Ahmedabad: કોંગી નેતા શક્તિસિંહના ભત્રીજાએ પોતાના પત્નીની ગોળી મારી હત્યા કર્યા બાદ પોતાના માથામાં ગોળી મારી આત્મહત્યા કરતા ચકચાર

  • Gujarat
  • January 22, 2026
  • 0 Comments

●હજુતો બે મહિના પહેલા જ બન્નેના લગ્ન થયા હતા અને ઝગડો થતાં માળો વિખેરાઈ ગયો

Ahmedabad: અમદાવાદમાં ક્લાસવન અધિકારીએ પોતાના પત્ની સાથે ઉગ્ર બોલાચાલી થતાં ઉશ્કેરાઈ જઈ પોતાના પત્નીને ગોળી મારી દેતા પત્નીનું મોત થઈ જતા બાદમાં ગભરાયેલા અધિકારીએ પોતાના માથામાં ગોળી મારી આત્મહત્યા કરી લેતા ભારે સનસનાટી મચી ગઇ છે.

વિગતો મુજબ અમદાવાદમાં પોશ વિસ્તાર ગણાતા જજીસ બંગલો રોડ સ્થિત NRI ટાવરમાં રહેતા ક્લાસ-1 અધિકારી યશરાજસિંહ ગોહિલને ગઈ રાત્રે તેમના ધર્મ પત્ની રાજેશ્વરીબા સાથે કોઈ વાતે ઝગડો થતાં યશરાજ સિંહ ઉશ્કેરાટમાં આવી જતા તેઓએ લાયસન્સ વાળા હથિયારથી રાજેશ્વરીબા ઉપર ફાયરિંગ કરતા તેઓ લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યા હતા પરિણામે યશરાજસિંહ ગોહિલે 108ને ફોન કરતા 108ની ટીમ સ્થળ ઉપર દોડી આવી હતી જોકે, 108ની ટીમને ઘર મળતું ન હોય તેમને લેવા યશરાજ નીચે ગયા હતા અને ત્યારબાદ 108ની ટીમે રાજેશ્વરીબાને મૃત જાહેર કરતા ગભરાયેલા યશરાજસિંહ ગોહિલે 108ની ટીમ તેમના ઘરમાંથી રવાના થયા બાદ પોતાની જાતને પણ ગોળી ધરબી લઈ આત્મહત્યા કરી લીધી હતી,વિગતો મુજબ તેઓએ 108ની ટીમને પોતાના પત્નિને ભૂલથી ગોળી વાગી ગયાનું જણાવ્યું હતું.આ ઘટના સમયે યશરાજ સિંહના 60 વર્ષીય માતા બીજા રૂમમાં હાજર હતા.

મૃતક યશરાજસિંહ ગુજરાત મેરિટાઇમ બોર્ડમાં અધિકારી તરીકે ફરજ બજાવતા હતા તેઓને હજુ થોડા સમય પહેલા જ પ્રમોશન મળતા વર્ગ 2માંથી વર્ગ 1 અધિકારી બન્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે મૃતક યશરાજસિંહ ગોહિલ કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલના ભત્રીજા થાય છે અને તેઓ ક્લાસ-1 અધિકારી હતા તેઓ 33 વર્ષના હતા

જેઓના 30 વર્ષના રાજેશ્વરીબા સાથે હજુ બે મહિના અગાઉ જ લગ્ન થયા હતા યશરાજ સિંહના આ બીજા લગ્ન હતા અને ગઈકાલે સબંધીનાં ઘરે જમવા પણ ગયા હતા.

દરમિયાન રાત્રે આ નવ દંપતી વચ્ચે થયેલા ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ લઈ લેતા તેનો કરુણ અંજામ આવ્યો છે.

ઘટના અંગેની જાણ થતાંજ વસ્ત્રાપુર પોલીસ સહિત ઝોન 1 ડીસીપી, ક્રાઈમ બ્રાન્ચની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી. પોલીસે બંનેના મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી વસ્ત્રાપુર પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ કરવામાં આવી રહી છે આ ઘટનાને પગલે ભારે ચકચાર મચી ગઇ છે.

આ પણ વાંચો:

Police recruitment: ગુજરાત પોલીસમાં ભરતી માટે થઈ જાવ રેડી; PSI-LRDની શારીરિક કસોટીની તારીખો જાહેર!

Narendramodi: પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યા હત્યામાં પિતા વિઠ્ઠલ પંડ્યાએ નરેન્દ્ર મોદીને કેમ જવાબદાર ગણાવ્યા? 22 વર્ષ બાદ ફરી સળવળાટ!

Haryana: ભારતમાં બાંગ્લાદેશ-નેપાળ જેવા આંદોલનની જરૂર,નેતાઓને જાહેરમાં માર મારવો જોઈએ! ચૌટાલાના નિવેદનથી હંગામો

Social Media: ભાજપના નેતા ડો.ભરત કાનાબારે The Gujarat Report ઉપર કહ્યું:બાળકો માટે સોશ્યલ મીડિયા ઉપર પ્રતિબંધ ક્યારે?

 

Related Posts

Jamnagar Farmers Protest: જામનગરમાં વીજલાઈન વિવાદ, હજારો ખેડૂતોનો કલેક્ટર કચેરીએ ઉગ્ર વિરોધ
  • July 31, 2026

Jamnagar Farmers Protest: ગુજરાતમાં હાઈ ટેન્શન વીજલાઈન પ્રોજેક્ટને લઈને ખેડૂતોનો વિરોધ સતત વધી રહ્યો છે. કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી અને દેવભૂમિ દ્વારકા બાદ હવે જામનગર જિલ્લામાં પણ મોટી સંખ્યામાં ખેડૂતો રસ્તા…

Continue reading
AAP Gujarat local body election: ચૈતર વસાવાની ગેરહાજરી છતાં આદિવાસી વિસ્તારમાં AAP નો દબદબો, પેટાચૂંટણીમાં મોટી જીત
  • July 30, 2026

AAP Gujarat local body election: ગુજરાતમાં યોજાયેલી વિવિધ નગરપાલિકા અને તાલુકા પંચાયતની પેટાચૂંટણીઓના પરિણામો જાહેર થતાં આદિવાસી વિસ્તારોમાં આમ આદમી પાર્ટી (AAP)એ નોંધપાત્ર પ્રદર્શન કર્યું છે. ખાસ કરીને ચૈતર વસાવાની ગેરહાજરી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Food Adulteration India: 5 વર્ષમાં 1.85 લાખ ભેળસેળના કેસ, માત્ર 3.3% કેસોમાં જ સજા

  • August 1, 2026
  • 1 views
Food Adulteration India: 5 વર્ષમાં 1.85 લાખ ભેળસેળના કેસ, માત્ર 3.3% કેસોમાં જ સજા

Waste Colonialism Madras HC: ભારત વિકસિત દેશો માટે બન્યું કચરો ઠાલવવાનું કેન્દ્ર, વેસ્ટ કોલોનિયલિઝમ પર હાઈકોર્ટની કડક ટિપ્પણી

  • July 31, 2026
  • 6 views
Waste Colonialism Madras HC: ભારત વિકસિત દેશો માટે બન્યું કચરો ઠાલવવાનું કેન્દ્ર, વેસ્ટ કોલોનિયલિઝમ પર હાઈકોર્ટની કડક ટિપ્પણી

Jamnagar Farmers Protest: જામનગરમાં વીજલાઈન વિવાદ, હજારો ખેડૂતોનો કલેક્ટર કચેરીએ ઉગ્ર વિરોધ

  • July 31, 2026
  • 9 views
Jamnagar Farmers Protest: જામનગરમાં વીજલાઈન વિવાદ, હજારો ખેડૂતોનો કલેક્ટર કચેરીએ ઉગ્ર વિરોધ

Reservation in India: આરક્ષણ માત્ર 10 વર્ષ માટે હતું? સોશિયલ મીડિયા પર વાયરલ દાવાઓ વચ્ચે જાણો બંધારણમાં શું લખ્યું છે

  • July 31, 2026
  • 10 views
Reservation in India: આરક્ષણ માત્ર 10 વર્ષ માટે હતું? સોશિયલ મીડિયા પર વાયરલ દાવાઓ વચ્ચે જાણો બંધારણમાં શું લખ્યું છે

AI Surveillance India: AI સર્વેલન્સ પર દેશભરમાં વિવાદ, જંતર મંતર વિરોધ બાદ Facial Recognition Technology પર ઉઠ્યા સવાલ

  • July 31, 2026
  • 6 views
AI Surveillance India: AI સર્વેલન્સ પર દેશભરમાં વિવાદ, જંતર મંતર વિરોધ બાદ Facial Recognition Technology પર ઉઠ્યા સવાલ

India GDP Growth: ભારતની ગ્રોથ સ્ટોરી પર બ્રેક? GDP 6.6% સુધી ઘટવાની શક્યતા પાછળના 3 મોટા કારણો

  • July 31, 2026
  • 8 views
India GDP Growth: ભારતની ગ્રોથ સ્ટોરી પર બ્રેક? GDP 6.6% સુધી ઘટવાની શક્યતા પાછળના 3 મોટા કારણો