
Harshanghavi: રાજ્યના માનનીય ગૃહ પ્રધાન અને માનનીય ડેપ્યુટી સીએમ હર્ષ ભાઈ સંઘવી સાહેબે જે રીતે પોતાના શાસન કાળમાં ફાસ્ટ ન્યાય મળવાની વાત કરી અને જનતા ઉપર દિલ આવી ગયાનું નિવેદન આપ્યું છે ત્યારે વડોદરાની હરણી બોટ દુર્ઘટનાની બીજી વરસીએ મૃતકોના પરીવારજનો પોતાને હજુ ન્યાય નહિ મળ્યો હોવાની ગુહાર લગાવી રહયા છે.
મહત્ત્વનું છે કે તા. 18 જાન્યુઆરી 2024ના રોજ ન્યૂ સનરાઈઝ સ્કૂલના પિકનિક પર જાય છે અને હરણી તળાવમાં બોટિંગ માટે બેસે છે અને ઓવરલોડ બોટ જળ સમાધિ લે છે જેમાં 12 માસૂમ બાળકો અને 2 શિક્ષિકાઓના ડૂબી જવાથી કરુણ મોત થઈ જાય છે આ દુર્ઘટના બાદ ભારે હાહાકાર મચી ગયો હતો અને કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે એક મોટી દુર્ઘટના હતી, જેના પગલે વોટર સ્પોર્ટ્સ અને શૈક્ષણિક પ્રવાસના નિયમો અંગે પણ પ્રશ્નો ઉઠ્યા હતા અને જેતે સમયે જે આરોપો લાગ્યા હતા તે અનુસાર ’14ની ક્ષમતાવાળી બોટમાં 26 બાળકો સહિત 34ને બેસાડી દેવાયા હતા’ અને મોટા ભાગનાં બાળકો સહિત અન્યોને લાઇફ જેકેટ અપાયા નહોતા, રાઇડ દરમિયાન બોટનું બૅલેન્સ ખોરવાતા ઊંધી વળવાને’ કારણે દુર્ઘટના બની હતી
ગઈકાલે 18મીએ આ કરુણ દુર્ઘટનાની વરસી હતી બરાબર આજ દિવસે મુખ્યમંત્રી વડોદરા આવવાના હતા પણ કોઈ કારણોસર સીએમની મુલાકાત કેન્સલ થઈ હતી ત્યારે ન્યાયની માંગ કરી રહેલા મૃતક બાળકોના પરિવારજનોએ સવાલો ઉઠાવ્યા હતા.
આ મુદ્દા ઉપર સિનિયર પત્રકારો મયુરભાઈ જાની અને દિલીપ પટેલે વિસ્તુત ચર્ચા કરી હતી આ વીડિયો જોવાનું ચૂકશો નહિ.
પ્રસ્તુત છે વિડીયો
આ પણ વાંચો:
Police recruitment: ગુજરાત પોલીસમાં ભરતી માટે થઈ જાવ રેડી; PSI-LRDની શારીરિક કસોટીની તારીખો જાહેર!









