
Casteism: ગુજરાતમાં છેલ્લા દિવસમાં કેટલીક એવી ઘટનાઓ બની રહી છે તે જોતા એવું લાગી રહ્યું છે કે દરેક સમાજમાં જ્ઞાતિવાદ અને વેરઝેરના બીજ વવાઈ રહયા છે.
તાજેતરના બનાવો જોતા એવું લાગેકે ક્ષત્રિય,બ્રાહ્મણ,પટેલ, વણિક,આયર,ભરવાડ,કોળી,ચારણ,દલિત,તમામ 18 વર્ણના સમાજ વચ્ચે વૈમન્ય ઉભું થાય તે રીતે માહોલ ક્રિએટ થઈ રહ્યો છે જે ખૂબજ ગંભીર છે.
આ તમામ જ્ઞાતિઓ હિન્દુમાં આવતી હોવાછતાં તે એક નથી અને અંદરો અંદર વિખવાદ,જુથવાડમાં વહેંચાઈ રહયા છે તો તેની પાછળ કોણ છે તે પણ સમજવું પડશે.
RSS અને ભાજપ વારંવાર હિન્દુત્વની વાતો કરે છે અને ધર્મનો ઝંડો લઈ હિન્દૂ-મુસ્લિમ કરે છે અને જ્યારે ચૂંટણીઓ આવે ત્યારે જે વિસ્તારમાં જે જ્ઞાતિનું વર્ચસ્વ હોય તે અગેવાનને ઉભો રાખી મત માંગવામાં આવે છે અને ત્યાંથી જ્ઞાતિવાદનો પ્રારંભ થાય છે અને જ્ઞાતિઓ વચ્ચે મતભેદો ઉભા કરી ભાજપ પોતાનું કામ કરી લે છે, અહીં હિન્દુત્વની વાતો ભુલાઈ જાય છે.આમ,ભાજપની ‘ભાગલા પાડો અને રાજ કરો’ની નીતિ ખુલ્લી પડી રહી છે.
ચૂંટણી દરમિયાન સમાજ વચ્ચે ભાગલા પાડવા અને બહાર હિન્દૂ-મુસ્લિમ કરવાની નીતિએ દેશવાસીઓ વચ્ચે વૈમન્ય પ્રસરી રહ્યું છે જે ખૂબજ ગંભીર બાબત બની રહી છે.આ મુદ્દા ઉપર The Gujarat Report ઉપર સિનિયર પત્રકારો મયુર જાની અને દિલીપ પટેલે વિસ્તારથી પ્રકાશ પાડ્યો છે જેમાં ઉદાહરણો ટાંકીને જે સચોટ વિશ્લેષણ કરાયું છે તે જોવાનું ચૂકશો નહિ.જુઓ વિડીયો.
આ પણ વાંચો:
Police recruitment: ગુજરાત પોલીસમાં ભરતી માટે થઈ જાવ રેડી; PSI-LRDની શારીરિક કસોટીની તારીખો જાહેર!








