
Bhavnagar: દિલ્હીના લાલ કિલ્લા નજીક કારમાં થયેલા ભયાનક વિસ્ફોટની ઘટનાએ સમગ્ર દેશને હલાવી નાખ્યો છે. આ વિસ્ફોટમાં 9 લોકોના મોત થયા હોવા અને 20 થી વધુ ઘાયલ થયા હોવાના અહેવાલો વચ્ચે દિલ્હી પોલીસે આતંકવાદ વિરોધી કાયદા હેઠળ તપાસ શરૂ કરી છે. આ ઘટનાના પગલે ગુજરાત પોલીસે રાજ્યભરમાં સુરક્ષા વ્યવસ્થા કડક કરી છે, જેમાં ભાવનગર શહેર પણ સામેલ છે.
દિલ્હી વિસ્ફોટ પછી ભાવનગરમાં પોલીસ એલર્ટ
દિલ્હીમાં સોમવારે સાંજે 6: 52 વાગ્યે લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન નજીક થયેલા આ વિસ્ફોટમાં કારમાંથી ભીષણ બ્લાસ્ટ થયો હતો જેના કારણે આસપાસના વિસ્તારોમાં અફરાતફરી મચી ગઈ. આ ઘટના બાદ ભાવનગર પોલીસે તાત્કાલિક એલર્ટ જારી કર્યું છે. એસઓજી ટીમ, બોમ્બ સ્ક્વાડ અને ડોગ સ્ક્વાડની ટીમોને શહેરના મુખ્ય જાહેર સ્થળો પર તૈનાત કરવામાં આવી છે. રેલવે સ્ટેશન, એસ.ટી. સ્ટેશન, બજારો, મોલ અને વાહનોના ચેકિંગમાં વ્યસ્તતા જોવા મળી રહી છે.પોલીસે યાત્રીઓના સમાન, પાર્સલ, બેગ-થેલા અને વાહનોની કડક તપાસ શરૂ કરી છે. શંકાસ્પદ વ્યક્તિઓ કે વસ્તુઓ જોવા મળે તો તાત્કાલિક પોલીસને જાણ કરવાની સૂચના આપી છે. ભાવનગર પોલીસ કમિશનરના નેતૃત્વમાં આ કાર્યવાહી ચાલુ છે, જેમાં શહેરના તમામ પોલીસ સ્ટેશનો સહયોગી છે.
પોલીસની નાગરિકોને અપીલ
આ ઘટના પછી રાજ્યમાં અન્ય જિલ્લાઓમાં પણ સતર્કતા વધારાઈ છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે આ પગલાં લોકોની સુરક્ષા માટે છે અને કોઈ પણ પ્રકારની અણધારી ઘટના ટાળવા માટે તૈયારીઓ કરાઈ છે. નાગરિકોને આપવામાં આવેલી સૂચના અનુસાર, કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ જોવા મળે તો 100 અથવા સ્થાનિક પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો.
આ પણ વાંચો:
Amreli:રાજ્ય સરકારના સહાય પેકેજથી ભાજપમાં ભડકો, વરિષ્ઠ નેતાએ આપી દીધું રાજીનામું
chhotaudepur: “મને ડરાવી-ધમકાવીને ભાજપમાં જોડવાની કોશિશ કરી” AAP ધારાસભ્ય ચૈતર વસાવાનો મોટો ખુલાસો
Kirti Patel: કીર્તિ પટેલ સામે PASA હેઠળ કાર્યવાહી , વડોદરા જેલમાં ધકેલાઈ, ખંડણી અને ધમકીના 9 કેસો









