Gujarat politics: ગુજરાત ભાજપમાં અસંતોષની આગ વધુ પ્રસરે તે પહેલાં CM ભુપેન્દ્ર પટેલ દિલ્હી પહોંચ્યા! રાજકીય માહોલ ગરમાયો!

  • Gujarat
  • October 13, 2025
  • 0 Comments

Gujarat politics: ગુજરાતમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ બદલાયા બાદ ભાજપમાં આંતરીક જુથબંધી અને અસંતોષનો માહોલ ક્રિએટ થયો છે અને સુરતમાં ભાજપના કાર્યાલયમાં જ બે કાર્યકરો વચ્ચે મારામારી,રાજકોટમાં મેયર અને ધારાસભ્ય વચ્ચેની બબાલ તેમજ સિદ્ધપુરમાં પણ બે કાર્યકરો વચ્ચેની માથાકૂટના ઉપરા ઉપરી વીડિયો ઉપરાંત જામનગરના સિક્કા નપાના આઠ ભાજપ કાઉન્સીલર કોંગ્રેસમાં જોડાવાની ઘટના હોય કે પછી પ્રાંતિજમાં ભાજપના યુવા નેતા છોકરી લઈ ભાગી જવાની ઘટના પણ એક વાત નક્કી થઈ ગઈ કે ગુજરાત ભાજપ સંગઠન ઉપર જાણે કોઈનો કંટ્રોલ ન હોય તેવો માહોલ સર્જાયો છે અને હજુતો મંત્રી મંડળનું વિસ્તરણ પણ બાકી છે ત્યારે નારાજ થનારો વર્ગ વધુ મુસીબત ઉભી કરી શકે તેવે સમયે હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે દિલ્હીના પ્રવાસે જવા રવાના થયા હોવાની વાત સામે આવી રહી છે.જોકે, સત્તાવાર રીતે રાજ્ય સરકારે સીએમની દિલ્હી મુલાકાત અંગે કોઈ જાહેરાત કરી નથી પણ રાજકીય વર્તુળોમાં સીએમ ભુપેન્દ્ર પટેલના આ દિલ્હી પ્રવાસને લઈને અનેક તર્ક લાવવામાં આવી રહયા છે.

કહેવામાં આવી રહ્યું છે કે ગુજરાતમાં છેલ્લા દિવસોથી ભાજપમાં જે રીતે ઘટનાઓ બની રહી છે અને શિસ્તના લિરા ઉડી રહયા છે તે સિવાયના મંત્રી મંડળના વિસ્તરણ મામલે રૂબરૂ ચર્ચા કરવા દિલ્હી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના ટોચના નેતાઓ સાથે બેઠક કરવા ગયા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસોથી મંત્રીમંડળના વિસ્તરણ અને સંગઠનમાં ફેરફારની અટકળો ચાલી રહી છે. આ પરિસ્થિતિ વચ્ચે મુખ્યમંત્રીનો દિલ્હી પ્રવાસ અનેક રાજકીય સંકેતો આપે છે. બીજી તરફ, કેટલાંક સૂત્રો એ પણ સંકેત આપી રહ્યા છે કે પ્રવાસનો હેતુ માત્ર રાજકીય નહીં, અન્ય વહીવટી મુદ્દાઓ પર પણ ચર્ચા કરવાનો હોઈ શકે છે.

હાલમાં મંત્રીમંડળ વિસ્તરણમાં વચગાળા સંતુલિત નિર્ણય લેવાની રણનીતિના ભાગરૂપે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ચાલુ રાખવામાં આવે, પરંતુ બાકીના મંત્રીમંડળમાં ધરખમ ફેરફાર કરાય તેવી અટકળો છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, હાઇકમાન્ડ એવા પાંચેક મંત્રીને મંત્રીમંડળમાં અકબંધ રાખીને બાકીના 10 જેટલા નેતાને છૂટા કરી શકે છે.મંત્રીમંડળમાંથી કોને કોને સ્થાન આપવું તે નિર્ણય માત્ર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ જ લેતા હોય છે, પરંતુ હાલ જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં યોજાનારી મ્યુનિસિપલ કોર્પોરેશનની તેમજ જિલ્લા અને તાલુકા પંચાયતોની ચૂંટણીને તેમજ 2027માં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં લઈને પસંદગી થશે તેવી શકયતા વચ્ચે જ્ઞાતિ તેમજ જે તે વિસ્તાર પર સંપૂર્ણ પ્રભુત્વ હોય તેવા નેતાની પ્રથમ પસંદગી થઈ શકે છે.

મહત્વનું છે કે ચૂંટણી અગાઉ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ગુજરાતમાં પક્કડ વધારવાનો પ્રયાસ કરી રહી છે,કોંગ્રેસે જિલ્લાકક્ષાએ પોતાનું સંગઠન મજબૂત કરવાની રણનીતિ અપનાવી છે જ્યારે આમ આદમી પાર્ટી એ વિસાવદરનો દાખલો બેસાડી દીધો છે અને ખેડૂત આંદોલન દરમિયાન બોટાદમાં જે થયું તેમાં પણ ભાજપને નુકસાન થઈ શકે અને આપ લાભ લઇ જાય તેવો માહોલ છે ત્યારે નવા પ્રદેશ અધ્યક્ષને હજુ સંગઠનમાં અનુભવ નહિ હોવાથી ક્યાંય કાચું ન કપાય તે માટે ભાજપે ધ્યાન રાખવું પડે તેવી સ્થિતિ છે.

નવા પ્રમુખે ગુજરાતમાં વિરોધપક્ષોની વધતી જતી સક્રિયતાનો સામનો કરવા માટે સટીક રણનીતિ અપનાવવી પડશે અને છેલ્લા દિવસોમાં જે રીતે ભાજપમાં બની રહ્યું છે તે પાર્ટી માટે ચેતવણીરૂપ છે અને કોઈપણ જાહેરાત વગર જ્યારે ભુપેન્દ્ર પટેલ દિલ્હી દોડી ગયા છે જે ઘણું સૂચક મનાઈ રહ્યું છે.

આ પણ વાંચો:

Gujarat News:  કેવડીયામાં રાજાઓનું ભવ્ય ઐતિહાસિક મ્યુઝિયમ બનાવવાની કવાયત શરૂ! સરદાર પટેલની પ્રતિમા બન્યા બાદ ઉઠી હતી માંગ

Dahod માં 55 ગધેડાની ચોરીની ફરિયાદ, પોલીસ પણ ચોંકી ગઈ!

Vadodara: બે લક્ઝરી બસ વચ્ચે ભયંકર અકસ્માત, બે મુસાફરોના મોત

Botad: હડદડમાં ભારે હિંસા બાદ AAP નેતાઓ સહિત 85 લોકો સામે નામજોગ FIR, જુઓ

Botad: હવે રિપોર્ટીંગ કરવું પણ ગુનો છે? BS9ની મહિલા પત્રકાર સાથે પોલીસનું ગેરવર્તન

Related Posts

Civil hospital: કૂતરાની જેમ ચાર પગે ચાલીને ભસતા યુવકને હડકવાના લક્ષણો દેખાયા બાદ નોર્મલ થઈ જતા તબીબો ગોથે ચડ્યા! વાંચો
  • February 1, 2026

Civil hospital: ઉત્તર ગુજરાતમાં એક યુવકને હડકવાના લક્ષણો દેખાયા બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો ત્યારબાદ યુવકને હડકવાના કોઈ લક્ષણ નહિ જણાતા યુવક એકદમ સ્વસ્થ હોવાનું તબીબોએ જણાવ્યું હતું.…

Continue reading
SIR: ગુજરાતમાં લાખ્ખો મતદાતાઓના નામ કમી કરાવવામાં કોણ છે મુખ્ય સૂત્રધાર ? ગુનેગારો સામે ફોજદારી પગલાં કેમ ન ભરાયા? વાંચો
  • January 30, 2026

SIR: ગુજરાતમાં ચોક્કસ મતદારોનાજ નામ કમી કરવા 9.88 લાખ ફોર્મ-7 કેમ-કોણે અને કેવી રીતે ભરાયા ? ચૂંટણી પંચ ખુલાસો કેમ કરતું નથી?ગંભીર ગૂનો આચરવામાં આવ્યો હોવાછતાં ફોજદારી કાર્યવાહી કેમ થતી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Tariff: ડોનાલ્ડ ટ્રમ્પે ટેરીફ ઘટાડયાની જાહેરાત કરી પણ PM મોદીનું ‘અકળ’ મૌનનું સસ્પેન્સ યથાવત ! જાણો,તેલના વેપારનો ખેલ!

  • February 3, 2026
  • 4 views
Tariff: ડોનાલ્ડ ટ્રમ્પે ટેરીફ ઘટાડયાની જાહેરાત કરી પણ PM મોદીનું ‘અકળ’ મૌનનું સસ્પેન્સ યથાવત ! જાણો,તેલના વેપારનો ખેલ!

Breaking News: ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પરનો 25 ટકા ટેરીફ ઘટાડી 18 ટકા કર્યો! ટ્રમ્પની સત્તાવાર જાહેરાત

  • February 2, 2026
  • 5 views
Breaking News: ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પરનો 25 ટકા ટેરીફ ઘટાડી 18 ટકા કર્યો! ટ્રમ્પની સત્તાવાર જાહેરાત

Lok Sabha: ‘ચીની ટેન્ક લદ્દાખ સુધી ઘૂસી ગઈ હતી!’ રાહુલના સવાલ ઉપર સ્પીકરે માઇક્રોફોન બંધ કર્યુ !

  • February 2, 2026
  • 5 views
Lok Sabha: ‘ચીની ટેન્ક લદ્દાખ સુધી ઘૂસી ગઈ હતી!’ રાહુલના સવાલ ઉપર સ્પીકરે માઇક્રોફોન બંધ કર્યુ !

Lok Sabha: ચીન મુદ્દે રાહુલ ગાંધીના નિવેદન પર ભાજપનું આક્રમક વલણ કહ્યું”માફી માંગો!”

  • February 2, 2026
  • 8 views
Lok Sabha: ચીન મુદ્દે રાહુલ ગાંધીના નિવેદન પર ભાજપનું આક્રમક વલણ કહ્યું”માફી માંગો!”

Air India: એર ઇન્ડિયાનું વધુ એક વિમાન ક્રેશ થતાં બચ્યુ! અમદાવાદમાં ક્રેશ થયેલા એર ઇન્ડિયાના વિમાન AI171 જેવીજ સમસ્યા ધ્યાને આવતા પાયલોટ્સ ચોંકી ઉઠ્યા! દુર્ઘટના ટળી!

  • February 2, 2026
  • 8 views
Air India: એર ઇન્ડિયાનું વધુ એક વિમાન ક્રેશ થતાં બચ્યુ! અમદાવાદમાં ક્રેશ થયેલા એર ઇન્ડિયાના વિમાન AI171 જેવીજ સમસ્યા ધ્યાને આવતા પાયલોટ્સ ચોંકી ઉઠ્યા! દુર્ઘટના ટળી!

Opera Energy: ઓપેરાની દાદાગીરી, અહીં ખેડૂતોનું સાંભળનાર કોઈ નથી! પોલીસ કામગીરી ઉપર સવાલ,જુઓ વિડીયો

  • February 2, 2026
  • 4 views
Opera Energy: ઓપેરાની દાદાગીરી, અહીં ખેડૂતોનું સાંભળનાર કોઈ નથી! પોલીસ કામગીરી ઉપર સવાલ,જુઓ વિડીયો