Dhanteras 2025:  આજે ધનતેરસના દિવસે આ ખાસ ઉપાય કરવાથી શનિની પનોતીમાંથી મળશે છુટકારો,ફટાફટ આટલું કરો

  • India
  • October 18, 2025
  • 0 Comments

Dhanteras 2025:  આજે ધન તેરસનું પર્વ પણ છે અને આજે યોગાનુયોગ ભગવાન શનિનો શનિવાર પણ છે,ભગવાન શનિ ન્યાયના દેવતા માનવામાં આવે છે,હાલમાં પાંચ રાશિઓ ઉપર શનિની પનોતીનો પ્રભાવ ચાલુ છે. જેઓ નાણાકીય, શારીરિક અને માનસિક મુશ્કેલીઓનો જીવનમાં સામનો કરી રહયા છે તેમના કામમાં અવરોધો આવી રહયા છે, પૈસા મળતા નથી અને અકસ્માતો અને બીમારીની શક્યતાઓ રહે છે. જીવનમાં પડકારોનો સામનો કરવો પડે છે. એકંદરે સાડા સાતી પનોતી જીવનમાં ઉથલપાથલ લાવે છે.

આપને જણાવી દઈએ કે હાલમાં, શનિ મીન રાશિમાં વક્રી છે અને આજે ધનતેરસ 18 ઓક્ટોબર, શનિવારના રોજ છે.આવી સ્થિતિમાં, શનિના દુ:ખોથી મુક્તિ મેળવવાનો આ એક સુવર્ણ અવસર માનવામાં આવી રહ્યો છે.

હાલમાં કુંભ, મીન અને મેષ રાશિના જાતકો પર શનિની સાડાસાતી અને સિંહ અને ધન રાશિના જાતકો પણ શનિની ઢૈય્યા ચાલી રહી છે. આ જાતકોએ શનિના પ્રકોપથી રાહત મેળવવા માટે આજે તા. 18 ઑક્ટોબરે ધનતેરસના દિવસે કેટલાક ખાસ ઉપાય કરવા જોઈએ જેનાથી ઢૈય્યા અને સાડાસાતીના નકારાત્મક પ્રભાવો ઓછા થઈ શકે છે.

આજે ધનતેરસના દિવસે આવા જાતકોએ ભગવાન શનિ મંદિરમાં જઈ દર્શન કરી સરસવના તેલનો દીવો પ્રગટાવો.પીપળાના ઝાડ નીચે પણ દીવો પ્રગટાવી શકાય તેનાથી શનિના નકારાત્મક પ્રભાવો દૂર થાય છે. કામ થવા લાગે છે અને આર્થિક સ્થિતિમાં સુધારો આવે છે.

આ સિવાય અસહાય, ગરીબની શક્ય મદદ અને સેવા ઉપરાંત મૂંગા પશુ-પક્ષી-પ્રાણીઓને ભોજન-પાણી-દાણા આપો અને તેમની સેવા કરો. ગાય, કાગડા અને કૂતરાઓને રોટલી ખવડાવો. ગરીબને ભોજન કરાવો. અસહાય લોકોની મદદ કરવાથી પણ ભગવાન શનિની કૃપા થાય છે.

ધનતેરસના આજના દિવસે પ્રદોષ કાળમાં સૂર્યાસ્ત બાદ શનિ સ્તોત્રનો પાઠ કરવો જોઈએ તેનાથી શનિના નકારાત્મક પ્રભાવ દૂર થાય છે અને તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે.
આજના દિવસે પનોતી ધરાવતા જાતકોએ સરસવનું તેલ, તલ, લોખંડ, અડદ દાળ વગેરેનું દાન કરવાથી પણ શનિ દેવની કૃપા બની રહે છે અને જીવનમાં આવતા કષ્ટ ઓછા થાય છે અને અવરોધ આવતા નથી.

આ પણ વાંચો:

Transgenders Consume Phenyl in Indore: ઈન્દોરમાં 22 કિન્નરોએ એકસાથે ફિનાઇલ પીધું, ઘટના પાછળનું શું છે સાચું કારણ?

Gujarat Cabinet Reshuffle: ગુજરાત મંત્રીમંડળ વિસ્તરણ, સમય અને સ્થળ થયું નક્કી, આ નવા ચહેરાઓની એન્ટ્રી લગભગ ફાઈનલ

Botad: બોટાદ કડદા વિરુદ્ધ ‘કડક’ આંદોલન, AAP નેતા રાજુ કરપડા-પ્રવીણ રામની ધરપકડ

Afghanistan Pakistan Conflict: પેન્ટ લેવા પણ ના રહ્યા પાકિસ્તાની સૈનિકો, તાલિબાનીઓએ ચોકીઓ પર કરી લીધો કબજો

Related Posts

Rising Violence in India: પરિસ્થિતિ એવી બની ગઈ છે કે જો સલામત રહેવું હોય તો આ પાંચ વસ્તુઓ ભૂલથી પણ ના કરશો!
  • September 17, 2026

Rising Violence in India: દેશમાં રોજિંદા જીવનમાં નાની-નાની બાબતોને લઈને લોકો વચ્ચે વધતા વિવાદ, ગાળાગાળી, રોડ રેજ અને મારામારી અંગે ચિંતા વ્યક્ત થઈ રહી છે. એક જાહેર ચર્ચામાં મયૂર જાનીએ…

Continue reading
Manusmriti and BR Ambedkar: ‘મહારનો કાયદો’ અને ‘ભીમ સ્મૃતિ’થી હિન્દુ કોડ બિલ સુધી, બંધારણ સભાની ઐતિહાસિક ચર્ચા
  • September 16, 2026

Manusmriti and BR Ambedkar: 26 નવેમ્બર 1949ના રોજ ભારતનું બંધારણ અપનાવવામાં આવ્યું તેના બે દિવસ પહેલાં સમાજ સુધારક અને કોંગ્રેસ નેતા કેશવરાવ જેધેએ ડૉ. બી.આર. આંબેડકર અને તેમના સાથીઓને બંધારણ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Rising Violence in India: પરિસ્થિતિ એવી બની ગઈ છે કે જો સલામત રહેવું હોય તો આ પાંચ વસ્તુઓ ભૂલથી પણ ના કરશો!

  • September 17, 2026
  • 3 views
Rising Violence in India: પરિસ્થિતિ એવી બની ગઈ છે કે જો સલામત રહેવું હોય તો આ પાંચ વસ્તુઓ ભૂલથી પણ ના કરશો!

Manusmriti and BR Ambedkar: ‘મહારનો કાયદો’ અને ‘ભીમ સ્મૃતિ’થી હિન્દુ કોડ બિલ સુધી, બંધારણ સભાની ઐતિહાસિક ચર્ચા

  • September 16, 2026
  • 3 views
Manusmriti and BR Ambedkar: ‘મહારનો કાયદો’ અને ‘ભીમ સ્મૃતિ’થી હિન્દુ કોડ બિલ સુધી, બંધારણ સભાની ઐતિહાસિક ચર્ચા

Noise Pollution India: ‘અવાજ ઓછો કરો’ કહેવું પડ્યું ભારે, મણિપુરી સંગીતકારની હત્યાથી લાઉડસ્પીકર સંસ્કૃતિ પર ચર્ચા

  • September 16, 2026
  • 5 views
Noise Pollution India: ‘અવાજ ઓછો કરો’ કહેવું પડ્યું ભારે, મણિપુરી સંગીતકારની હત્યાથી લાઉડસ્પીકર સંસ્કૃતિ પર ચર્ચા

UAPA Bail Long Custody: UAPA કેસોમાં લાંબી કસ્ટડી સામે જામીનનો સવાલ, અદાલતોના તાજેતરના નિર્ણયો ચર્ચામાં

  • September 16, 2026
  • 5 views
UAPA Bail Long Custody: UAPA કેસોમાં લાંબી કસ્ટડી સામે જામીનનો સવાલ, અદાલતોના તાજેતરના નિર્ણયો ચર્ચામાં

Manipur Violence: નવી સરકાર બાદ મણિપુરમાં કુકી-જો અને નાગા વચ્ચે હિંસાનો નવો તબક્કો, 27ના મોત અને 100થી વધુ ઘરો સળગ્યા

  • September 16, 2026
  • 11 views
Manipur Violence: નવી સરકાર બાદ મણિપુરમાં કુકી-જો અને નાગા વચ્ચે હિંસાનો નવો તબક્કો, 27ના મોત અને 100થી વધુ ઘરો સળગ્યા

‘ફિક્સર વકીલો’ની ઓળખ કરી કૉલેજિયમને માહિતી આપવી જોઈએ – Mahesh Jethmalani

  • September 16, 2026
  • 9 views
‘ફિક્સર વકીલો’ની ઓળખ કરી કૉલેજિયમને માહિતી આપવી જોઈએ – Mahesh Jethmalani