Shankaracharya: “અમે ગૌ હત્યાની વાત કરી એટલે ભાજપને ગમતા નથી!” શંકરાચાર્યની પહેલી પ્રતિક્રિયા

  • India
  • January 26, 2026
  • 0 Comments

● સનાતન ધર્મ કોને કહેવાય?
Shankaracharya: બે ગ્રુપ સામસામે દેકારા કરે,સાધુઓને માર મારવામાં આવે! શુ આ હિન્દુવાદી ધર્મ છે?લોકોમાં સવાલ ઉઠી રહયા છે, દેશમાં હાલ સનાતન ધર્મની ઈજ્જત દાવ ઉપર લાગી છે અને અવિમુક્તેશ્વરાનંદની મેળામાં થયેલી બેઇજ્જતિ મામલે યોગી સરકાર ઉપર આરોપ લાગી રહયા છે આ એજ યોગી છે જેઓએ પણ ભગવા કપડાં પહેર્યા છે અને સનાતન ધર્મનો ઝંડો લઈ ફરે છે.

પ્રયાગરાજમાં શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદની પાલખી પોલીસે દૂર હડસેલી દીધી અને છત્ર તોડી નાખ્યું તેમજ સાધુઓને માર મરાયો આ બધા ઘટનાક્રમ વચ્ચે ઘરણા કરી રહેલા અવિમુક્તેશ્વરાનંદ તંત્રને માફી માંગવા જણાવી રહયા છે અન્યથા ઉપવાસ આંદોલન ચાલુ રાખવાની વાત ઉપર અડગ છે ત્યારે ભાજપના કેટલાક યોગી સમર્થક યુવાનો તેમની શિબિરમાં ઘુસી આવ્યા અને યોગીની જયજયકાર બોલાવી કોન્ટ્રાવર્ષી ઉભી કરવાની જે રીતે કોશિશ થઈ તે વાત અને શિબિરમાં યુવકોના હંગામા પર અવિમુક્તેશ્વરાનંદે પહેલીવાર નિવેદન આપ્યું છે,તેમણે કહ્યું- અમારા પર હુમલો એટલા માટે કરવામાં આવ્યો છે, કારણ કે અમે ગૌ-રક્ષાની વાત કરી રહ્યા છીએ. અમે તેમની (ભાજપ) આંખમાં કણાની જેમ ખૂંચી રહ્યા છીએ, પણ ગમે તેટલો અત્યાચાર કરો, હું પીછેહટ નહીં કરું. જેટલો અમારા પર અત્યાચાર થશે, તેટલી જ મજબૂતીથી હું આગળ વધીશ.

ઉલ્લેખનીય છે કે કટ્ટર સનાતની સેના નામના સંગઠનના 10 જેટલા યુવકો ભગવો ઝંડો લઈને સૂત્રોચ્ચાર કરતા શંકરાચાર્યના શિબિર નજીક પહોંચી ગયા હતા અને શિબિરમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો તેઓએ યોગી સરકારના સમર્થનમાં ‘આઈ લવ બુલડોઝર બાબા’ અને ‘યોગી ઝિંદાબાદ’ના નારા લગાવ્યા હતા.

આ યુવાનો અને અવિમુક્તેશ્વરાનંદના શિષ્યો વચ્ચે ઝપાઝપી પણ થઈ હતી. આ સંગઠનનો પ્રમુખ સચિન સિંહ નામનો વ્યક્તિ હોવાનું સામે આવ્યું હતું આ ઘટના બાદ શંકરાચાર્યની સુરક્ષા સામે સવાલો ઉઠ્યા હતા. શિષ્યોએ શિબિરને ચારે બાજુથી કવર કરી લઈ ઢાંકી દીધી હતી અને અંદર જવાના રસ્તાઓ બંધ કરી દીધા હતા.

દરમિયાન હિન્દૂ સમાજમાં હવે સનાતન ધર્મ અંગે અસમંજસ જોવા મળી રહી છે અને યોગી તેમજ શંકરાચાર્ય વચ્ચે ચાલી રહેલા વરવા દ્રશ્યોથી રાજકારણ પણ ગરમાયું છે અને સનાતન ધર્મની ઈજ્જત દાવ ઉપર લાગી છે અવિમુક્તેશ્વરાનંદનું કહેવું છે કે તેઓ પહેલેથી જ ગૌ માતાની થઈ રહેલી કતલનો મુદ્દો ઉઠાવી રહયા છે અને ભાજપ શાસનમાં સૌથી વધુ મીટનો કારોબાર ચાલી રહ્યો છે જેનો તેઓ દ્વારા ખુલીને વિરોધ કરવામાં આવી રહ્યો હોય અમે ભાજપની યોગી સરકારને ગમતા નથી આમ,હિંદુત્વનું લેબલ લઈને ફરતા ભાજપની આ બાબલથી છબી ખરડાઈ રહી છે અને લોકોમાં આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે.

આ પણ વાંચો:

Russia-Japan Dispute: રશિયાએ 11 કલાક સુધી જાપાનના આકાશમાં 10 બોમ્બર જેટ ઉડાવતા ફફડાટ ,યુદ્ધની તૈયારીઓ?

Donald Trump: અમેરિકાનું ખતરનાક USS અબ્રાહમ લિંકન યુદ્ધ જહાજ ઈરાન નજીક પહોંચતા યુદ્ધના ભણકારા

Donald-Trump: ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી વચ્ચે શુ સામ્યતા છે? જાણીતા વિશ્લેષક શીતલ પી.સિંઘે શુ કહ્યું?જુઓ ખાસ ચર્ચા

FAS Report: અમદાવાદ વિમાન દુર્ઘટનાનું અસલી કારણ સામે આવ્યું!! FASના રીપોર્ટમાં થયો મોટો ખુલાસો,જાણીને ચોંકી જશો

Related Posts

Bhopal Water Contamination: ભોપાલના 70% પાણીના નમૂનાઓ દૂષિત હોવાનો દાવો, ગેસ પીડિતોએ ઉઠાવ્યા સવાલ
  • August 1, 2026

Bhopal Water Contamination: ભોપાલ ગેસ દુર્ઘટનાના પીડિતોના ચાર સંગઠનોએ શુક્રવારે યોજાયેલી સંયુક્ત પત્રકાર પરિષદમાં ભોપાલ નગર નિગમ (BMC) સામે ગંભીર આક્ષેપો કર્યા છે. સંગઠનોનું કહેવું છે કે પરિત્યક્ત યુનિયન કાર્બાઇડ…

Continue reading
CJP Protest Women Targeted: નીટ પેપર લીક આંદોલન બાદ મહિલા પ્રદર્શનકારીઓ નિશાન પર? સોશિયલ મીડિયા અભિયાન, FIR થી વિવાદ વધુ ઘેરાયો
  • August 1, 2026

CJP Protest Women Targeted: નીટ પેપર લીક મુદ્દે જંતર-મંતર ખાતે યોજાયેલા કોકરોચ જનતા પાર્ટી (સીજેપી)ના વિરોધ પ્રદર્શનને કેન્દ્ર સરકારના આશ્વાસન અને તત્કાલીન શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ સમાપ્ત કરવામાં આવ્યું…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Bhopal Water Contamination: ભોપાલના 70% પાણીના નમૂનાઓ દૂષિત હોવાનો દાવો, ગેસ પીડિતોએ ઉઠાવ્યા સવાલ

  • August 1, 2026
  • 3 views
Bhopal Water Contamination: ભોપાલના 70% પાણીના નમૂનાઓ દૂષિત હોવાનો દાવો, ગેસ પીડિતોએ ઉઠાવ્યા સવાલ

CJP Protest Women Targeted: નીટ પેપર લીક આંદોલન બાદ મહિલા પ્રદર્શનકારીઓ નિશાન પર? સોશિયલ મીડિયા અભિયાન, FIR થી વિવાદ વધુ ઘેરાયો

  • August 1, 2026
  • 7 views
CJP Protest Women Targeted: નીટ પેપર લીક આંદોલન બાદ મહિલા પ્રદર્શનકારીઓ નિશાન પર? સોશિયલ મીડિયા અભિયાન, FIR થી વિવાદ વધુ ઘેરાયો

Chandranath Rath Murder Case: શુભેન્દુ અધિકારીના PA ચંદ્રનાથ રથ હત્યા કેસમાં CBIની મોટી કાર્યવાહી, કથિત ષડયંત્રકારોની ધરપકડ

  • August 1, 2026
  • 4 views
Chandranath Rath Murder Case: શુભેન્દુ અધિકારીના PA ચંદ્રનાથ રથ હત્યા કેસમાં CBIની મોટી કાર્યવાહી, કથિત ષડયંત્રકારોની ધરપકડ

Food Adulteration India: 5 વર્ષમાં 1.85 લાખ ભેળસેળના કેસ, માત્ર 3.3% કેસોમાં જ સજા

  • August 1, 2026
  • 4 views
Food Adulteration India: 5 વર્ષમાં 1.85 લાખ ભેળસેળના કેસ, માત્ર 3.3% કેસોમાં જ સજા

Waste Colonialism Madras HC: ભારત વિકસિત દેશો માટે બન્યું કચરો ઠાલવવાનું કેન્દ્ર, વેસ્ટ કોલોનિયલિઝમ પર હાઈકોર્ટની કડક ટિપ્પણી

  • July 31, 2026
  • 11 views
Waste Colonialism Madras HC: ભારત વિકસિત દેશો માટે બન્યું કચરો ઠાલવવાનું કેન્દ્ર, વેસ્ટ કોલોનિયલિઝમ પર હાઈકોર્ટની કડક ટિપ્પણી

Jamnagar Farmers Protest: જામનગરમાં વીજલાઈન વિવાદ, હજારો ખેડૂતોનો કલેક્ટર કચેરીએ ઉગ્ર વિરોધ

  • July 31, 2026
  • 15 views
Jamnagar Farmers Protest: જામનગરમાં વીજલાઈન વિવાદ, હજારો ખેડૂતોનો કલેક્ટર કચેરીએ ઉગ્ર વિરોધ