
Rajkot: રાજકોટના જામનગર રોડ પરના નાગેશ્વર વિસ્તારમાં આજે સવારે થયેલી દુખદ ઘટનાએ આખા વિસ્તારને હચમચાવી નાખ્યો છે. જેમાં કાકી-ભત્રીજા વચ્ચે ચાલતા પ્રેમસંબંધને કારણે પતિ-પત્ની વચ્ચે લાંબા સમયથી તણાવ ચાલુ હતો. આખરે આ ઝઘડો એવા કરુણ વળાંકે પહોંચ્યો કે પતિએ પોતાની પત્ની પર ગોળી ચલાવી અને તુરંત પછી પોતાના લમણે ગોળી મારી આત્મહત્યા કરી લીધી.
પતિએ પત્નીને ગોળી મારી પતાવી દીધી
આ ઘટના નાગેશ્વર વિસ્તારમાં આવેલી એક રહેણાંક અનેડામાં બનેલી છે, જ્યાં પત્ની યોગા કરીને પરત ફરી હતી. તેમના પતિ, જે ચોટીલા આપાગીગા ઓટલામાં સેવક તરીકે કાર્યરત હતા, તેઓ દોઢ મહિનાથી પત્નીને ઘરે પરત ફરવા માટે વારંવાર કહેતા રહ્યા. પરંતુ પત્ની, જે તેમના ભત્રીજા સાથે પ્રેમમાં મોહિત હતી, તેમણે ઘર છોડીને મિત્રના નિવાસસ્થાને રહેવાનું પસંદ કર્યું હતું. આ તકરારને કારણે આજે સવારે રોષે ભરાયેલા પતિએ પોતાની પરવાના વાળી રિવોલ્વરથી પત્નીને બિલ્ડિંગના પટાંગણમાં ગોળી મારી દીધી.
પોલીસે હાથ ધરી તપાસ
આ ઘટનાની માહિતી મળતાં જ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનની ટીમ અને ડીસીપી ક્રાઇમ તુરંત ઘટનાસ્થળે પહોંચ્યા. તપાસ દરમિયાન સ્થળ પરથી ત્રણ કાર્તુસ મળી આવ્યા, જે બનાવની પુષ્ટિ કરે છે. પોલીસની પ્રારંભિક તપાસમાં સ્પષ્ટ થયું છે કે આ દુખદ ઘટના પાછળ કુટુંબીય પ્રેમસંબંધ જવાબદાર છે, જેના કારણે પતિ-પત્ની વચ્ચે અનેક વખત વાદ-વિવાદ થયા હતા. હાલ પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે અને આ કેસને ગંભીરતાથી લઈને કાર્યવાહી કરશે.
આ પણ વાંચો:
Amreli:રાજ્ય સરકારના સહાય પેકેજથી ભાજપમાં ભડકો, વરિષ્ઠ નેતાએ આપી દીધું રાજીનામું
chhotaudepur: “મને ડરાવી-ધમકાવીને ભાજપમાં જોડવાની કોશિશ કરી” AAP ધારાસભ્ય ચૈતર વસાવાનો મોટો ખુલાસો
Kirti Patel: કીર્તિ પટેલ સામે PASA હેઠળ કાર્યવાહી , વડોદરા જેલમાં ધકેલાઈ, ખંડણી અને ધમકીના 9 કેસો









