Surendranagar News: સુરેન્દ્રનગર કલેક્ટર સામે ઈડીની તપાસ મુદ્દે સૌથી મોટો ખુલાસો થવા પામ્યો છે, કલેક્ટર ડો. રાજેન્દ્ર પટેલ સામે જમીનમાં ભ્રષ્ટ્રાચારને લઈ તપાસ શરૂ થઈ છે.બીન સત્તાવાર અહેવાલો અનુસાર લખતર રાજવી પરિવારના બલભદ્રસિંહની જમીન મુદ્દે પણ ભ્રષ્ટ્રાચારની આશંકાને લઈ તપાસ શરૂ કરી હોવાના અહેવાલ છે.
લખતર સ્ટેટ બલભદ્રસિંહની કૌટુંબિક જમીનના વિવાદમાં કૌભાંડની આશંકા વ્યક્ત થઈ રહી છે જોકે આ અંગે હજુ કોઈ સત્તાવાર વિગતો સામે આવી નથી.નોંધનીય છે કે લખતર રાજવી પરિવારમાં કૌટુંબિક જમીનના વિવાદ મુદ્દે છેલ્લા 3 વર્ષથી નામદાર કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે.
જિલ્લામાં જમીન વ્યવહાર અને બિનખેતી (NA) મંજૂરીને લઈને કરોડોના કથિત કૌભાંડની આશંકા વચ્ચે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા મોટું પગલું ભરવામાં આવ્યું છે ત્યારે મોટા ખુલાસા થવાની શકયતા વ્યક્ત કરાઈ રહી છે.
મહત્વનું છે કે સુરેન્દ્રનગર જિલ્લામાં જમીન સંપાદનનું ₹1500 કરોડનું ધુપ્પલ સામે આવ્યા બાદ રાજ્યમાં આ મામલો ભારે ચર્ચાસ્પદ બન્યો છે અને હાલમાં જિલ્લા કલેક્ટર અને નાયબ મામલતદાર સહિત પાંચ સામે EDની તપાસ ચાલુ છે ત્યારે આપને જણાવી દઈએ કે સુરેન્દ્રનગર જિલ્લામાં ભ્રષ્ટાચારની આ પહેલી ઘટના નથી. આ પહેલાં પણ વર્ષ 2017 400 કરોડની જમીન કૌભાંડ કેસ ખૂબજ ગાજયો હતો.
જમીન કૌભાંડ અને હથિયાર લાયસન્સ માટે લાંચ લેવાના કેસમાં તે સમયના કલેક્ટર, નાયબ મામલતદાર સહિતના ઉચ્ચ અધિકારીઓને સસ્પેન્ડ કરી તેમના પર કાર્યવાહી કરવામાં આવી હતી.
2017થી લઈ 2025 સુધીમાં સમગ્ર રાજ્યમાં સુરેન્દ્રનગર જિલ્લાના કૌભાંડી અધિકારીઓ સતત ચર્ચામાં રહ્યા છે.
આ અંગે સમાચાર માધ્યમોમાં વિસ્તૃત અહેવાલો પણ આવી ચુક્યા છે ત્યારે આ અંગે સિનિયર પત્રકાર દિલીપ પટેલે વિગતવાર છણાવટ કરી છે જે અત્રે પ્રસ્તુત છે.
The Gujarat Report | સાંપ્રત લોક હિતના વિષયોના સમાચાર અને સચોટ વિશ્લેષણ જુઓ માત્ર ધ ગુજરાત રિપોર્ટ પર જુઓ આ વિડીયો
આ પણ વાંચો:
Bauxite mineral theft: ખેડાના અમૃતપુરા ગામે 62 હેક્ટર ગૌચરની જમીનમાંથી કોલસો ખોદાશે!









