Delhi car blast: મેવાતમાં 32 કાર બોમ્બ બ્લાસ્ટ કરવા માટે 60 આતંકી તૈયાર હતા! એક પોસ્ટરે ખોલી નાખી પોલ!ડૉકટરોની આખી ફોજ કામે લાગી હતી!

  • India
  • November 15, 2025
  • 0 Comments

Delhi car blast: દિલ્હી કાર બ્લાસ્ટ બાદ આગળ વધેલી પોલીસ તપાસ દરમિયાન ધરપકડ કરાયેલા મહિલાઆરોપી ડૉ. શાહીને કરેલી કબુલાતમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે, દેશમાં બ્લાસ્ટ કરવાના ષડયંત્રના ભાગ રૂપે મેવાતમાં 60 થીવધુ આતંકવાદીઓને તૈયાર કર્યા હતા જેઓને શાહીન તેમને તાલીમ આપી તેમનું બ્રેઇન વોશ કરતી હોવાની વાત સામે આવી છે.

આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ માટે કામ કરતા આ ડોક્ટર મોડ્યુલે દેશભરમાં 32 કાર બ્લાસ્ટ કાવતરું ઘડ્યું હતું.આ માટે, મેવાત અને આસપાસના વિસ્તારોમાં 60 થી વધુ સ્લીપર સેલ તૈયાર કરવામાં આવ્યા હતા,તેમાંથી મોટાભાગના ડોક્ટર છે અને તબીબી વ્યવસાય સાથે સંકળાયેલા હોવાની વાત સપાટી ઉપર આવી છે.

દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ અને ગુપ્તચર વિભાગના વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું હતું કે જમ્મુ અને કાશ્મીરમાં આતંકી ગ્રુપ જૈશ-એ-મોહમ્મદના સમર્થનમાં રાષ્ટ્ર વિરોધી પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા,બસ આ પોસ્ટરોના કારણે જ આતંકીઓના મનસૂબા સામે આવ્યા અને દેશભરમાં કાર બ્લાસ્ટ કરવાનું કાવતરું નિષ્ફળ બનાવી શકાયું છે અને માની પણ ન શકાય તેવા તબીબી આતંકી નેટવર્કનો પર્દાફાશ થયો છે.

જમ્મુ અને કાશ્મીર પોલીસ અને ગુપ્તચર વિભાગે તપાસ શરૂ કરી અને 5 નવેમ્બરના રોજ જૈશ-એ-મોહમ્મદના સમર્થનમાં પોસ્ટરો લગાવવાના આરોપમાં ડૉ. આદિલની ધરપકડ કરી. આરોપી સહારનપુરની એક હોસ્પિટલમાં કામ કરતો હતો. ત્યારબાદ મૌલવી ઇરફાન અહેમદની ધરપકડ કરવામાં આવી.

આદિલે પોતે શાહીન અને અન્ય ડૉક્ટરોના નામ તપાસ એજન્સીઓને જાહેર કર્યા. ત્યારબાદ, 9 નવેમ્બરના રોજ ફરીદાબાદમાં મોટી માત્રામાં વિસ્ફોટકો મળી આવ્યા હતા.આમ,જો પોસ્ટરોની તપાસ ન થઈ હોત તો ઘણી જગ્યાએ બોમ્બ વિસ્ફોટને અંજામ આપવામાં આતંકીઓ સફળ થયા હોત.કેમકે,ધરપકડ કરાયેલા શંકાસ્પદોની પૂછપરછમાં 32 કારમાં દેશભરમાં બોમ્બ વિસ્ફોટ કરવાનું ખતરનાક કાવતરું સામે આવ્યું છે.

દિલ્હી પોલીસના અધિકારીઓના જણાવ્યા અનુસાર, ધરપકડ કરાયેલા મહિલા આરોપી ડૉ. શાહીને દેશમાં આતંક ફેલાવવાના કાવતરાના ભાગ રૂપે મેવાતમાં 60 થી વધુ આતંકી તૈયાર કર્યા હતા.શાહીન તેઓનું બ્રેઇન વોશ કરી તાલીમ આપી હોવાનો ખુલાસો થયો છે, આ આતંકીઓ કોઈને કોઈ રીતે અલ-ફલાહ યુનિવર્સિટી સાથે જોડાયેલા છે.સ્પેશિયલ સેલના જણાવ્યા અનુસાર, દિલ્હી પોલીસે મેવાત અને આસપાસના વિસ્તારોમાંથી 25 થી વધુ લોકોની ધરપકડ કરી છે. તે બધાની પૂછપરછ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો:

Amreli:રાજ્ય સરકારના સહાય પેકેજથી ભાજપમાં ભડકો, વરિષ્ઠ નેતાએ આપી દીધું રાજીનામું

Rajasthan: રાજસ્થાનમાં ભારતીય સેનાની મિસાઈલ લક્ષ ચુકી ગઈ અને ભદરિયા ગામની સીમમાં પડી!મોટી જાનહાની ટળી

chhotaudepur: “મને ડરાવી-ધમકાવીને ભાજપમાં જોડવાની કોશિશ કરી” AAP ધારાસભ્ય ચૈતર વસાવાનો મોટો ખુલાસો

Kirti Patel: કીર્તિ પટેલ સામે PASA હેઠળ કાર્યવાહી , વડોદરા જેલમાં ધકેલાઈ, ખંડણી અને ધમકીના 9 કેસો

Related Posts

Markandey Katju on Vijay: પૂર્વ જજ માર્કંડેય કાટજુનો વિજય પર તીખો હુમલો, કહ્યું- જનતા જલ્દી નવા સીએમથી નિરાશ થશે
  • May 10, 2026

Markandey Katju on Vijay: તમિલનાડુના રાજકીય ઈતિહાસમાં રવિવારનો દિવસ એક નવા યુગની શરૂઆત સમાન રહ્યો. સુપરસ્ટાર અને તમિલગા વેટ્રી કઝગમ (TVK) ના પ્રમુખ સી. જોસેફ વિજયે હજારો સમર્થકોની હાજરીમાં તમિલનાડુના મુખ્યમંત્રી…

Continue reading
Arvind Kejriwal: સંજીવ અરોરાની ધરપકડ બાદ કેજરીવાલનો ભાજપ પર પ્રહાર, કહ્યું- જેલ પસંદ કરી પરંતુ ભાજપમાં ગયા નહીં
  • May 10, 2026

Arvind Kejriwal: પંજાબના કેબિનેટ મંત્રી સંજીવ અરોરા વિરુદ્ધ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીને પગલે આમ આદમી પાર્ટી (AAP) અને ભાજપ વચ્ચે રાજકીય યુદ્ધ છેડાયું છે. AAP ના રાષ્ટ્રીય સંયોજક…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Markandey Katju on Vijay: પૂર્વ જજ માર્કંડેય કાટજુનો વિજય પર તીખો હુમલો, કહ્યું- જનતા જલ્દી નવા સીએમથી નિરાશ થશે

  • May 10, 2026
  • 5 views
Markandey Katju on Vijay: પૂર્વ જજ માર્કંડેય કાટજુનો વિજય પર તીખો હુમલો, કહ્યું- જનતા જલ્દી નવા સીએમથી નિરાશ થશે

Arvind Kejriwal: સંજીવ અરોરાની ધરપકડ બાદ કેજરીવાલનો ભાજપ પર પ્રહાર, કહ્યું- જેલ પસંદ કરી પરંતુ ભાજપમાં ગયા નહીં

  • May 10, 2026
  • 5 views
Arvind Kejriwal: સંજીવ અરોરાની ધરપકડ બાદ કેજરીવાલનો ભાજપ પર પ્રહાર, કહ્યું- જેલ પસંદ કરી પરંતુ ભાજપમાં ગયા નહીં

Great Nicobar Project પર જયરામ રમેશનો કેન્દ્ર પર હુમલો, કહ્યું- અધૂરા અભ્યાસોના આધારે અપાઈ પર્યાવરણીય મંજૂરી

  • May 10, 2026
  • 7 views
Great Nicobar Project પર જયરામ રમેશનો કેન્દ્ર પર હુમલો, કહ્યું- અધૂરા અભ્યાસોના આધારે અપાઈ પર્યાવરણીય મંજૂરી

Indus Waters Treaty: ભારતની ‘પાણી-નીતિ’ થી પાકિસ્તાન ફફડ્યું, ઝરદારીએ ખાધી કસમ, પણ શું ભારત ઝૂકશે?

  • May 10, 2026
  • 7 views
Indus Waters Treaty: ભારતની ‘પાણી-નીતિ’ થી પાકિસ્તાન ફફડ્યું, ઝરદારીએ ખાધી કસમ, પણ શું ભારત ઝૂકશે?

Vijay Tamil Nadu CM: શું મુખ્યમંત્રી વિજય શ્રીલંકન તમિલોના ઉદ્ધારક બનશે? કચ્ચાથીવુ અને માછીમારોના પ્રશ્નો વચ્ચે નવો પડકાર

  • May 10, 2026
  • 7 views
Vijay Tamil Nadu CM: શું મુખ્યમંત્રી વિજય શ્રીલંકન તમિલોના ઉદ્ધારક બનશે? કચ્ચાથીવુ અને માછીમારોના પ્રશ્નો વચ્ચે નવો પડકાર

Gujarat Tribal Politics: આદિવાસી પટ્ટીમાં ભાજપનું ધોવાણ, ગુજરાતની ચૂંટણીના એકલ વીર હીરો ચૈતર વસાવા

  • May 10, 2026
  • 21 views
Gujarat Tribal Politics: આદિવાસી પટ્ટીમાં ભાજપનું ધોવાણ, ગુજરાતની ચૂંટણીના એકલ વીર હીરો ચૈતર વસાવા