Narendra Modi: ભાજપના નેતા સંગીત સોમ હિંદુત્વના ફાંકા મારવાનું બંધ કરે!અનેક પ્રાણીઓને મારીને માંસ વેચવાનો ધધો કરે છે!અતુલ પ્રધાને લગાવ્યા આરોપ

Narendra Modi: સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય અતુલ પ્રધાને ભાજપ નેતા સંગીત સોમ પર માંસના વેપારમાં સંડોવણીનો ગંભીર આરોપ લગાવ્યો છે.અતુલ પ્રધાને પ્રેસ કોન્ફરન્સમાં મીડિયા સમક્ષ દાવો કર્યો હતો કે ભાજપના નેતા સંગીત સોમ હિન્દુ મુસ્લિમ કરી હિન્દુત્વની વાતો કરે છે પણ તેઓ અને તેમનો પરિવાર માંસ અને માછલી સપ્લાય કરતી લગભગ 12 થી 15 કંપનીઓમાં ડિરેક્ટર રહ્યા છે.અતુલ પ્રધાને કેટલાક પુરાવા રજૂ કરી કહ્યું કે તેઓ પુરાવા સાથે વાત કરે છે અને જો ખોટું હોયતો પોતાની સામે તેઓ માનહાનીનો દાવો કરી શકે છે.

અતુલ પ્રધાને અલીગઢ ખાતેની અલ-દુઆ ફૂડ પ્રોસેસિંગ પ્રાઇવેટ લિમિટેડ અને અલ-અનમ એગ્રો ફૂડ્સનો ઉલ્લેખ કર્યો હતો, જે ભારતના અગ્રણી હલાલ માંસ નિકાસકારો માનવામાં આવે છે તેનું નામ લઈ સંગીત સોમ તેમાં ભાગીદાર હોવાની વાત કરી હતી.અતુલ પ્રધાને કહ્યું કે આ કંપનીઓનો રેકોર્ડ ઓનલાઈન ઉપલબ્ધ છે,જે સંગીત સોમની સંડોવણીની પુષ્ટિ કરે છે. જૂના દસ્તાવેજો અનુસાર, સોમ 2005 થી 2008 સુધી અલ-દુઆના ડિરેક્ટર હતા.

અતુલ પ્રધાને સોમની મિલકતોની CBI તપાસની માંગ કરી છે અને તેમને આપવામાં આવેલી સુરક્ષા વ્યવસ્થા પર પણ સવાલ ઉઠાવ્યા છે.જોકે,સંગીત સોમે આ આરોપોને “રાજકીય ષડયંત્ર” ગણાવીને નકારી કાઢ્યા હતા તેમણે અગાઉ સ્પષ્ટતા કરી હતીકે તેમણે ફક્ત જમીન ખરીદી હતી અને કંપનીના ડિરેક્ટર તરીકે નિયુક્ત થયાની તેમને ખબર નહી હોવાનું જણાવ્યું હતું.મહત્વનું છે કે આ બંને નેતાઓ વચ્ચેનો આ વિવાદ લાંબા સમયથી ચાલી રહ્યો છે અને ૨૦૨૨ ની વિધાનસભા ચૂંટણીમાં સરધના બેઠક પર અતુલ પ્રધાને સંગીત સોમને હરાવ્યા હતા.સિનિયર પત્રકાર મેહુલ વ્યાસે કરેલી વિસ્તૃત છણાવટ જુઓ પ્રસ્તુત છે વિડીયો

આ પણ વાંચો:

Police recruitment: ગુજરાત પોલીસમાં ભરતી માટે થઈ જાવ રેડી; PSI-LRDની શારીરિક કસોટીની તારીખો જાહેર!

Narendramodi: પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યા હત્યામાં પિતા વિઠ્ઠલ પંડ્યાએ નરેન્દ્ર મોદીને કેમ જવાબદાર ગણાવ્યા? 22 વર્ષ બાદ ફરી સળવળાટ!

Haryana: ભારતમાં બાંગ્લાદેશ-નેપાળ જેવા આંદોલનની જરૂર,નેતાઓને જાહેરમાં માર મારવો જોઈએ! ચૌટાલાના નિવેદનથી હંગામો

Social Media: ભાજપના નેતા ડો.ભરત કાનાબારે The Gujarat Report ઉપર કહ્યું:બાળકો માટે સોશ્યલ મીડિયા ઉપર પ્રતિબંધ ક્યારે?

 

Related Posts

પશ્ચિમ બંગાળ યેન કેન પ્રકારે જીતવું છે | મોદી – શાહનાં અધિકારીઓ યુદ્ધ મોડમાં!
  • April 28, 2026

ભ્રષ્ટાચારના આરોપોથી ઘેરાયેલા યોગી સરકારના વ્હાલાં અજય પાલ શર્માની ખુલ્લી ધમકી. ગૃહમંત્રી અમિત શાહે લોકતંત્રને ડામવા માટે મોટો કાફલો પશ્ચિમ બંગાળમાં ખડકી દીધો. Mayur Jani Official | મોદી – શાહની…

Continue reading
PM Modi: ભારતમાં નેતાઓને “ટેસડા” અને જનતાનો “મરો” છે પણ વિદેશમાં જનતાને ફર્સ્ટ પ્રાયોરિટી અપાય છે! ક્યારે સુધરશે આપણું તંત્ર?
  • April 27, 2026

PM Modi: ભારતમાં રાજકારણમાં પ્રસરી ગયેલી ગંદકીને કારણે સામન્ય નાગરિકોની હાલત અત્યંત દયનીય બની ગઈ છે,મોંઘવારી,બેરોજગારી, મોંઘુ શિક્ષણ, મોંઘી દવા વગરે જનતાના માથે થોપી દઈ નેતાઓ રાજ કરી રહયા છે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Muzaffarnagar Bonded Labor: મુઝફ્ફરનગરમાં બંધુઆ મજૂરીનો પર્દાફાશ, રાહુલ અને પ્રિયંકાએ સરકારની નીતિઓ પર ઉઠાવ્યા સવાલ

  • June 25, 2026
  • 2 views
Muzaffarnagar Bonded Labor: મુઝફ્ફરનગરમાં બંધુઆ મજૂરીનો પર્દાફાશ, રાહુલ અને પ્રિયંકાએ સરકારની નીતિઓ પર ઉઠાવ્યા સવાલ

Passport Citizenship Controversy: નાગરિકતાનો પુરાવો કયો? વિદેશ મંત્રાલયના નિવેદન પર વિપક્ષનો કટાક્ષ: ‘હવે તો માત્ર ભાજપના મતદાર હોવું જ સાબિતી!’

  • June 25, 2026
  • 6 views
Passport Citizenship Controversy: નાગરિકતાનો પુરાવો કયો? વિદેશ મંત્રાલયના નિવેદન પર વિપક્ષનો કટાક્ષ: ‘હવે તો માત્ર ભાજપના મતદાર હોવું જ સાબિતી!’

Adulterated Fennel Scam Unjha: મહેસાણામાં નકલી વરીયાળીનું મોટું કૌભાંડ ઝડપાયું, કેમિકલ રંગ ચઢાવી ઊંચા ભાવે વેચવાનો ભંડાફોડ

  • June 25, 2026
  • 9 views
Adulterated Fennel Scam Unjha: મહેસાણામાં નકલી વરીયાળીનું મોટું કૌભાંડ ઝડપાયું, કેમિકલ રંગ ચઢાવી ઊંચા ભાવે વેચવાનો ભંડાફોડ

Nutrition Scheme Scam: અરવલ્લીમાં સગર્ભા મહિલાઓ અને બાળકોના પોષણ આહારની કથિત હેરાફેરીનો પર્દાફાશ, 305 બોરી ભરેલો પિકઅપ ઝડપાયો

  • June 25, 2026
  • 6 views
Nutrition Scheme Scam: અરવલ્લીમાં સગર્ભા મહિલાઓ અને બાળકોના પોષણ આહારની કથિત હેરાફેરીનો પર્દાફાશ, 305 બોરી ભરેલો પિકઅપ ઝડપાયો

Scholarship Domicile Removal: એસસી અને ઓબીસી વિદ્યાર્થીઓ માટે મોટી રાહત, શિષ્યવૃત્તિ મેળવવા હવે ડોમિસાઇલ પ્રમાણપત્રની જરૂર નહીં

  • June 25, 2026
  • 10 views
Scholarship Domicile Removal: એસસી અને ઓબીસી વિદ્યાર્થીઓ માટે મોટી રાહત, શિષ્યવૃત્તિ મેળવવા હવે ડોમિસાઇલ પ્રમાણપત્રની જરૂર નહીં

Tushar Mehta: મોદી સરકારના સૌથી વિશ્વસનીય કાયદા અધિકારી કેવી રીતે બન્યા તુષાર મહેતા, ૧૧ વર્ષના કાર્યકાળ પાછળની સંપૂર્ણ કહાની

  • June 25, 2026
  • 9 views
Tushar Mehta: મોદી સરકારના સૌથી વિશ્વસનીય કાયદા અધિકારી કેવી રીતે બન્યા તુષાર મહેતા, ૧૧ વર્ષના કાર્યકાળ પાછળની સંપૂર્ણ કહાની