
●હજુતો બે મહિના પહેલા જ બન્નેના લગ્ન થયા હતા અને ઝગડો થતાં માળો વિખેરાઈ ગયો
Ahmedabad: અમદાવાદમાં ક્લાસવન અધિકારીએ પોતાના પત્ની સાથે ઉગ્ર બોલાચાલી થતાં ઉશ્કેરાઈ જઈ પોતાના પત્નીને ગોળી મારી દેતા પત્નીનું મોત થઈ જતા બાદમાં ગભરાયેલા અધિકારીએ પોતાના માથામાં ગોળી મારી આત્મહત્યા કરી લેતા ભારે સનસનાટી મચી ગઇ છે.
વિગતો મુજબ અમદાવાદમાં પોશ વિસ્તાર ગણાતા જજીસ બંગલો રોડ સ્થિત NRI ટાવરમાં રહેતા ક્લાસ-1 અધિકારી યશરાજસિંહ ગોહિલને ગઈ રાત્રે તેમના ધર્મ પત્ની રાજેશ્વરીબા સાથે કોઈ વાતે ઝગડો થતાં યશરાજ સિંહ ઉશ્કેરાટમાં આવી જતા તેઓએ લાયસન્સ વાળા હથિયારથી રાજેશ્વરીબા ઉપર ફાયરિંગ કરતા તેઓ લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યા હતા પરિણામે યશરાજસિંહ ગોહિલે 108ને ફોન કરતા 108ની ટીમ સ્થળ ઉપર દોડી આવી હતી જોકે, 108ની ટીમને ઘર મળતું ન હોય તેમને લેવા યશરાજ નીચે ગયા હતા અને ત્યારબાદ 108ની ટીમે રાજેશ્વરીબાને મૃત જાહેર કરતા ગભરાયેલા યશરાજસિંહ ગોહિલે 108ની ટીમ તેમના ઘરમાંથી રવાના થયા બાદ પોતાની જાતને પણ ગોળી ધરબી લઈ આત્મહત્યા કરી લીધી હતી,વિગતો મુજબ તેઓએ 108ની ટીમને પોતાના પત્નિને ભૂલથી ગોળી વાગી ગયાનું જણાવ્યું હતું.આ ઘટના સમયે યશરાજ સિંહના 60 વર્ષીય માતા બીજા રૂમમાં હાજર હતા.
મૃતક યશરાજસિંહ ગુજરાત મેરિટાઇમ બોર્ડમાં અધિકારી તરીકે ફરજ બજાવતા હતા તેઓને હજુ થોડા સમય પહેલા જ પ્રમોશન મળતા વર્ગ 2માંથી વર્ગ 1 અધિકારી બન્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે મૃતક યશરાજસિંહ ગોહિલ કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલના ભત્રીજા થાય છે અને તેઓ ક્લાસ-1 અધિકારી હતા તેઓ 33 વર્ષના હતા
જેઓના 30 વર્ષના રાજેશ્વરીબા સાથે હજુ બે મહિના અગાઉ જ લગ્ન થયા હતા યશરાજ સિંહના આ બીજા લગ્ન હતા અને ગઈકાલે સબંધીનાં ઘરે જમવા પણ ગયા હતા.
દરમિયાન રાત્રે આ નવ દંપતી વચ્ચે થયેલા ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ લઈ લેતા તેનો કરુણ અંજામ આવ્યો છે.
ઘટના અંગેની જાણ થતાંજ વસ્ત્રાપુર પોલીસ સહિત ઝોન 1 ડીસીપી, ક્રાઈમ બ્રાન્ચની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી. પોલીસે બંનેના મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી વસ્ત્રાપુર પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ કરવામાં આવી રહી છે આ ઘટનાને પગલે ભારે ચકચાર મચી ગઇ છે.
આ પણ વાંચો:
Police recruitment: ગુજરાત પોલીસમાં ભરતી માટે થઈ જાવ રેડી; PSI-LRDની શારીરિક કસોટીની તારીખો જાહેર!









