Botad: બોટાદ કડદા વિરુદ્ધ ‘કડક’ આંદોલન, AAP નેતા રાજુ કરપડા-પ્રવીણ રામની ધરપકડ

  • Gujarat
  • October 16, 2025
  • 0 Comments

Botad: ગુજરાતના રાજકારણમાં બોટાદના કડદા કાંડે તાપમાન વધાર્યું છે. આમ આદમી પાર્ટી (AAP)ના પ્રદેશ કાર્યાલય પર પહોંચતાં જ નેતાઓ રાજુભાઈ કરપડા અને પ્રવીણ રામને પોલીસે ધરપકડ કરી લીધી છે. આ ઘટના બોટાદ મહાપંચાયતમાં થયેલા વિવાદ અને કડદા પ્રથા વિરુદ્ધના આંદોલનમાં બની છે, જેમાં AAPના આ બંને નેતાઓ સહિત 85 લોકો વિરુદ્ધ FIR નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ ફરિયાદ નોંધાયા બાદ ભૂગર્ભમાં ઉતરેલા આ બંને નેતાઓ આજે બહાર આવ્યા અને પાર્ટી કાર્યાલય તરફ વળ્યા. તેઓએ અહીં પહોંચીને ખેડૂતોને આંદોલનને અટકાવ્યા વિના આગળ વધારવાનો સંદેશ આપ્યો. ધરપકડ દરમિયાન તેઓએ જાહેરલેણ કર્યું કે, જેલ જવું પડે તો પણ લડત ચાલુ રહેશે અને કડદા પ્રથા બંધ કરવા માટે ગાંધીચિંધા માર્ગ અપનાવશે.

આ મામલે ધરપકડ કરાતા પહેલા રાજુભાઈ કરપડાએ કહ્યું હતું કે, “જેલમાં જઈએ તો પણ આ આંદોલન અટકશે નહીં. હવે ખેડૂતોની જવાબદારી છે કે આ લડતને દરેક ઘર સુધી પહોંચાડે. આ માત્ર અમારી નહીં, પણ આખા ગુજરાતના ખેડૂત સમુદાયની લડાઈ છે.” તેઓએ ઉમેર્યું કે, જેલમાંથી બહાર આવ્યા પછી પણ આંદોલનને ગતિ આપવાનું ચાલુ રહેશે.બીજી તરફ, પ્રવીણ રામે કહ્યું, “અમે જેલ જઈએ તો તમે લડાઈ છોડશો નહીં. અમે અનશન પર બેસવા તૈયાર છીએ, પરંતુ પોલીસ અનુમતિ નહીં આપે તે જાણી જોઈએ. છતાં મનોબળ તૂટશે નહીં.” તેઓએ રાજુ કરપડાની આગેવાનીની પ્રશંસા કરતા કહ્યું, “રાજુભાઈના નેતૃત્વમાં સાચી ખેડૂત ક્રાંતિ ઊભી થઈ છે. જેલ જવું તો શું, અમે ગોળીઓ ખાવા માટે પણ તૈયાર છીએ – ખેડૂત હિતમાં કોઈ પગલું પાછું નહીં ખેંચીએ.”

આ ધરપકડથી AAPનું આંદોલન વધુ તીવ્ર બન્યું છે, અને ખેડૂત સમુદાયમાં ગુસ્સો વધ્યો છે. પાર્ટીએ જણાવ્યું કે, આ લડત ગાંધીયુગીય અહિંસા પર આધારિત રહેશે, પરંતુ કડદા પ્રથા બંધ થાય ત્યાં સુધી ચાલુ રહેશે.

આ પણ વાંચો:

 Rajkot: ભાજપના બેનરમાં PM મોદીના મોઢા ઉપર કાળો કૂચડો ફેરવી દેવાતા ચકચાર,તાત્કાલિક બેનર હઠાવાયુ!

Narmada: ગુજરાત પેટર્ન યોજનામાં કરોડોનું કૌભાંડ, ધારાસભ્ય ચૈતર વસાવાએ કોના પર કર્યા આરોપ?

 Ahmedabad: સેશન્સ કોર્ટના જજ પર બેવાર જુતું ફેંકાયું, શું છે કારણ?

Passport: વિશ્વના ટોપ 10 દેશોના શક્તિશાળી પાસપોર્ટ યાદીમાંથી US બહાર ફેંકાયું, સિંગાપુરે મારી બાજી

Madhya Pradesh Seoni Case: SDOP પૂજા પાંડે અને તેમની આખી ટીમ ફસાઈ, અત્યાર સુધીમાં 10 ની ધરપકડ, એક ફરાર

તેલ કિંમત વિશ્લેષણ

Related Posts

Liquor: અમદાવાદમાં ગરીબોને જ્યારે ગુંડાઓએ મકાન ખાલી કરવા ધમકી આપી અને આ યુવા નેતાએ કરી એન્ટ્રી! પોલીસની હાલત જોવા જેવી થઈ!
  • March 3, 2026

Liquor: અમદાવાદમાં ગરીબોને તેમના ઘર ખાલી કરી ભાગી જવા ગુંડાઓ દ્વારા અપાઈ રહેલી ફિલ્મી ધમકીઓ વચ્ચે હવે હીરોની એન્ટ્રી થઈ છે અને આ હીરો એટલે જીગ્નેશ મેવાણી કે જેઓ બનાસકાંઠા…

Continue reading
Vadodara: કોલેજની વિદ્યાર્થીનીઓનો હાથ પકડી વાઈસ ડીને કહ્યું ‘મને ક્રીમ લગાડેતો કેવું લાગે?!’ગંભીર આક્ષેપ બાદ વાઈસ ડીનને પદથી દૂર કરાયા!
  • February 27, 2026

Vadodara: વડોદરા શહેરની બરોડા મેડિકલ કોલેજની બીજા વર્ષમાં ભણતી કેટલીક વિદ્યાર્થીનીઓએ વાઇસ ડીન ડો. અમોલ ભાવે ઉપર ગંભીર આરોપ લગાવ્યો છે કે તેઓ વિદ્યાર્થિનીઓના હાથ પકડીને સતામણી કરતા હતા અને…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Iran War: ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝીઝકિઆનની ધમકી, હવે પરિણામ ભોગવવા તૈયાર રહો!

  • March 6, 2026
  • 6 views
Iran War: ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝીઝકિઆનની ધમકી, હવે પરિણામ ભોગવવા તૈયાર રહો!

Modi: મોદીજીએ સ્વદેશી ગેસ-તેલની કરેલી મોટી જાહેરાતો ગુબ્બરા સાબિત થઈ? જુઓ ખાસ વિશ્લેષણ

  • March 6, 2026
  • 7 views
Modi: મોદીજીએ સ્વદેશી ગેસ-તેલની કરેલી મોટી જાહેરાતો ગુબ્બરા સાબિત થઈ? જુઓ ખાસ વિશ્લેષણ

Morbi: ઈરાન યુદ્ધને પગલે મોરબીનો સિરામિક ઉદ્યોગ ઠપ્પ ; યુદ્ધ લાંબુ ચાલ્યુતો ભારતમાં મોટો આર્થિક ફટકો પડશે!

  • March 6, 2026
  • 10 views
Morbi: ઈરાન યુદ્ધને પગલે મોરબીનો સિરામિક ઉદ્યોગ ઠપ્પ ; યુદ્ધ લાંબુ ચાલ્યુતો ભારતમાં મોટો આર્થિક ફટકો પડશે!

Iran war: ઈસ્લામિક વિચારધારા ખતમ કરવા શરૂ થયેલા કથિત જંગમાં સેંકડો નિર્દોષ લોકોના મોત! અબજોનું નુકશાન! જાણો રોજના કેટલો થઈ રહ્યો છે ખર્ચ!

  • March 6, 2026
  • 11 views
Iran war: ઈસ્લામિક વિચારધારા ખતમ કરવા શરૂ થયેલા કથિત જંગમાં સેંકડો નિર્દોષ લોકોના મોત! અબજોનું નુકશાન! જાણો રોજના કેટલો થઈ રહ્યો છે ખર્ચ!

Narendramodi: અમેરિકન મહિલા પત્રકારે નરેન્દ્ર મોદીના ઈઝરાયેલ સન્માન માટે જે કહ્યું તે સાંભળી ચોંકી જશો! જાણો મામલો

  • March 6, 2026
  • 18 views
Narendramodi: અમેરિકન મહિલા પત્રકારે નરેન્દ્ર મોદીના ઈઝરાયેલ સન્માન માટે જે કહ્યું તે સાંભળી ચોંકી જશો! જાણો મામલો

Air Force: વાયુસેનાનું સુખોઈ-30 MKI વિમાન ક્રેશ; બે પાયલોટ શહીદ

  • March 6, 2026
  • 10 views
Air Force: વાયુસેનાનું સુખોઈ-30 MKI વિમાન ક્રેશ; બે પાયલોટ શહીદ