
Opposition to SIR:બિહારમાં ચૂંટણીઓ દરમિયાન મોટાપાયે ગેરરીતિ આચરવામાં આવી હોવાના વિપક્ષના આક્ષેપ બાદ હવે બિહારની નીતિ અન્ય રાજ્યોમાં લાગુ ન થાય તે માટે કોંગ્રેસ દ્વારા ચૂંટણી પંચના SIR અભિયાનને અટકાવવા આંદોલન કરવાનું નક્કી કરાયું છે.
દેશભરમાં કેન્દ્રીય ચૂંટણીપંચ દ્વારા વિશેષ મતદારયાદી સુધારણા અભિયાનનો વિપક્ષ દ્વારા વિરોધ યથાવત રહ્યો છે અને તેઓના મતે આ અભિયાનના ઓઠા હેઠળ અનેક મતો ગાયબ કરાય છે અથવા ઉમેરાય રહયા છે અને એક પ્રકારની ગેરરીતિ થઈ રહયાના આરોપ લાગી રહયા છે ત્યારે દેશના મુખ્ય વિપક્ષ કૉંગ્રેસ દ્વારા SIRનો વિરોધ કરવા દિલ્હીમાં રેલીનું આયોજન થયું છે.
મહત્વનું છે કે હાલમાં ગુજરાત સહિત દેશનાં 12 રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોમાં હાલ SIRની પ્રક્રિયા ચાલુ છે ત્યારે નવી દિલ્હી ખાતેના ઇંદિરા ભવનમાં કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે તથા લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં કેન્દ્રીય ચૂંટણીપંચ દ્વારા ચાલી રહેલી SIRની કામગીરી સામે વિરોધ કરવા રેલીનું આયોજન કરવા સહિતની ચર્ચા થઈ હતી.
કૉંગ્રેસે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ ઉપર નિવેદન બહાર પાડીને લખ્યું, “આ બેઠકમાં કૉંગ્રેસ પાર્ટીએ નિર્ણય લીધો છે કે ડિસેમ્બર મહિનાના પહેલા અઠવાડિયામાં દિલ્હીના રામલીલા મેદાન ખાતે એસઆઈઆર વિરુદ્ધ વિશાળ રેલીનું આયોજન કરવામાં આવશે. જેમાં ચૂંટણીપંચના રાજનીતિકરણનો પર્દાફાશ કરવામાં આવશે.”તેઓએ કહ્યુ કે બધાનો અનુભવ એવો છે કે એસઆઈઆરમાં લોકોને ટાર્ગેટ કરીને તેમનાં નામ હઠાવવામાં આવી રહ્યાં છે.
“ચૂંટણીપંચે જેવું બિહારમાં કર્યું, એજ નીતિ અન્ય રાજ્યોમાં પણ અપનાવવામાં આવશે. એસઆઈઆર મુદ્દે અમે બિહારની ચૂંટણી પૂર્વેથી જ સવાલ ઉઠાવી રહ્યા છીએ.”કૉંગ્રેસનું કહેવું છે કે તેણે એસઆઈઆર મુદ્દે દેશવ્યાપી સહી અભિયાન હાથ ધર્યું હતું, જેમાં અત્યારસુધીમાં પાંચ કરોડ સહીઓ એકઠી થઈ છે.
ભારતના ચૂંટણી પંચે બિહાર વિધાનસભાની ચૂંટણી પહેલા સ્પેશિયલ ઇન્ટેન્સીવ રિવિઝન (SIR)ના પ્રક્રિયા હાથ ધરી હતી અને હવે ગુજરાત સહિત 12 રાજ્યોમાં SIRની પ્રકિયા ચાલુ છે.દેશભરના વિરોધ પક્ષોએ SIRનો જોરદાર વિરોધ કર્યો છે,વિપક્ષનું માનવું છે કે, આ પ્રક્રિયાથી લાખો મતદારોના નામ કાઢી નાંખવામાં આવશે.
બિહારમાં પણ મહાગઠબંધ દ્વારા વિરોધ થયો હતો એ પછી દિલ્હીમાં શરદ પવાર NCP, અખિલેશ યાદવ અને કોંગ્રેસે ચૂંટણી પંચની ઓફિસ સુધી રેલી કાઢી હતી. 4 નવેમ્બરે પશ્ચિમ બંગાળમાં TMC નેતા મમતા બેનરજીએ પાંચ કિ.મી. લાબીં રેલી કાઢી હતી.આ સિવાય મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે, તમિલનાડુના મુખ્યમંત્રી સ્ટાલિન, કેરળના મુખ્યમંત્રી બધા વિરોધ કરી રહ્યા છે.ત્યારે હવે કોંગ્રેસ દ્વારા દિલ્હીમાં રેલી કાઢવાની જાહેરાત થતાં રાજકારણ ગરમાયુ છે.
આ પણ વાંચો:
Surat: માતાજીના પંડાલમાં હુક્કાબાર સોંગ્સ પર યુવતીઓનો અશ્લિલ ડાન્સ, વીડિયો વાયરલ થતા વિવાદ
Maharashtra: ઉદ્ધવ ઠાકરેએ સોનમ વાંગચુકની ધરપકડ મામલે કેન્દ્ર સરકારની કાઢી ઝાટકણી
Rajasthan: BJP કાર્યકર્તાઓએ કેન્સરના દર્દીઓને બિસ્કિટ આપ્યા, ફોટા પડાવ્યા અને બિસ્કીટ પાછા લઈ લીધા










