Surendranagar scam: સુરેન્દ્રનગરમાં જમીન એન.એ કરવાના રૂ.1500 કરોડના ખુલેલા કૌભાંડમાં કલેક્ટર સહિત ચાર કર્મચારીઓ વિરુદ્ધ એસીબીએ ગુનો દાખલ કર્યા બાદ ACB દ્વારા કલેકટર રાજેન્દ્ર પટેલની સબંધિત મિલકતો મામલે વધુ તપાસ કરવા નિયમોનુસાર સરકાર પાસે મંજૂરી માંગી છે.
જ્યારે આ કૌભાંડમાં ઝડપાયેલા સુરેન્દ્રનગર જિલ્લાના નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના ED ના અધિકારીઓ દ્વારા મેળવવામાં આવેલા આઠ દિવસના રિમાન્ડ દરમ્યાન વધુ તપાસ માટે દીલ્હી લઈ જવાયા હોવાની વિગતો જાણવા મળી છે.
દરમિયાન,નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના મોબાઈલમાંથી મળેલા કેટલાક ગુપ્ત વ્યવહારોમાં ગુજરાતના એક ડઝનથી વધુ ઉચ્ચ અધિકારીઓના નામ પણ સામેલ હોવાનું તપાસમાં ખુલ્યું છે એ તમામ ઉચ્ચ અધિકારીઓ પણ હાલ EDના રડાર ઉપર છે અને તેઓની પણ પૂછતાછ થશે તેમ મનાઈ રહ્યું છે પરિણામે સબંધિત વર્તુળોમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે.
આ આખું નેટવર્ક વચેટિયાઓ અને એજન્ટો ઉપર ચાલતું હતું તેઓ દ્વારા ગેરકાયદેસર રીતે જમીન NA કરવાનું એક મોટું નેટવર્ક ચાલતું હતું જે ખુલ્લું પડ્યું છે.
ACBની ફરિયાદમાં નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીએ એક કરોડ રૂપિયાની લાંચ લીધી હોવાનું કહેવામાં આવ્યું છે અને તેમાં કલેક્ટર રાજેન્દ્ર પટેલ, ક્લાર્ક મયુર ગોહિલ અને પીએ જયરાજસિંહ ઝાલાનું ઇન્વોલ્ટમેન્ટ હોવાનું કહેવાય છે હવે પછીની તપાસમાં વધુ નામો ખુલવાની શકયતા વ્યક્ત થઈ રહી છે.
આ ગંભીર પ્રકરણ મામલે વરિષ્ઠ પત્રકારો મયુર જાની અને દિલીપ પટેલે વધુ પ્રકાશ પાડયો છે તેઓ દ્વારા કરવામાં આવેલી વિસ્તૃત છણાવટ અહીં પ્રસ્તુત છે,જુઓ વિડીયો.
આ પણ વાંચો:
Bauxite mineral theft: ખેડાના અમૃતપુરા ગામે 62 હેક્ટર ગૌચરની જમીનમાંથી કોલસો ખોદાશે!









