
Adani: કચ્છમાં અદાણી મોટાપાયે ઔદ્યોગિક રોકાણ કરી રહયા છે પણ તેના માઠા પરિણામો જનતાને ભોગવવાનો વારો આવ્યો છે.
કચ્છમાં મુન્દ્રા વિસ્તારમાં ગૌચરની જમીન ઉપર શરૂ કરાયેલા કોપર લિમિટેડ (KCL) દ્વારા બે તબક્કામાં વાર્ષિક 1 મિલિયન ટન (10 લાખ ટન) તાંબાનું ઉત્પાદન થશે જે ખાસ કરીને ગ્રીન એનર્જી (સૌર અને પવન ઊર્જા) માટે તાંબાની વધતી માંગ પૂર્ણ થઈ શકશે પણ અહીં ફેલાઈ રહેલા પ્રદૂષણથી જનતા રોગોનો શિકાર બની જશે અને મહામૂલી જિંદગીઓ સામે ઉભી થનારી સ્થિતિ અંગે કોઈ વિચાર કરાયો નથી.
આ બધા વચ્ચે અહીંના જાગૃત નાગરિક ગજેન્દ્ર સિંહ જાડેજાએ જે વાત કરી તે અત્યંત ચોંકાવનારી હતી તેઓએ કહ્યું હતું કે અહીં એસિડ રેઇન થયો હતો જેનાથી જમીનો અને માનવ જિંદગીઓ સામે સવાલો ઉભા થયા છે.
કચ્છમાં હાલ અનેક જગ્યાએ અદાણીના પ્રદૂષણનો વિરોધ થઈ રહ્યો છે.આ અંગે કચ્છના જાગૃત નાગરિક ગજેન્દ્ર સિંહ જાડેજાએ Gujarat Reportને ચોંકાવનારી વિગતો જણાવી હતી અદાણીના આ પ્રોજેકટની હજુતો શરૂઆત છે આગળ જતાં શુ સ્થિતિ સર્જાશે તે મામલે ચિંતા વ્યક્ત કરી હતી.
આ પણ વાંચો:
Pentagon: ચીનની ભેદી હિલચાલ; અરૂણાચલ પ્રદેશ કબ્જે કરવા કરી રહ્યું છે, તૈયારીઓ! પેન્ટગોને આપી ચેતવણી!
Donald Trump: ટ્રમ્પનો ‘ટેરિફ દાવ’ ઊંધો પડ્યો! 700થી વધુ યુએસ કંપનીઓને લાગ્યા તાળા!
Aravali Case: અરવલ્લી કેસમાં સુપ્રીમ કોર્ટેનો પોતાનાજ આદેશ પર સ્ટે; આગામી સુનાવણી 21મી એ થશે









