધ: પૂરા 3 મહિના પણ ન ચાલી, પાર્સિંગનું બહાનું કાઢ્યું

 Nirav Soni Arrest: નડિયાદમાં 1 કરોડથી વધુનું ફૂલેકું ફેરવનાર નીરવ સોની પોલીસ સકંજામાં, બે દિવસના રિમાન્ડ પર, મહિલાને આ રીતે છેતરી!

minor girl harassed:’નડિયાદમાં 3 મહિનામાં 200 પુરુષોએ મારા પર રેપ કર્યો’ 12 વર્ષની બાંગ્લાદેશી બાળાએ જે કહ્યું તેને જાણીને તમે હચમચી જશો

Related Posts

Jamnagar Farmers Protest: જામનગરમાં વીજલાઈન વિવાદ, હજારો ખેડૂતોનો કલેક્ટર કચેરીએ ઉગ્ર વિરોધ
  • July 31, 2026

Jamnagar Farmers Protest: ગુજરાતમાં હાઈ ટેન્શન વીજલાઈન પ્રોજેક્ટને લઈને ખેડૂતોનો વિરોધ સતત વધી રહ્યો છે. કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી અને દેવભૂમિ દ્વારકા બાદ હવે જામનગર જિલ્લામાં પણ મોટી સંખ્યામાં ખેડૂતો રસ્તા…

Continue reading
AAP Gujarat local body election: ચૈતર વસાવાની ગેરહાજરી છતાં આદિવાસી વિસ્તારમાં AAP નો દબદબો, પેટાચૂંટણીમાં મોટી જીત
  • July 30, 2026

AAP Gujarat local body election: ગુજરાતમાં યોજાયેલી વિવિધ નગરપાલિકા અને તાલુકા પંચાયતની પેટાચૂંટણીઓના પરિણામો જાહેર થતાં આદિવાસી વિસ્તારોમાં આમ આદમી પાર્ટી (AAP)એ નોંધપાત્ર પ્રદર્શન કર્યું છે. ખાસ કરીને ચૈતર વસાવાની ગેરહાજરી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Gulf countries Indian deaths: ખાડી દેશોમાં ભારતીયોના મૃત્યુના ચોંકાવનારા આંકડા, 3 વર્ષમાં 4,124 ભારતીયોના મોત

  • August 1, 2026
  • 3 views
Gulf countries Indian deaths: ખાડી દેશોમાં ભારતીયોના મૃત્યુના ચોંકાવનારા આંકડા, 3 વર્ષમાં 4,124 ભારતીયોના મોત

PM Modi CJP Protest: પીએમ મોદીએ પ્રથમ વખત યુવા આંદોલનનો કર્યો ઉલ્લેખ, પ્રદર્શનકારીઓને ‘ભટકેલા બાળકો’ કહી માફ કરવાની વાત કરી

  • August 1, 2026
  • 3 views
PM Modi CJP Protest: પીએમ મોદીએ પ્રથમ વખત યુવા આંદોલનનો કર્યો ઉલ્લેખ, પ્રદર્શનકારીઓને ‘ભટકેલા બાળકો’ કહી માફ કરવાની વાત કરી

Bhopal Water Contamination: ભોપાલના 70% પાણીના નમૂનાઓ દૂષિત હોવાનો દાવો, ગેસ પીડિતોએ ઉઠાવ્યા સવાલ

  • August 1, 2026
  • 9 views
Bhopal Water Contamination: ભોપાલના 70% પાણીના નમૂનાઓ દૂષિત હોવાનો દાવો, ગેસ પીડિતોએ ઉઠાવ્યા સવાલ

CJP Protest Women Targeted: નીટ પેપર લીક આંદોલન બાદ મહિલા પ્રદર્શનકારીઓ નિશાન પર? સોશિયલ મીડિયા અભિયાન, FIR થી વિવાદ વધુ ઘેરાયો

  • August 1, 2026
  • 13 views
CJP Protest Women Targeted: નીટ પેપર લીક આંદોલન બાદ મહિલા પ્રદર્શનકારીઓ નિશાન પર? સોશિયલ મીડિયા અભિયાન, FIR થી વિવાદ વધુ ઘેરાયો

Chandranath Rath Murder Case: શુભેન્દુ અધિકારીના PA ચંદ્રનાથ રથ હત્યા કેસમાં CBIની મોટી કાર્યવાહી, કથિત ષડયંત્રકારોની ધરપકડ

  • August 1, 2026
  • 5 views
Chandranath Rath Murder Case: શુભેન્દુ અધિકારીના PA ચંદ્રનાથ રથ હત્યા કેસમાં CBIની મોટી કાર્યવાહી, કથિત ષડયંત્રકારોની ધરપકડ

Food Adulteration India: 5 વર્ષમાં 1.85 લાખ ભેળસેળના કેસ, માત્ર 3.3% કેસોમાં જ સજા

  • August 1, 2026
  • 5 views
Food Adulteration India: 5 વર્ષમાં 1.85 લાખ ભેળસેળના કેસ, માત્ર 3.3% કેસોમાં જ સજા