Kheda: નડિયાદ-આણંદ રોડ પર લક્ઝરી બસમાં વિકરાળ આગ, પાવાગઢથી બાવળા જતી હતી

  • Gujarat
  • October 15, 2025
  • 0 Comments

Kheda News: નડિયાદ-આણંદ રોડ પર આવેલા ભૂમેલના રેલવે બ્રિજ પાસે મોડી રાત્રે એક લક્ઝરી બસમાં ભભૂકી ઉઠતાં અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો. ડ્રાઈવરે સૂચકતા દાખવી તમામ મુસાફરોને નીચે ઉતારી દીધા હતા. લક્ઝરી બસમાં 20થી 25 મુસાફરો સવાર હોવાનું કહેવાઈ છે. તમામના જીવ બચી ગયા છે. આ ઘટનાની જાણ થતાં નડિયાદ ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે દોડી આવી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળ્યો છે. જોકે આખી લક્ઝરી બસ સળગી જતાં ભારે નુકસાન થયું છે.

મળતી જણાકરી અનુસાર ગત મોડી રાત્રે એક બસ પાવાગઢથી બાવળા જતી હતી. તે દરમિયાન નડિયાદ-આણંદ રોડ આવેલા ભૂમેલ નજીક રેલવે ઓવરબ્રિજ પાસે એકાએક લક્ઝરી બસમાં આગ ભભૂકી ઉઠી હતી. જેથી મુસાફરોના જીવ તાળવે ચોટી ગયા હતા. ડ્રાઈવરે સમયસૂચકતા દાખવી તાત્કાલિક તમામ મુસાફરોને ઉતારી દીધા હતા. જેથી કોઈ જાનહાનિ થઈ નથી. જો કે લક્ઝરી બસ બળીને રાખ થઈ ગઈ છે.

ઘટનાની આણંદ અને નડિયાદ ફાયર વિભાગની ટીમને કરાઈ હતી. પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. આગ લાગવાનું કારણ હજુ સુધી બહાર આવ્યુ નથી. ​​​​​​​નડિયાદ ફાયરબ્રિગેડના ફાયર ઑફિસર દીક્ષિત પટેલે જણાવ્યું કે ઘટના સ્થળેથી આણંદ ફાયરબ્રિગેડના કોલ કરાયો હતો. જે બાદ 112 દ્વારા નડિયાદ ફાયરબ્રિગેડનો સંપર્ક સાધવામાં આવ્યો હતો. જ્યાં જતા બસમાં 20થી 25 લોકો મુસાફરી કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું.

ઉલ્લેખનીય છે કે આ લક્ઝરી બસ સંપૂર્ણપણે બળીને રાખ થઈ ગઈ છે. જો ડ્રાઈવરે સમયસૂકતા ના વાપરી હોત તો મોટી જાનહિની થઈ શકી હોત.

રાજસ્થાનમાં બસમાં આગ લાગતાં 20 મુસાફરોના મોત

બીજી તરફ મંગળવારે રાજસ્થાનના જેસમેરમાં ચાલતી બસમાં આગ ભભૂકી ઉઠી હતી. જેમાં અત્યાર સુધી 20 લોકોના મોત થઈ ગયા છે.  જેસલમેરથી જોધપુર જઈ રહેલી એક ખાનગી બસમાં અચાનક આગ લાગી ગઈ. અકસ્માત એટલો ભયાનક હતો કે થોડીવારમાં જ બસ આગની લપેટમાં આવી ગઈ. ઘટના સમયે બસમાં 57 લોકો સવાર હતા. ઘટનાસ્થળે અફડાતફડી મચી ગઈ. ગ્રામજનો અને રાહદારીઓની ઉપસ્થિતિએ અનેક મુસાફરોના જીવ બચાવ્યા હતા.

આ પણ વાંચો:

Jaisalmer Fire News: જેસલમેરમાં દુઃખદ અકસ્માત, ચાલતી બસમાં આગ લાગી; 15 મુસાફરો બળીને ભળથું, કુલ 57 લોકો હતા સવાર

Nadiad માં મહિલાનો હાથ ખેંચી ગાડીમાં બેસાડી છેડતી કરનાર માથાભારે શખ્સ ઝડપાયો

Nadiad: નડિયાદમાં એરગનથી હવામાં ફાયરિંગ કરી રોકડ ભરેલી બેગ માગી, પછી શું થયું?

City bus demand: નડિયાદમાં ધૂળ ખાતી સીટી બસો શરૂ કરવા પશ્ચિમ નાગરિક સમિતિની માંગ, કોના બહેરા કાન?

Nirav Soni Arrest: નડિયાદમાં 1 કરોડથી વધુનું ફૂલેકું ફેરવનાર નીરવ સોની પોલીસ સકંજામાં, બે દિવસના રિમાન્ડ પર, મહિલાને આ રીતે છેતરી!

 

 

Related Posts

PGVCL GM RTGS Fraud: PGVCLના GM સાથે ₹45 લાખની ડિજિટલ લૂંટ: “હું મીટિંગમાં છું” કહી સાયબર ઠગોએ ખેલ્યો મોટો ખેલ
  • May 5, 2026

PGVCL GM RTGS Fraud: ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં સાયબર ગુનેગારોની હિંમત હવે સાતમા આસમાને પહોંચી હોય તેમ જણાય છે. અત્યાર સુધી સામાન્ય લોકોના બેંક ખાતા સાફ કરનારા ઠગબાજોએ હવે ઉચ્ચ સરકારી…

Continue reading
Mahisagar River Drowning Incident: ઉનાળાની મજા બની સજા, મહીસાગર નદી અને માછણ ડેમમાં ડૂબવાથી ત્રણ યુવકોના કરુણ મોત
  • May 5, 2026

Mahisagar River Drowning Incident: ગુજરાતમાં ઉનાળો આકરો બનતા જ લોકો ગરમીથી રાહત મેળવવા માટે નદી, ડેમ અને તળાવો તરફ વળી રહ્યા છે, પરંતુ આ આનંદ ક્યારેક માતમમાં ફેરવાઈ જાય છે.…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

PGVCL GM RTGS Fraud: PGVCLના GM સાથે ₹45 લાખની ડિજિટલ લૂંટ: “હું મીટિંગમાં છું” કહી સાયબર ઠગોએ ખેલ્યો મોટો ખેલ

  • May 5, 2026
  • 2 views
PGVCL GM RTGS Fraud: PGVCLના GM સાથે ₹45 લાખની ડિજિટલ લૂંટ: “હું મીટિંગમાં છું” કહી સાયબર ઠગોએ ખેલ્યો મોટો ખેલ

Mahisagar River Drowning Incident: ઉનાળાની મજા બની સજા, મહીસાગર નદી અને માછણ ડેમમાં ડૂબવાથી ત્રણ યુવકોના કરુણ મોત

  • May 5, 2026
  • 4 views
Mahisagar River Drowning Incident: ઉનાળાની મજા બની સજા, મહીસાગર નદી અને માછણ ડેમમાં ડૂબવાથી ત્રણ યુવકોના કરુણ મોત

Vadnagar Suicide And Murder Case: વડનગરનો હચમચાવી દેતો હત્યાકાંડ, પત્ની-પુત્રીને ઘરમાં દાટી પતિનો હોસ્પિટલના ચોથા માળેથી આપઘાત

  • May 5, 2026
  • 8 views
Vadnagar Suicide And Murder Case: વડનગરનો હચમચાવી દેતો હત્યાકાંડ, પત્ની-પુત્રીને ઘરમાં દાટી પતિનો હોસ્પિટલના ચોથા માળેથી આપઘાત

Naroda Sub Registrar Bribery Case: નરોડા-6 સબ રજીસ્ટ્રાર કચેરીમાં ભ્રષ્ટાચારનો પર્દાફાશ, દસ્તાવેજના કામ માટે ₹2.50 લાખની લાંચ લેતા ત્રણ ભ્રષ્ટ અધિકારીઓ ઝડપાયા

  • May 5, 2026
  • 9 views
Naroda Sub Registrar Bribery Case: નરોડા-6 સબ રજીસ્ટ્રાર કચેરીમાં ભ્રષ્ટાચારનો પર્દાફાશ, દસ્તાવેજના કામ માટે ₹2.50 લાખની લાંચ લેતા ત્રણ ભ્રષ્ટ અધિકારીઓ ઝડપાયા

Stock Market Cyber Fraud: શેરબજારમાં મહિને 200 ટકા નફાની લાલચ આપીને યુવક સાથે 18 લાખની છેતરપિંડી, અમદાવાદ સાયબર ક્રાઇમે ગેંગ પકડી

  • May 5, 2026
  • 9 views
Stock Market Cyber Fraud: શેરબજારમાં મહિને 200 ટકા નફાની લાલચ આપીને યુવક સાથે 18 લાખની છેતરપિંડી, અમદાવાદ સાયબર ક્રાઇમે ગેંગ પકડી

Kinnar Jyotish Gang: ઓનલાઇન જ્યોતિષના નામે બ્લેકમેલિંગનું નેટવર્ક, કિન્નર ગુરુ બની લોકોને લૂંટતી ગેંગનો પર્દાફાશ

  • May 5, 2026
  • 11 views
Kinnar Jyotish Gang: ઓનલાઇન જ્યોતિષના નામે બ્લેકમેલિંગનું નેટવર્ક, કિન્નર ગુરુ બની લોકોને લૂંટતી ગેંગનો પર્દાફાશ