Mumbai Election: મહારાષ્ટ્રની ચૂંટણીઓમાં શુ રંધાયું? ‘વાસ્તવિકતા’ મુદ્દે વિશ્લેષક સોહિત મિશ્રાએ શુ કહ્યું?જુઓ ખાસ ચર્ચા

Mumbai Election: મહારાષ્ટ્રમાં થયેલી ચૂંટણીઓના આખરે પરિણામો જાહેર થઈ ચૂક્યા છે જેમાં રાજ્ય ચૂંટણી કમિશનરના જણાવ્યા મુજબ,મહારાષ્ટ્રમાં કુલ 29 નગરપાલિકાઓની તમામ 2,869 બેઠકોના પરિણામો આવી ગયા છે જેમાં ભાજપે કુલ 1425 બેઠકો જીતી લીધી છે જ્યારે એકનાથ શિંદેની શિવસેનાને 399 મળી છે અને અજિત પવારની નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટીને (NCP)નો 167 બેઠકો પર વિજય થયો છે.

દેશ આખાની જેની ઉપર નજર હતી તેવા મુંબઈની બૃહમુંબઈ નગરપાલિકા (BMC)માં 227 વોર્ડના પરિણામો શુક્રવારે જ મોડી રાત્રે જાહેર થઈ ચૂક્યા હતા જેમાં ભાજપે 89, શિવસેનાએ 29, કોંગ્રેસે 24, શિવસેના (UBT)એ 65 અને MNSએ 6 બેઠકો જીતી છે જ્યારે AIMIMને 8, NCPને 3, સમાજવાદી પાર્ટીને 2 અને NCP (SP)ને માત્ર એકજ બેઠક મળી હતી આ ઉપરાંત નાગપુર, પુણે, થાણે, નવી મુંબઈ, પિંપરી ચિંચવડ અને નાસિકમાં પણ ભાજપ ગઠબંધનને જ જીત મળી હોવાનું જાહેર કરાયુ છે.

બૃહમુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીના જાહેર થયેલા પરિણામોમાં ભાજપ ગઠબંધને 227 બેઠકોમાંથી 118 બેઠકો ઉપર જીત હાંસલ કરી છે જે પૈકી ભાજપે એકલા હાથે 89 બેઠકો જીતી હતી, જ્યારે શિવસેના (શિંદે) એ 29 બેઠકો ઉપર કબ્જો જમાવ્યો છે આમ,બન્નેના ગઠબંધનમાં 118 બેઠક મળી છે.

આ બધા વચ્ચે એક ખાસ નોંધપાત્ર બાબત એ રહેશે કે મુંબઈને ચાર વર્ષ બાદ મેયર મળશે મહત્વનું છે કે છેલ્લે મેયર પદ સંભાળનાર શિવસેનાના કિશોરી પેડણેકર હતા જેઓ તા. 22 નવેમ્બર, 2019 થી 8 માર્ચ, 2022 સુધી મેયર રહયા હતા. બાદમાં શિવસેનામાં ભંગાણ પડ્યું હતું.

સાથેજ એ વાત પણ નોંધનીય છે કે નગર નિગમ ચૂંટણી છેલ્લે ફેબ્રુઆરી 2017 માં થઈ હતી જેમાં કાઉન્સિલરોનો પાંચ વર્ષનો કાર્યકાળ 7 માર્ચ, 2022 ના રોજ પૂરો થઈ ગયો હતો હવે 2026ના પરિણામો આવતા નવા મેયરની નિમણૂક સાથે આખું માળખું નક્કી થશે.
દરમિયાન મહારાષ્ટ્રની આ ચૂંટણી ઓ અંગે The Gujarat Reportના MD મયુર જાની સાથે મહારાષ્ટ્રના વિશ્લેષક સોહિત મિશ્રાએ પોતાનું મંતવ્ય રજૂ કરી સ્થાનિક રાજકારણ અંગે પ્રકાશ પાડ્યો હતો જે જોવાનું ચૂકશો નહિ ખૂબજ રસપ્રદ વિશ્લેષણ જોવા માટે નીચે આપેલો વિડીયો જુઓ પ્રસ્તુત છે વિડીયો

આ પણ વાંચો:

Police recruitment: ગુજરાત પોલીસમાં ભરતી માટે થઈ જાવ રેડી; PSI-LRDની શારીરિક કસોટીની તારીખો જાહેર!

Narendramodi: પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યા હત્યામાં પિતા વિઠ્ઠલ પંડ્યાએ નરેન્દ્ર મોદીને કેમ જવાબદાર ગણાવ્યા? 22 વર્ષ બાદ ફરી સળવળાટ!

Haryana: ભારતમાં બાંગ્લાદેશ-નેપાળ જેવા આંદોલનની જરૂર,નેતાઓને જાહેરમાં માર મારવો જોઈએ! ચૌટાલાના નિવેદનથી હંગામો

Social Media: ભાજપના નેતા ડો.ભરત કાનાબારે The Gujarat Report ઉપર કહ્યું:બાળકો માટે સોશ્યલ મીડિયા ઉપર પ્રતિબંધ ક્યારે?

 

Related Posts

પશ્ચિમ બંગાળ યેન કેન પ્રકારે જીતવું છે | મોદી – શાહનાં અધિકારીઓ યુદ્ધ મોડમાં!
  • April 28, 2026

ભ્રષ્ટાચારના આરોપોથી ઘેરાયેલા યોગી સરકારના વ્હાલાં અજય પાલ શર્માની ખુલ્લી ધમકી. ગૃહમંત્રી અમિત શાહે લોકતંત્રને ડામવા માટે મોટો કાફલો પશ્ચિમ બંગાળમાં ખડકી દીધો. Mayur Jani Official | મોદી – શાહની…

Continue reading
PM Modi: ભારતમાં નેતાઓને “ટેસડા” અને જનતાનો “મરો” છે પણ વિદેશમાં જનતાને ફર્સ્ટ પ્રાયોરિટી અપાય છે! ક્યારે સુધરશે આપણું તંત્ર?
  • April 27, 2026

PM Modi: ભારતમાં રાજકારણમાં પ્રસરી ગયેલી ગંદકીને કારણે સામન્ય નાગરિકોની હાલત અત્યંત દયનીય બની ગઈ છે,મોંઘવારી,બેરોજગારી, મોંઘુ શિક્ષણ, મોંઘી દવા વગરે જનતાના માથે થોપી દઈ નેતાઓ રાજ કરી રહયા છે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Abhishek Banerjee Sonarpur Attack: એક તરફ ભાજપી ગુંડાઓનો આતંક, બીજી તરફ સીઆઈડીનું સમન્સ; વિપક્ષી નેતા અભિષેક બેનર્જીને ઘેરવા માટે સરકારી તંત્ર મેદાને

  • May 31, 2026
  • 2 views
Abhishek Banerjee Sonarpur Attack: એક તરફ ભાજપી ગુંડાઓનો આતંક, બીજી તરફ સીઆઈડીનું સમન્સ; વિપક્ષી નેતા અભિષેક બેનર્જીને ઘેરવા માટે સરકારી તંત્ર મેદાને

Narendra Modi: મહાત્મા ગાંધીની કોંગ્રેસ નથી ઈટાલિયન ગાંધીની- MODI

  • May 31, 2026
  • 6 views
Narendra Modi: મહાત્મા ગાંધીની કોંગ્રેસ નથી ઈટાલિયન ગાંધીની- MODI

Delhi Gymkhana Club: જિમખાના ક્લબ તો માત્ર બહાનું છે, અસલી મકસદ અબજોપતિ મિત્રો માટે દેશ લૂંટવાનો કાળો ધંધો છુપાવવાનો છે!

  • May 30, 2026
  • 5 views
Delhi Gymkhana Club: જિમખાના ક્લબ તો માત્ર બહાનું છે, અસલી મકસદ અબજોપતિ મિત્રો માટે દેશ લૂંટવાનો કાળો ધંધો છુપાવવાનો છે!

Kutch Border Security Failure: પાકિસ્તાન સાથેની સરહદ ખરેખર સુરક્ષીત છે?

  • May 30, 2026
  • 11 views
Kutch Border Security Failure: પાકિસ્તાન સાથેની સરહદ ખરેખર સુરક્ષીત છે?

Kuno Cheetah Tranquilization Report: ‘પ્રોજેક્ટ ચીતા’ ના નામે બે વર્ષમાં ૧૧૦ વાર અબોલ જીવોને કરાયા બેહોશ

  • May 30, 2026
  • 7 views
Kuno Cheetah Tranquilization Report: ‘પ્રોજેક્ટ ચીતા’ ના નામે બે વર્ષમાં ૧૧૦ વાર અબોલ જીવોને કરાયા બેહોશ

Telangana Mujahid Alam Khan Arrested: હૈદરાબાદમાં વક્ફ બોર્ડના વકીલની કરપીણ હત્યા, તેલંગાણા કોંગ્રેસના વાઇસ પ્રેસિડેન્ટ મુજાહિદ આલમ ખાન અને તેમના પિતાની ધરપકડ

  • May 30, 2026
  • 9 views
Telangana Mujahid Alam Khan Arrested: હૈદરાબાદમાં વક્ફ બોર્ડના વકીલની કરપીણ હત્યા, તેલંગાણા કોંગ્રેસના વાઇસ પ્રેસિડેન્ટ મુજાહિદ આલમ ખાન અને તેમના પિતાની ધરપકડ